SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ વાર નહીં બાંધે તેજીવ અપુનબંધક' કહેવાય. શ્રી હરિભદ્રસૂરિજીએ લલિતવિસ્તરા' ગ્રંથના સૂત્ર-૧૨માં અપુનર્બક જીવનાં લક્ષણો દર્શાવ્યાં છે. અપુનબંધક મહાપુરુષ ક્ષીણ પ્રાયઃ કર્મવાળો, વિશુદ્ધ-આશયી, ભવ પ્રત્યે અબહુમાન વાળો હોય છે તેથી જ અપુનબંધક અવસ્થામાં રહેલા મંદ મિથ્યાત્વી જીવોને “ધર્મસંગ્રહ' ગ્રંથમાં “ધર્મ'. કહ્યા છે કારણ કે દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી અપુનબંધક અવસ્થા પ્રગટે છે. શ્રી હરિભદ્રસૂરિ રચિત “લલિતવિસ્તરા' ગ્રંથના ચૂલિકા વ્યાખ્યાન અનુસાર *અપુનર્બલક' જીવનાં લક્ષણો નીચે પ્રમાણે છે. - (૧) પાપ મિત્રનો ત્યાગી હોય. (૨) કલ્યાણ મિત્રનો સોબતી હોય. (૩) ઔચિત્ય સેવતો હોય. (૪) લોકમાર્ગને અનુસરતો હોય. (૫) ગુરવર્ગનો બહુમાની અને તેમની આજ્ઞા અનુસરતો હોય. ૬) દાનાદિમાં પ્રવૃત્તિ કરતો હોય. (0) પ્રભુની ભક્તિ-પૂજા કરતો હોય. (૮) સાધુ-કુસાધુનો વિવેકી હોય. (૯) વિધિપૂર્વક શાસ્ત્ર શ્રવણ કરતો હોય. (૧૦) પ્રયત્નપૂર્વક શાસ્ત્રોનું ચિંતન કરતો હોય. (૧૧) યથાશક્તિ શાસ્ત્રાનુકૂળ વર્તન કરતો હોય. (૧૨) ધૈર્યવાળો હોય. (૧૩) ભાવિના પરિણામનો વિચાર કરતો હોય. (૧૪) મૃત્યુને આંખ સામે રાખી પરલોકની સાધના કરતો હોય. (૧૫) ગુરુવર્યની સેવા કરતો હોય. (૧૬) અરિહંતાદિ પંચ પરમપદના સ્વરૂપનું ધ્યાન કરતો હોય. (૧૦) યોગસાધનામાં વિક્ષેપ થાય તેવાં કાર્યનો ત્યાગી હોય. (૧૮) જ્ઞાનાદિ યોગ સિદ્ધમાં તત્પર હોય. (૧૯) જિનમૂર્તિ ભરાવતો હોય. (૨૦) જિનાગમ લખાવતો હોય. (૨૧) નમસ્કાર મહામંત્રાદિનો માંગલિક જાપ કરતો હોય. (૨૨) ચાર શરણ ગ્રહણ કરતો હોય. (૨૩) દુષ્કૃત્યની ગર્તા અને સુકૃત્યની અનુમોદના કરતો હોય. (૨૪) સદાચારનું શ્રવણ કરતો હોય. (૨૫) ઉદાર હોય. (૨૬) ઉત્તમ પુરુષોના આચારોને અનુસરતો હોય. સાંખ્યદર્શન અનુસાર તામસી આદિ પ્રકૃતિનો અધિકાર આત્મા પરથી દૂર ન થાય ત્યાં સુધી (અપુનબંધક) અવસ્થા પ્રગટતી નથી. બૌદ્ધો કહે છે, જ્યાં સુધી ભવનો પરિપાક થતો નથી ત્યાં સુધી (અપુનબંધક) દશા પ્રાપ્ત થતી નથી. જૈનદર્શન અનુસાર મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનો નથી, એવી જે જીવાત્મામાં યોગ્યતા જાગે છે, તે આત્માની સઘળી પ્રવૃત્તિ ઉત્તમ છે. અપુનબંધક આદિ અવસ્થાઓમાં ધર્મનો પ્રારંભ થાય છે તેથી અપુનબંધક જીવને આદિ ધાર્મિક' કહેવામાં આવે છે. તેવા જીવો ધર્મ સામગ્રી મળે, જિનવાણી સાંભળવા મળે તો ઝીલી શકે છે. અહીં તેનો પુરુષાર્થ સફળ બની શકે છે. આદિ ધાર્મિક જીવ જૈન દર્શનાનુયાયી જ હોય તેવો નિયમ નથી. તે ગમે તે દર્શનનો હોઈ શકે. મિથ્યાત્વની મંદતાને કારણે તેના અંતરમાંથી રાગ-દ્વેષની તીવ્રતા તૂટી ગઈ હોય છે, તેથી તેને આદિ ધાર્મિક' કહી શકાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy