SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ કુલ ૨૮૧૦+૧૪૬=૫૮ લાખ) જીવાયોનિમાં શ્રોતેન્દ્રિય (કર્ણ) મળતી નથી તેથી તેઓ જિનવાણીનું શ્રવણ કરી શકે નહીં. ૨૬ લાખ જીવાયોનિમાંથી પણ નારકના જીવોને જિનવાણી શ્રવણનો યોગ પ્રાપ્ત થાય જ નહીં. દેવોમાં પણ માત્ર સમ્યગદષ્ટિદેવો સમવસરણમાં આવી જિનવાણીનું શ્રવણ કરે છે. બધાંજ સમ્યગદષ્ટિદેવો સમવસરણમાં જતા નથી. મિથ્યાત્વી દેવોને જિનવાણી શ્રવણના ભાવ ન થાય. મનુષ્યમાં પણ ૩૦ અકર્મભૂમિ અને ૫૬ આંતરદ્વીપના મનુષ્યને જિનવાણી શ્રવણનો અવસર જ ન મળે કારણકે તે ક્ષેત્રમાં જિનધર્મ જ નથી. તિર્યચોમાં વિવેકજ્ઞાનનો અભાવ છે તેથી તેઓ જિનવાણી શ્રવણના અધિકારી બનતા નથી. જિનવાણી શ્રવણનો મોકો આર્યદેશના મનુષ્યને મહાન પુચન ઉદયથી મળે છે. વિવિધ યોનિમાં ભટકતા જીવને મનુષ્ય જન્મ પણ મહામુશ્કેલીથી મળે છે. વૈરાગ્ય શતક'માં શ્રી જયસોમગણિજી કહે છે: plઝગમગેગડું, નુક્સમરyપરિયડ્ડસિયા दुक्खेण माणुसत्तं, जई लहइजहिच्छियंजीवो।। અર્થ: અનેક જન્મ-મરણ રૂપ સેંકડો પુદ્ગલ પરાવર્તનોમાં ભમ્યા પછી મહાકષ્ટ જીવ ઈચ્છા મુજબનું મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. આ જીવનો સંસાર પરિભ્રમણનો કાળ પણ અમાપ છે. તેનું માપ દર્શાવતાં કહ્યું છે: “णत्थि किर सोपएसो, लोए वालग्ग कोडिमेत्तो वि। जम्मणमरणाबाहा,जत्थ जिएहिंण संपत्ता।। અર્થઃ લોકમાં વાળના અગ્રભાગ જેટલો પણ પ્રદેશ એવો નથી જ્યાં જીવોએ જન્મ-મરણ કરી સ્પર્શના ન કરી હોય. આકાશમાં અદશ્ય બની વાયુ ભમે છે, તેમ આ જીવ પણ ચતુર્ગતિમાં ભમે છે. મનુષ્ય જન્મની સાર્થકતા ધર્મરૂપી ભાતું એકઠું કરવામાં છે. ધનુષ્યની દોરી તૂટતાં ધનુર્ધારી લાચાર બને છે, તેમ માનવ જન્મ પામીને ધર્મનું સેવન ન કરનાર અંતિમ સમયે ખિન્ન બને છે. શ્રી સૂયગડાંગ સૂત્ર'ના વૈતાલીયાધ્યયનમાં ભરત ચક્રવર્તીના તિરસ્કારથી સંવેગ પામેલા ૯૮ પુત્રોને ભગવાન આદિનાથે કહ્યું, “બોધ પામો, ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થયા છતાં, બોધ કેમ પામતા નથી?' જેમ મિથ્યાદષ્ટિ દેવો કામભોગમાં બહુ કાળ આસક્ત રહે છે, તેમ ભવાભિનંદી જીવો વારંવાર જન્મ-મરણ કરતાં આ સંસારમાં નિર્ગમન કરે છે પરંતુ બોધ પામતા નથી. જન્માંધ જીવોને ચક્ષનો યોગ ન હોય, તેમ મિથ્યાત્વી જીવોને જિનધર્મ (જેમાં લેશમાત્ર દોષ નથી છતાં)નો યોગ ન હોય. વિવેકના અભાવમાં તેઓ મોહાંધ બની મિથ્યાત્વને સેવે છે. આત્માનાં ત્રણ પ્રકાર: મોક્ષપાહુડ' ગ્રંથમાં દેહધારી આત્માઓના ત્રણ પ્રકારની ચર્ચા જોવા મળે છે. (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા (૩) પરમાત્મા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy