SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ( જે પોતાની ભૂલ જોઈ શકતો નથી તે મૂર્ખ છે, અને જે પોતાની ભૂલ | જોવા છતાં એને સુધારવા મથતો નથી એ મહામૂર્ખ છે. સફળતાની | એક શરત એ છે કે તમે તમારી ભૂલને જુઓ અને ભૂલને સુધારવા સતત પ્રયત્ન કરો. - સ્વેટ માર્ડના તમારું જીવન તમને આપવામાં આવ્યું છે તે પ્રભુનું કાર્ય કરવા માટે અને પ્રભુના અવિર્ભાવમાં સહાયભૂત થવા માટે આપવામાં આવ્યું છે એ ભાવે એને જુઓ અને સમજો. - શ્રી અરવિંદ આનંદ શાશ્વત છે તે ક્યારેય મરતો નથી. શોક ભ્રામક છે તે ક્યારેય ટકી શકતો નથી. - શ્રી અરવિંદ ગમે તેવો નાનામાં નાનો પણ સુંદર વિચાર જેવો જીવનમાં ઉતરે કે તરત જ જીવનનું રહસ્ય બનાવવાનું સામર્થ્ય એનામાં આવે છે. ભક્તજનો એને ઈશ્વરીકૃપા કહે, કવિઓ કાન્તદર્શન ગણે, જ્ઞાનીઓ | તિમિરછેદન માને. આગળ વધવાની લેશ પણ ઈચ્છા કરનારને, સહાયરૂપ થવાનું, સ્વયં નિર્મિત અદ્રશ્ય પણ અદ્ભૂત સત્વ, વિશ્વક્રમમાં નિત્ય હાજર હોય છે. એ જ વેદનુંઋત છે. એ પુરાણનું અવતરણ છે. એ ઈતિહાસનું તત્ત્વજ્ઞાન છે. એને જ જીવનમાં ફુરણા કહે છે. - ધૂમકેતુ ૧૧૩) Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy