SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ મેઘલી રાતે એકાદ બે વિજળીના ચમકારા જોવા મળે અને હજી એ ઝબકારાને નિરખવા. જઈએ ત્યાં તો સુખનો તેજ લિસોટો જીવનના કાળાડિબાંગ આકાશમાંથી અદશ્ય થઈ જાય છે! જીવનની ક્ષણભંગુરતાની વાતો અન્યત્ર પણ કહી છેઃ નીલકમલદલ બિન્દુ જીવન, શ્યામ ગગનઘન ચપલા જીવન; ઉષ:કાલની લાલી જીવન, સાગરમાં છે બિન્દુ જીવન.” જીવન, યૌવન અને દેહની અનિત્યતા અને ક્ષણિકતાના સુભાષિતો ઠેર ઠેર જોવા મળે છે. ઉપદેશમાલા ગ્રંથ'ના રચયિતા શ્રી ધર્મદાસ ગણિવર કહે છે. "कहं तं भन्नइ सिखं सुचिरेण विजस्सदुःखमुलियई। जंच मरणावसाणे भवसंसाराणुबंधिच ।। અર્થ: (લવસત્તમીઆ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકમાંથી ચ્યવે છે.) તે ભોગસુખને સુખ જ કેમ કહેવાય, જેની સાથે લાંબા સમય પછી પણ દુઃખા જોડાયેલું છે. જેનો અંત મૃત્યુ છે. તેમૃત્યુરૂપી દુઃખમય સંસારનું ચક્ર અવિરતપણે ચાલુ રાખે છે. ડૉક્ટરની જે ગોળીથી માથાનો દુખાવો મટી જાય પણ તે ગોળીનું પરિણમન બ્રેઈન હેમરેજરૂપે થાય તો તે ગોળીને સારી શી રીતે કહેવાય? તેવી જ રીતે દુખોની પરંપરા સર્જનારા આ સંસારના ક્ષણિક સુખોને સારાં શી રીતે કહેવાં? આ સંસાર પણ જન્મ, જરા અને મરણના ત્રિવિધ તાપથી સંતપ્ત છે. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહ્યું છેઃ "जन्म दुक्खं जरा दुक्खं, रोगाणि मरणाणिय। 31sો!કુવોદુસંસારો, નત્યસિક્તિગતુળો અર્થ: જન્મ એ દુઃખ છે, વૃદ્ધાવસ્થા એ દુઃખ છે. રોગ એ દુઃખ છે. મૃત્યુ પણ દુખ છે. અરેરે ! આ સંસાર સ્વયં જ દુઃખમય છે. પ્રત્યેક પ્રાણી સંસારમાં (આસકિતથી) દુઃખ-ક્લેશપામી ભ્રમણ કરે છે. “સકલ જીવ છે સુખના કામી, તે સુખ અક્ષય મોક્ષ રે; કર્યજનિત સુખ તે દુઃખરૂપ, સુખ તે આતમઝાંખ..” સંસારના સુખો પુજનિત, પરાધીન અને સંકલેશમિશ્રિત હોવાથી દુઃખ રૂપ છે. આ સુખો ખરાબ લોહી પીવા આતુર બનેલી જળો સમાન છે. જળો નામનું પ્રાણી ખરાબ લોહી ચૂસે છે, વાઘરી લોકો ભૂખી જળોને જેના શરીર પર ગુમડા થયા હોય ત્યાં રસી ચૂસવા મૂકે છે. જળો લોહી ચૂસી ભૂખનું શમન થવાથી આનંદિત થાય છે પરંતુ તેનો આ આનંદ ક્ષણિક હોય છે. વાઘરી જળોના શરીરને દબાવી લોહી કાઢે ત્યારે તે ખૂબ વેદના અનુભવે છે. જો લોહી કાઢવામાં ન આવે તો જળો બીજાના શરીરનું લોહી ચૂસી શકતી નથી. વાઘરીની આજીવિકાનું સાધન હોવાથી જળોને વારંવાર લોહી ચૂસવાનું અને ત્યાર પછી અપાર દુઃખ ભોગવવાનું રહે છે. સંસારના જીવો પણ મોક્ષ ન થાય ત્યાં સુધી જન્મ-મરણનું વારંવાર દુઃખ ભોગવે છે. કર્મભૂમિના પર્યાપ્ત મનુષ્યમાં પંદર ભેદે સીઝી, બુઝી, મુક્ત થઈ શકે તેવી યોગ્યતા છે. આ યોગ્યતામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy