________________
૪૪
આંતરશત્રુઓનો વિનાશ કરવામાં તત્પર. (૩૫) પાંચ ઈન્દ્રિયોને વશમાં રાખનાર. .
અપુનબંધક આત્મા પણ માર્ગાનુસારી છે કારણકે માર્ગાનુસારી ભાવોને પ્રાપ્ત કરવામાં અપુનબંધક આદિ અવસ્થાઓ ઉપયોગી છે.
માર્ગાનુસારી આત્મામાં સંસારને પાર કરવાની જે શક્તિ છે તે માટે યોગબિંદુમાં કહ્યું છે:
જેમ અશાતાના ઉદય વિનાનો આંધળો ભયંકર જંગલમાં આવી ગયો હોવા છતાં ખાડા ટેકરાના ત્યાગપૂર્વક સારી રીતે ઈષ્ટસ્થાને પહોંચી જાય છે, તેમ સંસારરૂપી જંગલમાં પડેલો ભવ્યાત્મા શાસ્ત્ર, જ્ઞાનરૂપી ચક્ષુ ન હોવાં છતાં પાપાદિક ખોટાં આચરણનો ત્યાગ કરી (માર્ગાનુસારીની યોગ્યતાને પ્રાપ્ત થયેલો) સદ્ભાવરૂપ શાતા વેદનીય યુક્ત થઈ ભવ અટવી ઓળંગી જાય છે.”
ઉપરોક્ત બધી જ અવસ્થાઓમાં મિથ્યાત્વની મંદતા થઈ છે, પરંતુ રાગ-દ્વેષની નિબિડ ગાંઠનું ભેદન થયું નથી.
યોગદષ્ટિસમુચ્ચય'માં કહ્યું છે:
"यथाप्रवृत्तिकरणे चरमेल्पमलत्वतः ।
आसन्नग्रन्धि समस्तंजायते ह्यदं ।।। અર્થ: ચરમ (છેલ્લા) યથાપ્રવૃત્તિકરણમાં અમલપણાને કારણે જેનો ગ્રંથિભેદ નિકટ છે એવા પુરુષને આ (ગ્રંથિ) સમસ્ત નિશ્ચયે ઉપજે છે.
મિથ્યાત્વના ગાઢ અંધકારથી ઢંકાયેલી આ ગ્રંથિને અચરમાવર્તકાળના જીવો ઓળખી શકતા જ નથી. ચરમાવર્તકાળમાં પ્રવેશેલો, કર્મની લઘુતાવાળો કોઈ જીવ ગ્રંથિને પારખી શકે છે. આ કર્મની ગાંઠ વાંશની ગાંઠ જેવી દુર્ભેદ્ય છે. તે જ્યાં ભેદાય છે, તેને ‘ગ્રંથિભેદ' કહેછે.
રાગદ્વેષ અજ્ઞાનની એક મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” શ્રી હરિભદ્રસૂરિજીએ યોગબિંદુ ગ્રંથ, ગા-૨૮૦માં ગ્રંથિભેદની રસિક વાત કહી છે.
અપૂર્વકરણરૂપ તીક્ષ્ણ વજથી કોઈ મહાત્મા આ ગ્રંથીને ભેદે છે. જેમ અસાધ્ય રોગની કોઈ ઉત્તમ દવા પ્રાપ્ત થતાં રોગ કાબૂમાં આવે અને રોગીને જેવો આનંદ થાય તેવો અત્યંત તાત્ત્વિક આનંદ ગ્રંથિભેદ કરનાર મહાત્માને થાય છે. જેમ જન્માંધ વ્યક્તિને શુભપુણ્યના ઉદયથી ચશ્નનો લાભ થતાં સદ્દર્શન થાય છે, તેમ ગ્રંથિભેદ થતાં વસ્તુનું યથાર્થદર્શન થાય છે.
ચરમાવર્તકાળને પામેલા ભવ્યાત્માઓ પણ ચરમાવર્તને પામવા માત્રથી જ મોક્ષ પ્રાપ્તિ કરી શકતા નથી. મોક્ષ પ્રાપ્તિ માટે સમ્યગદર્શન, અનંતાનુબંધી કષાયોનો ક્ષય, શ્રેણી પર આરોહ, આવર્જિકરણ, સમુદ્યાત, શૈલેશીકરણ ઈત્યાદિપૂર્વકર્મ હોવાં જોઈએ. આવી આત્મશુદ્ધિ અચરમાવર્તી કાળમાં હોઈ શકતી નથી. આવા પૂર્વ કૃત્ય પણ કોઈને પૂર્વભવથી ક્રમશઃ ચાલ્યાં આવે છે અને કોઈને તે જ ભવમાં મુક્તિગમનના નજીકનાં પૂર્વ સમયમાં પણ હોય છે. આ પૂર્વ કૃત્યો પણ આત્મવીર્ય ફોરવવા રૂપ ઉધમ વિના થઈ શક્તા નથી.
અહીં સ્પષ્ટ થાય છે કે સદાચાર વિના માર્ગાનુસારીમાં પ્રવેશ ન મળે. માર્ગાનુસારીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org