SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ચમી પૂનમની કથા રાષભદેવ ભગવાનને નમસ્કાર કરી તે જ પર્વત ઉપર સાધુની બે કેસાથે મોક્ષે હતા, એનમિ-વિનંમિને સંબંધ કહ હવે શ્રી રાષભદેવવામીન થયેલા પ્રથમ ગણધર શ્રી પુંડરીકછ ચૈત્રી પૂનમને દિવસે એ પર્વત ઉપર મેક્ષે ગયા જેથી એ પર્વતનું નામ પણ પુંડરીકગિરિ કહેવાય છે. માટે તે પુંડરીકગણધરની કથા કહે છે, * શ્રી કષભદેવસ્વામી છદ્મસ્થપણે વિહાર કરતાં પુરિમતાલની સમીપે શુકલમુખ ઉદ્યાનમાહે આવ્યા. તિહાં પ્રભુને કેવલજ્ઞાન ઉપન્યું તે વારે સર્વ ઈન્દ્રાદિક દેવેએ મળી સમવસરણની રચના કરી. સેવકે આવી ભરત રાજાને પ્રભુને થયેલા કેવલજ્ઞાનની વધામણ આપી. તે સાંભળી ભરત રાજા ઘણે હર્ષ પામે થકે બેઠે છે એટલામાં વલી બીજે સેવક આવ્યું. તેણે પણ આવી વધાઈ આપી કે હે મહારાજ ! આયુધશાળાને વિષે તેજ પુંજે કરી વિરાજમાન એવું ચક્રરત્ન ઉપન્યું છે. તે સાંભળી ભરતજીએ મનમાં વિચાર્યું જે બેઉ વધાઈ સાથે આવી તે હવે પ્રથમ મહત્સવ કેને કરીએ? જે માટે ચક્રરત્નને મહત્સવ તે કેવળ કર્મ બંધનું કારણ છે અને આ ભવને અર્થ સાધક છે, અને તીર્થકરના કેવલજ્ઞાનને મહત્સવ જે કરે, તે તો ઈહભવ પરભવ સંબંધી સર્વ અર્થને સાધક છે. માટે પ્રથમ કેવલજ્ઞાનને મહત્સવ કર એમ નિર્ધારી ચતુરંગિણી સેના લઈ મરૂદેવી માતાની સાથે હાથી ઉપર ચડી અનેક પ્રકારના વાનિવ વાજતે જોવામાં અયોધ્યા થકી બહાર નીકળી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005629
Book TitleDevvandan Mala
Original Sutra AuthorN/A
AuthorJashwantlal Girdharlal Shah
PublisherJashwantlal Girdharlal Shah
Publication Year1974
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy