SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ તેનો પુત્ર પણ તે ગરાસ ભોગવે? જ્યારે મહારાજા પ્રસેનજિત રાજ્ય કરતા હતા તે સમયમાં રૂપખુરો થયો હતો. ...૪૦. તેણે બળજબરીથી અમુક ગામોનો ગરાસ ભોગવ્યો. કાળક્રમે તે મૃત્યુ પામી પરલોકમાં ગયો. તેના પછી તેનો પુત્ર લોહખુર થયો તેણે પણ ગરાસમાં મળેલા ગામોમાંથી માણસો મોકલી લોકો પાસેથી કર વસૂલ કરી ધન મેળવી ભોગવ્યું. ...૪૦. બળવાન લોહખુર ચોર પણ સમય જતાં મૃત્યુ પામ્યો. શું હવે તેનો ગરાસ તેનો પુત્ર રોહિણેય કુમાર ભોગવે? હે મંત્રીશ્વરા ! તમે બુદ્ધિપૂર્વક વિચારો. તેનો ગરાસ પાછો મેળવી ભોગવો. કારણકે તેના સાચા હકદાર તમે છો.” ...૪૮ વિવેચન પ્રસ્તુત ઢાળમાં કવિએ રોહિણેયકુમારની વિવિધ વિદ્યાઓ, માતા-પિતાની બાળકો પ્રત્યેની ફરજ અને સંતાનોનું વડિલો પ્રત્યેનું ઉભય કર્તવ્ય અહીં દર્શાવ્યું છે. દરેક માતા-પિતાની જેમ લોહખુર ચોર અને તેની પત્ની રોહિણીએ પણ પોતાના સંતાનને શૈશવકાળમાં (આઠ વર્ષે) શુભ મુહૂર્ત પાઠશાળામાં વિદ્યાભ્યાસ માટે મોકલ્યો. બળબળતા ઉનાળા પછી વર્ષના પ્રથમ બુદને જેમ ચાતક પક્ષી ઝડપી લે છે, તેમ સૌમ્ય અને જ્ઞાનપિપાસુ રોહિણેયકુમારે વિદ્યા ગુરુ પાસેથી ઝડપથી લૌકિક વિદ્યા શીખવા માંડી. તે તીવ્ર મેઘાવી હતો. બુદ્ધિમાં તે પંડિતોને પણ સંદેહ ઉત્પન્ન કરાવતો હતો. તે પક્ષીની જેમ આકાશમાં ઉડી શકતો, ક્ષણવારમાં રૂપબદલી જંગલી વાઘનું રૂપ લેતો. બધા ઉપાસકોની વિદ્યા તે જાણતો હતો તેમજ ભાષા રાગના પણ સુંદર નિર્ણય આપતો. વરસાદનું આગમન થતાં મોરનું રૂપ ધારણ કરી નૃત્ય કરતો, વન્ય પશુઓની વચ્ચે ક્રીડા કરતો.ગંગા નદીને તરવા અને તારવાનું પણ શીખ્યો. વિચિત્ર ઔષધિઓ તથા કરોડ યંત્ર-મંત્રોનો જાણકાર હતો. (સંસ્કૃત હસ્તપ્રત કડી-૩૦ થી૪૦) .. જેમ દ્રોણાચાર્યનો વિનય કરી અર્જુન અમોઘ બાણાવળી બન્યો, તેમ વિદ્યા ગુરુનો વિનય કરી રોહિણેયકુમાર ટૂંક સમયમાં ઘણી વિદ્યાઓમાં પારંગત બન્યો. વિધા વિદ્યા એ માનવ જીવનનાં સર્વાધિક વિકાસ અને પ્રગતિનું સોપાન છે. વિદ્યા શાશ્વત છે, પરા દેવતા છે, મનુષ્યનું સાચું આભૂષણ છે. વિદ્યા માનવ જીવનના વ્યવહારનું અલંકાર છે તેથી જ વિદ્યાને દેવી સ્વરૂપ આપ્યું છે. તેની પૂજા-અર્ચના થાય છે. ધન અને સત્તા પણ વિદ્યાના બળથી મળે છે. વિદ્યારે વનમ્' વિદ્યા એ શ્રેષ્ઠ બળ છે. આચાર્ય તુલસી કહે છે: विद्या मनुष्यकी आंतरिक संपदा है। इसका जितना व्यय किया जाता है, यह उतनी ही बढ़ती है। આચાર્ય તુલસીના વિચારો સાથે તૈત્તરીય વ્યષિમુનિના વિચારો સામ્યતા ધરાવે છે. વિશ્વના બધા જ તત્ત્વજ્ઞાનીઓ, ચિંતકો, ધર્માચાર્યોએ વિદ્યાની અગત્યતા સ્વીકારી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy