________________
૬૫
•.૫૮
..૬૦
•..૬૨
રોહિણેયકુમારે વાસ્તવિક સ્વરૂપે પ્રગટ કર્યું.
તેણે ચેતવણી આપતાં કહ્યું, “જો તમે ગરાસમાં આપેલા ગામો પાછાં નહીં આપો તો હું તમારા સર્વના રહેવાના સ્થાનો તોડી નાંખીશ.” એવું કહી તે આકાશમાં ઉડી ચાલ્યો ગયો. તે પોતાની માતા જ્યાં હતી ત્યાં આવ્યો.
રોહિણેયકુમારે કોટવાલ પાસેથી જે તલવાર લીધી હતી તેમાંથી એક રત્ન ઉખેડી લીધું. તેણે માતાને રત્ન આપતાં કહ્યું, “હે માતા! પિતાજીનું શ્રાદ્ધ આજે જ કરો. વળી, બીજું પણ કંઈ કામકાજ હોય તો કહો તે હું કરી આપીશ.”
માતાએ (અત્યંત હર્ષિત થઈ) રોહિણેયકુમારના પરાક્રમની ખૂબ પ્રશંસા કરી. માતાએ તેને ‘સિંહનો પુત્ર સિંહ' એવું ઉપનામ આપ્યું. હવે રોહિણેયકુમાર નિત્ય ચોરી કરવા લાગ્યો. તે નિત્ય ચોરી કરીને સુવર્ણ અને ચાંદીનો, ભરેલો કોથળોલાવતો.
...૬૧ તે દિવસના ભાગમાં રૂપ પરિવર્તન કરી, રોહણ શેઠનું નામ ધારણ કરી રાજા પાસે જતો. તેણે રાજાને પોતાનો પરિચય આપતાં કહ્યું, “રાજન! હું પરદેશી શેઠ છું. હું તમારી નગરીમાં વ્યાપાર અર્થે રહીશ.”
રાજાએ રોહણશેઠ (રોહિણેયકુમાર) પર વિશ્વાસ મૂકી તેને વ્યાપાર કરવા વખાર આપી ભૂલ કરી. રોહણ શેઠ તે સ્થાનમાં ઉતર્યો. તેણે પાંચસો વણિકપુત્રોને (ચોરોને) પોતાની સાથે રાખ્યા. સેહિણેયકુમારે (થોડા સમય માટે રાજાનો વિશ્વાસ જીતવા)હવે ચોરીનું કાર્ય છોડી દીધું. ...૬૩
ન આ પ્રમાણે વચ્ચગાળાના છ માસ પસાર થયા. એક દિવસ કોટવાલે રાજાની સામે બડાઈ હાંકતાં કહ્યું, “રાજના આજકાલ રાજ્યમાંથી ચોરોનો ઉપદ્રવ (ભય ટળી ગયો છે. મેંરોહિણેય ચોરનું અભિમાન (ગર્વ) ચૂરચૂર કર્યું છે.”
તે સમયે રોહિણેયકુમાર રોહણશ્રેષ્ઠી બની રાજાની પાસે બેઠો હતો. કોટવાલના ગર્વિષ્ઠ વચનો સાંભળી રોહિણેયકુમારને તેના પર ખૂબ ગુસ્સો આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે, “આજે હું કોટવાલની પ્રતિષ્ઠાનો અવશ્ય ભંગ કરીશ. હું આજે એક મોટી ચોરી કરીશ.'
...૬૫ - તેણે રાત્રિના સમયે મહારાજા શ્રેણિકની અશ્વશાળામાંથી એક તેજસ્વી અશ્વ લીધો (ચોર્યો). ત્યારપછી બીજો વિચાર(યુક્તિ) કર્યો. હે માનવો ! તેની કથા હવે તમે ધ્યાનથી સાંભળો, એવું કવિ બહષભદાસ કહે છે.
...૬૬ વિવેચન પ્રસ્તુત ઢાળમાં રોહિણેયકુમાર કઈ રીતે ચોરી કરવા પ્રેરાયો તે પ્રસંગને કવિએ અહીં સુરેખા રીતે વર્ણન કર્યું છે.
દસ્યરાજ લોહખુરના મૃત્યુ પછી ગરાસ છીનવાઈ જતાં ચોરપલ્લીના લોકો પર આભ તૂટી પડયું. રોહિણીના માથે અણધારી આફતોની આંધી ચડી આવી. ચોરપલ્લીના લોકોનું જીવન દોકડા ' વિના સઢ વગરની નૌકાની જેમ ફંગોળાયું. કઈ રીતે પોષણ અને સંવર્ધન કરવું તેની ચિંતા સતાવવા લાગી. સંઘર્ષનો ધૂંધવાયેલો અગ્નિ ફાટી નીકળ્યો. ચોરપલ્લીનાં લોકો ઉશ્કેરાયાં. તેઓ લોહમતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org