SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪3 યોગબિંદુ' ગ્રંથની ૨૫૧મી ગાથામાં કહ્યું છે કે, “અપુનર્બલકની અનેક અવસ્થાઓ. હોવાથી તેમની અંતઃશુદ્ધિની તરતમતા હોવાને લીધે જુદાં જુદાં દર્શનોની મોક્ષસાધક ક્રિયાઓ તેઓમાં હોઈ શકે છે.” *અપુનર્બલક અવસ્થા પછી માભિમુખ, માર્ગપતિત અને માગનુસારી રૂપ પ્રથમ ગુણસ્થાનકની અવસ્થાઓમાં ધર્મ કહ્યો છે. અપુનબંધક ભાવમાં જેમ જેમ મનનો સંકલેશ(કષાય) ઘટતો જાય છે, તેમ તેમ જીવને ઉચ્ચ, ઉચ્ચતર અવસ્થા પ્રાપ્ત થતી જાય છે. ચિત્તની વક્રતા ટળે છે. જીવ માયાદિ શલ્યથી મુક્ત બની સરળ બનતો જાય છે. આ સરળતામાં કારણભૂત જે કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ છે તેને માર્ગ કહે છે. આવા ક્ષયોપશમ યોગ્ય માર્ગમાં પ્રવેશવા યોગ્ય ભાવ પ્રાપ્ત કરનારો જીવમાગભિમુખ' કહેવાય છે. આવા ક્ષયપશમરૂપ માર્ગમાં પ્રવેશેલો (ક્ષયોપશમની શરૂઆત થઈ ગઈ હોય તેવો) ઉત્તરોત્તરગુણવૃદ્ધિવાળો જીવ માર્ગપતિત' કહેવાય છે. એ રીતે અનુક્રમે આગળ વધતાં જે જીવને ચરમ યથાપ્રવૃત્તિકરણ પૂર્ણ કરવાની તૈયારી હોય તેને “માગનુસારી' કહેવાય છે. માર્ગાનુસારી = નીતિના માર્ગને અનુસરનાર, મનુષ્યપણાના આચારવાળો. • શ્રી હરિભદ્રસૂરિએ ગૃહસ્થના સામાન્ય ધર્મને અનુસરવા ૪૪(નિયમો) બોલ બતાવ્યાં છે. તેના પરથી શ્રી હેમચંદ્રાચાર્યે ૩૫ બોલ નિયત કર્યા છે. આ પાંત્રીસ બોલ જુદા જુદા સ્થાને દરેકે જુદા જુદા સંગ્રહ્યા છે. તેમાં સ્વમતિ અનુસાર યોગ્ય ફેરફારો છે. શ્રી હેમચંદ્રાચાર્યેયોગશાસ્ત્રમાં માર્ગાનુસારીનાપાંત્રીસબોલ દર્શાવેલ છે. માર્ગાનુસારીના આ બોલ વીતરાગતા, મુક્તતા, સાધુતા, શ્રાવકપણું, સમ્યક્ત્વ અને ગૃહસ્થાશ્રમીપણું વગેરે ઇમિક ઉચ્ચ સ્થાન પ્રાપ્તિના સોપાનરૂપ છે. (૧) ન્યાયસંપન્ન વૈભવ. (૨) શિષ્ટાચાર પ્રશંસક. (૩) સમાન કુલ અને શીલવાળા સાથે વિવાહ. (૪) પાપભીરુ. (૫) પ્રસિદ્ધ દેશાચાર પાળવા. (૬) પરનિંદાનો ત્યાગ. (૯) અતિપ્રગટ, અતિગુપ્ત કે ઘણા દ્વારવાળા આવાસોમાં ન રહે. (૮) સદાચારી સાથે સોબત. (૯) માતા-પિતાનો પૂજક. (૧૦) ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ. (૧૧) નિંદનીય કાર્યમાં ન પ્રવર્તનાર. (૧૨) આવક અનુસાર ખર્ચ કરનાર. (૧૩) સંપત્તિ અનુસાર વસ્ત્રાભૂષણ પહેરનાર. (૧૪) બુદ્ધિના આઠ ગુણોના ધારક. (૧૫) દરરોજ ધર્મ શ્રવણ કરનાર. (૧૬) અજીર્ણમાં ભોજન ત્યાગ કરનાર. (૧૦) નિયમિતપણે પથ્ય આહાર કરનાર. (૧૮) ધર્મ-અર્થ-કામ એ ત્રણેમાં વિવેકી. (૧૯) અતિથિ આદિનો પૂજક. (૨૦) સદાકાળ કદાગ્રહથી રહિત. (૨૧) ગુણોનો પક્ષપાતી. (૨૨) પ્રતિષિદ્ધ દેશ-કાળ-ચર્ચા પરિહાર. (૨૩) બલાબલનો જાણકાર. (૨૪) સદાચારી અને વિશેષજ્ઞાની પુરુષનો પૂજક. (૨૫) પોષ્યનો પોષક (સ્ત્રી-પરિવારનું પોષણ કરનાર). (૨૬) દીર્ઘદર્શી. (૨૦) વિશેષજ્ઞ. (૨૮) લોકપ્રિય. (૨૯) કૃતજ્ઞ. (૩૦) લજ્જાળુ. (૩૧) દયાળુ. (૩૨) સૌમ્ય સ્વભાવવાળો. (૩૩) પરોપકારમાં પરાયણ. (૩૪) ક્રોધાદિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy