SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પામે છે અને પ્રવૃત્તિની પ્રાપ્તિ થાય છે. પઢિપાર કહાં પાવનો? મિટયો નમનકો ચાર; ન્યું કહ્યું કે બેલકું, ઘર હી કોસ હજાર.” અર્થ: મનની દોડાદોડ અટકે નહીં ત્યાં સુધી ભવનો અંત ન આવે. મનના ઉડ્ડયન રોક્યા વિના દિનરાત ભમ્યાથી શું સરે? આવી ગતિતો ઘાંચીના બળદની છે. એની આંખે ભ્રમણાનો પાટો બાંધેલા છે, તે માને છે કે હું હજારો માઈલ ચાલ્યો પણ પાટો ખૂલતાંજ ભ્રમ તૂટી જાય છે. તે જુએ છે કે એજ અંધારી ઓરડી ને એજ ઘાણી!તસુભરપણ પ્રગતિ નહિ! ઓઘદષ્ટિમાં રહેલા જીવો ઘાંચીના બળદ જેવા છે. તેમની આધ્યાત્મ માર્ગે તસુભાર પણ પ્રગતિ થતી નથી. તેઓ ભલે મિથ્યાત્વ નામના પ્રથમ ગુણસ્થાનકે છે પરંતુ મિથ્યાત્વની અનેક અવસ્થાઓમાં અત્યંત નીચલી કક્ષાના, ગાઢ મિથ્યાત્વી જીવો હોવાથી તેમની ગણના યોગદષ્ટિ'માં કરી નથી. અપુનબંધક અવસ્થાની પૂર્વેની મિથ્યાત્વ અવસ્થાની જે અજ્ઞાન અવસ્થા છે, જેમાં જીવની વિપરીત-અવળી દષ્ટિ છે. જેમાં જીવ સંસારમાં રચ્યોપચ્યો રહે છે. એ ઓઘદષ્ટિ છે. તે જીવ સ્કૂલ સામાન્ય દષ્ટિથી ફાળપ્રવાહમાં કર્મવશ ભવ્યતાનુસારે પ્રવાહિત થતો રહે છે. દરેક પુદ્ગલ પરાવર્તનમાં ભાવમલ ક્ષીણ થાય છે પરંતુ અચરમાવર્ત કાળમાં તે નહીંવત્ હોય છે. ચરમાવર્તકાળમાં ભાવમલની ક્ષીણતા પ્રચુર પ્રમાણમાં થાય છે. અચરમાવર્ત કાળમાં જીવનું ચૈતન્ય અવિકસિત છે. જેમ નવજાત શિશુનું ચૈતન્ય અવિકસિત હોવાથી તે વિશિષ્ટ કાર્ય કરી શકે નહીં, તેમ અચરમાવર્ત કાળનો જીવ અવ્યક્ત ચેતનાવાળો હોવાથી કોઈ મોટું કાર્ય સાધી ન શકે. ત્યાં કાળ અપ્રતિબંધક હોવાથી પુરુષાર્થ ફળતો નથી. શ્રી મોહનવિજયજી મ. બદષભદેવ ભગવાનના જીવન માં ગાયું છેઃ " “પણ ભવસ્થિતિ પરિપક્વ થયા વિણ, કોઈન મુક્તિ જાવે.”(સ્વાધ્યાય સંચય : પૃ.૨૩૫) - વ્યવહારરાશિમાં પણ કાળની પ્રતિબંધકતા હોવાથી અનંતાનંત કાળ રખડી જ્યારે કાળની સાનુકૂળતા થાય ત્યારે જીવ ચરમાવર્તકાળમાં પ્રવેશે છે. આ ચરમાવર્તકાળને બૌદ્ધો “બોધિસત્વ' કહે છે. સાંખ્યદર્શની તેને નિવૃત્તિપ્રકૃત્યાધિકાર' કહે છે અને અન્ય દર્શની શિષ્ટ' કહે છે. ચરમાવર્તકાળમાં આવ્યા પછી જ ભવાભિનંદપણું હટે છે. તેનો ભાવમલ મશઃ ઘટતો જાય છે. ચરમાવર્ત કાળની વિવિધ અવસ્થાઓ: જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોમાંથી સૌથી વધુ સ્થિતિ મોહનીય કર્મની છે. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) સ્થિતિ ૦૦ ક્રોડાકોડી સાગરોપમની છે, જ્યાં મિથ્યાત્વની તીવ્રતા છે. ચરમાવર્તમાં પ્રવેશેલા કેટલાક જીવો મિથ્યાત્વભાવ મંદ થતાં હજુ ભવિષ્યમાં સમગ્ર સંસારકાળમાં બે વાર મોહનીય કર્મની ૦૦ ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાવવાની સંભાવના હોય તેવા જીવોને સકૃબંધન' કહેવાય છે. “જે જીવો હવે સમગ્ર સંસારકાળમાં ઉત્કૃષ્ટ ૦૦ ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિ એક પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy