SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પo શ્રવણ ન કરે. તીવ્ર મિથ્યાત્વી અને તીવ્ર કષાયી જીવોને ધર્મોપદેશ સાંભળવાની બુદ્ધિ હોતી નથી. જેમ પથ્થર પર વાવેલું બી ઉગતું નથી, તે માટે મૃદુ માટી જ જોઈએ તેમ જિનવાણી શ્રવણ કરવાનું સૌભાગ્ય અને સાંભળીને તેના પર ચિંતન કરવાનું સૌભાગ્ય મૃદુ પરિણામી આત્માને જ પ્રાપ્ત થાય છે. તેથી જ કહ્યું છે કે- સોહી 3gયમૂયસ્સ ઇમ્પો શુદ્ધસૂવિદ્ય- કોમળ પરિણતિથી ધર્મનું વાવેતર થાય છે. ધર્મનું વાવેતર (જિનવાણીનું પરિણમન) કરનાર જિનેશ્વર ભગવંતો (દેવ), જિનાગમો (શાસ્ત્રો) અને સદ્ગુરુ છે. નયસારને સત્સંગથી તત્ત્વજ્ઞાન થયું. ચિલાતી પુત્રને સાધુના વચનથી આત્મજ્ઞાન થયું. દેવ, ગુરુ અને ધર્મરૂપી ચિતત્ત્વનો દ્વેષી આત્મા પોતાનો જ શત્રુ બને છે. લોહખુર ચોર ત્રિતત્વનો દ્વેષી હતો. ઉત્તરાધ્યયનસૂત્રના ૧૪મા અધ્યયનમાં ભૃગુપુરોહિતે પોતાના પુત્રો દેવભદ્ર અને યશોભદ્રને સંતદર્શન અને સત્સંગથી વંચિત રાખ્યા, તેમ લોહખુર ચોરે પોતાના પરંપરાગત ભૂંસાતા જતા આદર્શોને ચિરંજીવ રાખવા જીવનની ઢળતી સંધ્યાએ પોતાના વ્હાલાપુત્રને બોલાવી જિનેશ્વરની વાણી ન સાંભળવાની પ્રતિજ્ઞા કરાવતાં કહ્યું, “વત્સ! જૈનોના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી જ્યારે અહીં આવે ત્યારે દેવો દ્વારા સમવસરણ રચાશે તે સમયે તું ત્યાં જઈ તેમની વાણી કદી ના સાંભળીશ. તે વાણી સાંભળતાં તું ખૂબ દુઃખી થશે.(ભગવાનની વાણી તેના ધંધાથી વિરુદ્ધની હતી.)” ખરેખર! ઓઘસંજ્ઞાએ જીવતા બાળજીવોને સારાસારનો વિવેક ક્યાંથી હોય? અમૃત તુલ્ય 'જિનવાણી સાંભળવાનો અવસર પણ પ્રબળ પુણ્યથી મળે છે. અકર્મભૂમિમાં જિનવાણી સાંભળવા જના મળે! કર્મભૂમિના કેટલાય ક્ષેત્રો સાધુસંગતિથી વંચિત હોવાના કારણે જિનવાણીનું શ્રવણ ન મળે. સંસારી જીવોની ઉત્પત્તિનું સ્થાન યોનિ છે. ચોર્યાશી લાખ જીવાયોનિ છે. તેમાંથી જિનવાણીનું શ્રવણ કરી શકે એવા પ્રાણીઓ અત્યંત અલ્પ છે. કવિ સુરદેવ નીચેના દુહામાં કહે છે: “લક્ષ ચોરાશી યોનિમાં, મુંગા બાવન લાખ; બત્રીશ કહીએ બોલતા, ચોપનને નહિ નાક; ચોપનને નહિનાક, ત્રીશ લાખ નાકવખાણું, છપ્પન આંખે હિણ, અઠ્ઠાવીસ દેખતા જાણું; છવ્વીસ કાને સાંભળે, અઠ્ઠાવન કાને હીણ, કવિયણ સુરગંગાઈમ ભણે, લક્ષ ચોરાશી યોની જાણ.” તત્ત્વાર્થ = સાંભળવું, તે કર્મેન્દ્રિયનો વિષય છે. ૪ લાખ નારકી, ૪ લાખ દેવતા, ૪ લાખા તિર્યંચ પંચેન્દ્રિય અને ૧૪ લાખ મનુષ્ય એમ કુલ ૨૬ લાખ જીવાયોનિમાં જ ફક્ત કર્ણ (કાન) મળે છે. બાકીની ૫૮ લાખ (પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વાયુકાય એમ પ્રત્યેકની સાત લાખ મળીને ૨૮ લાખ જીવાયોનિ છે. પ્રત્યેક વનસ્પતિ કાયની ૧૦ લાખ અને સાધારણ વનસ્પતિ કાયની ૧૪ લાખ જીવાયોનિ છે. વળી, બેઈન્દ્રિય બે લાખ, તેઈન્દ્રિય બે લાખ અને ચૌરેન્દ્રિયની બે લાખ જીવાયોનિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy