________________
૪૫
પ્રવેશ વિના સમ્યકત્વ ન મળે. માર્ગાનુસારીપણું એ સમ્યક્ત્વનો પાયો છે. માર્ગાનુસારીએ મનુષ્યત્વ પ્રાપ્તિની ભૂમિકા છે. તે વ્યવહાર શુદ્ધિ છે. વ્યવહાર શુદ્ધિ વિના આત્મશુદ્ધિ ક્યાંથી સંભવે? વ્યવહાર ધર્મનિશ્ચયધર્મ સુધી પહોંચાડે છે.
અધ્યાત્મના માર્ગમાં ત્રણ પ્રકારના વિદ્ગોમાં ઉત્કૃષ્ટ વિજ્ઞ દિમોહ તુલ્ય મિથ્યાત્વ છે. તેનો વિજય મેળવવો અત્યંત કઠિન છે. મિથ્યાત્વના ઉદયથી જીવને દુઃખરૂપ, દુઃખ ફલક અને દુઃખાનુબંધી વિષયોમાં સુખનો ભ્રમ થાય છે.
જેમ મૂળ વિના શાખા પ્રશાખા ન હોય, તેમ માર્ગાનુસારીપણા (સજ્જનતા) વિના ધાર્મિક્તા ન હોય. લોહખુર ચોરમાં ભવાભિનંદી જીવનાં લક્ષણો દેખાય છે. તેને મુક્તિનો દ્વેષ હતો. તે ઓધસંજ્ઞાએ જીવનારો આત્મા હોવાથી વંશ પરંપરાગત ચોરીનો નિંદનીય વ્યાપાર છોડવા તૈયાર ના હતો. તે ચોરી કરવાના વિવિધ પેંતરા-નુસખા અજમાવતો હતો. ઓઘસંજ્ઞાએ જીવનારા લોકોમાં વિશેષ બુદ્ધિ (વિવેક) ક્યાંથી હોય?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, પદ-૮માં સંજ્ઞાના દશપ્રકાર બતાવેલ છે. (૧) આહાર સંજ્ઞા : સુધા વેદનીય કર્મના ઉદયથી આહારની અભિલાષા થવી. (૨) ભય સંજ્ઞા ભય મોહનીય કર્મના ઉદયથી જીવનમાં થતો અનેક પ્રકારના ભયનો અનુભવ થવો. (૩) મૈથુન સંજ્ઞા : વેદમોહનીય કર્મના ઉદયથી મૈથુન સેવનની ઈચ્છા થવી. (૪) પરિગ્રહ સંજ્ઞા લોભ મોહનીય કર્મના ઉદયથી પદાર્થપ્રત્યેની આસકિત, મૂચ્છથવી. (૫) ક્રોધ સંજ્ઞા : ક્રોધ મોહનીય કર્મના ઉદયથી અપ્રીતિનો ભાવ થવો. (૬) માન માન મોહનીય કર્મના ઉદયથી ગર્વ, અભિમાન, અક્કડતા થવી. () માયા માયામોહનીય કર્મના ઉદયથી છળકપટ, પ્રપંચ, છેતરવાની બુદ્ધિ થવી. (૮) લોભ સંજ્ઞા : લોભ મોહનીય કર્મના ઉદયથી પદાર્થોને સંગ્રહ કરવાની વૃત્તિ જાગવી. (૯) લોક સંજ્ઞા : મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, કર્મના ક્ષયોપશમથી લોકરૂઢિનું અનુસરણ કરવાની વૃત્તિ અને લૌકેષણા થવી. (૧૦) ઓઘ સંજ્ઞા દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિચાર્યા વિના, અજ્ઞાનદશાથી પ્રવૃત્તિ કે વૃત્તિ થવી.
આ દશ સંજ્ઞાઓમાંથી પ્રથમ આઠ સંવેગાત્મક છે. અંતિમ બે જ્ઞાનાત્મક છે. એકેન્દ્રિય આદિ અસંજ્ઞી જીવોમાં આ સંજ્ઞાઓ અવ્યક્તપણે અને સંજ્ઞી પંચેન્દ્રિયોમાં આ સંજ્ઞા વ્યક્તપણે, સ્પષ્ટરૂપે હોય છે.
નારકીમાં પ્રાયઃ ભયસંજ્ઞા અધિક છે. તિર્યંચોમાં આહાર સંજ્ઞા અધિક છે. મનુષ્યમાં મૈથુના સંજ્ઞા અધિક છે. દેવોમાં પરિગ્રહ સંજ્ઞા અધિક છે.
' લોહખુર ચોર ઓઘ સંજ્ઞાએ જીવનારો આત્મા હતો. તેનું જીવન ગતાનુગતિક હતું. તે તેના ગૃહ સંસારમાં સુખી હતો. તેની સ્વરૂપવાન સ્ત્રી હતી. જેનું નામ રોહિણી હતું. આ દંપતીની સંસારવેલ એક ફૂલથી ખિલખિલાટ હસી ઉઠી. આ વેલનું એક ફૂલ તે રોહિણેયકુમાર! નવજાત શિશુને માતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org