________________
૫૪
રાજ્યના લોભે વૃદ્ધાવસ્થામાં પિતાને રોજના સો કોરડાનો માર મારી મારીને ચમસદને પહોંચાડયા. કેવો કુલાંગારપાક્યો કોણિકા
ઉપરોકત ચારે પ્રકારોમાં “અવિજાત' ઉત્તમ છે. રોહિણેયકુમાર વિદ્યા સંપાદન કરવામાં અને સંસ્કારોમાં પિતાથી ચડિયાતો અને વેગળો જ નીકળ્યો. જેમ હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ રાક્ષસ કુળમાં જનમ્યો છતાં ઉગતી વયથી જ ધાર્મિક વૃત્તિવાળો હતો, તેમ રોહિણેયકુમાર ચોર જ્ઞાતિમાં જખ્યો છતાં બાળપણથી જ સદાચારી અને સુશીલ હતો. તેને હિંસા, અસત્ય, ચોરી અને અબ્રહ્મ પ્રત્યે સુગ હતી. તેને કુટેવો અને પિતાના કુળપરંપરાગત અશોભનીય ચોરીના વ્યવસાય પ્રત્યે અંશમાત્ર પણ અનુરાગ ન હતો. પિતાને આ બાબત આંખમાં પડેલા કસ્તર સમાન ખટકતી હતી. પુત્ર પોતાના કુલાચારનું આચરણ કરે તેવું કયો પિતા ન ઈચ્છે? પરંતુ જેનામાં સારાસારનો થોડો પણ વિવેક હોય તે જીવ શું બળતી આગમાં પોતાની જાતને હોમે ખરો? રોહિણેયકુમાર ઔચિત્યનું પાલન કરનારો હતો. વળી, વિદ્યાર્થી અવસ્થામાં અન્ય કોઈ વ્યસનનું સેવન તેણે ન કર્યું. પિતા પોતાના વહાલા પુત્રને ચોરી અને અબ્રહાના સંસ્કારો પાડવા મથ્યા પરંતુ પુત્ર એકનો બે ન થયો. મેળવેલું વ્યવહારિક જ્ઞાન પણ જો આટલું ઉપયોગી નીવડે છે તો પારમાર્થિક જ્ઞાન પામતાં શું લાભ ન થાય?
શ્રી દશવૈકાલિક સૂત્ર'માં પારમાર્થિક જ્ઞાનની મહત્તા દર્શાવતાં શ્રી શય્યભવાચાર્ય કહે છે: "पढमं नाणं तओदया, एवं चिट्ठइ सव्वसंजए।
अन्नाणी किं काही, किंवा णाहीइसेय पावगं ।। અર્થ: પ્રથમ જ્ઞાન, પછી દયા હોય છે. સર્વ સંયમીઓ જ્ઞાનપૂર્વક ક્રિયાનું પાલન કરે છે. જીવાજીવના જ્ઞાન રહિત અજ્ઞાની શું કરી શકે? કલ્યાણ અને પાપના સ્વરૂપને કેવી રીતે જાણશે? અજ્ઞાની હેય, ઉપાદેયનો વિવેકન કરી શકે.
પાપકાર્યોથી નિવૃત્તિ, કુશલ પક્ષમાં પ્રવૃત્તિ અને મોક્ષનાં સાધનો પ્રત્યે આદરરૂપ વિનયની પ્રાપ્તિ પણ જ્ઞાનથી જ થાય છે તેથી જ્ઞાન પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થતાં મસ્તક વિનમ્ર બની ઝૂકી પડે છે. ઉનાળ સંમોહ તમોઢરસ નમો નમો નાળવિવાયરસા અર્થાત્ અજ્ઞાન અને સંમોહરૂપી અંધકારને દૂર કરનાર જ્ઞાન દિવાકરને વારંવાર નમસ્કાર હો!
ભલે, રોહિણેયકુમારમાં જેને ધર્મ માનવામાં આવે છે તેવા કોઈ સંસ્કાર ન હતાં, તેને કોઈ ધર્મપરાયણ સાધુસંતોનો સહવાસ પણ પ્રાપ્ત થયો ન હતો પરંતુ તે સામાન્ય નીતિ-નિયમોનું પાલન સ્વાભાવિક રીતે કર્યા કરતો હતો. કોઈ પ્રકારનું અપકૃત્ય કરવામાં કે બીજાનાં દોષો જોવામાં તેને રસના હતો. તે સ્વભાવે વિનયશીલ, પ્રિયવાદી તથા પરોપકારપરાયણ હતો એવું કવિ આઢાળમાં આલેખે છે.
કડી-૩૦થી૪૦માં કવિએ પિતા-પુત્રનો સંવાદ સરળ શબ્દોમાં રોચક રીતે આલેખ્યો છે. રોહિણેયકુમારનો અભદ્ર સંસ્કારો પ્રત્યેનો અણગમો અહીં તરી આવે છે. લોહખુર ચોરને પોતાના સઘળાં સ્વપ્નનો સુવર્ણ મહેલ તૂટીને ધૂળમાં રગદોળાશે, એવું લાગતું હતું.
લોહખુર ચોરે ભય બતાવતાં રોહિણેયકુમારને કહ્યું, “દિવસો જતાં તારે ગ્રામવાસીઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org