SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ - દેવવંદનમાલ પાસે ઘણેરાવ ગામમાં પંડિત (પચાસ) પદ આપ્યું. તેમના ગુરૂ ધીરવિમલગણું સં. ૧૭૩૯ માં સ્વર્ગવાસી થયા. આચાર્ય વિજયપ્રભસૂરિની આજ્ઞાથી મહિમાસાગર સૂરિએ પાટણ પાસે આવેલા સંડેસર (સંડેર) માં સં. ૧૭૪૪ ના ફાગણ સુદી પાંચમ ને ગુરૂવારે આચાર્ય પદવી આપી તેમનું જ્ઞાનવિમલસૂરિ નામ રાખ્યું. તે વખતે શેઠનાગજી પારેખે આચાર્યપદને મહત્સવ કર્યો હતે. તેમને વિહાર ઘણા ભાગે સુરત, અમદાવાદ, પાટણ, સાદડી, રાધનપુર, ખંભાત, ઘણેરાવ, શિરોહી, પાલીતાણા, જુનાગઢ વિગેરે સ્થળમાં થયેલ છે. તેમના ઉપદેશથી સુરતના શેઠ પ્રેમજી પારેખે સં. ૧૭૭૭માં શ્રી સિદ્ધાચળને સંઘ કાઢયે હતે. તે સંઘનું વર્ણન કવિ દીપસાગરગણુના શિષ્ય સુખસાગર કવિએ પોતાના પ્રેમવિલાસ નામના રાસમાં કર્યું છે. પાલીતાણામાં તેમનાં હાથે જિન પ્રતિમાની સત્તર વાર પ્રતિષ્ઠા થઈ છે. તેમણે છેલ્લું માસું ખંભાતમાં સં. ૧૭૮૨ માં કર્યું. ત્યાં આ વદમાં ૮૯ વર્ષની ઉંમરે તેઓ સ્વર્ગવાસી થયા. ત્યાં શ્રાવકેએ તેમના પગલા યુક્ત દેરી ખંભાતમાં સકારામાં કરાવી જે આજે વિદ્યમાન છે. તેઓશ્રીએ ઘણું ગ્રંથ રચ્યા છે. ૧ નરભવ દષ્ટાંતમાળા, ૨ પાક્ષિક વિધિ પ્રકરણ ૩ સાધુ વંદન રાસ તથા ૪. ઉપાસક દશાંગ ટયર્થ વિગેરે ૧૩ ગ્રંથો નયવિમલગણની અવસ્થામાં રચ્યા છે. તથા ૭૫૦૦ શ્લેક પ્રમાણ પ્રશ્ન સાકરણવૃત્તિ, તથા સંસારરાવાવૃત્તિ વિગેરે થશે આચાર્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005629
Book TitleDevvandan Mala
Original Sutra AuthorN/A
AuthorJashwantlal Girdharlal Shah
PublisherJashwantlal Girdharlal Shah
Publication Year1974
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy