SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ પૂ.ઉ. શ્રી માનવિજયજી અજિતનાથ ભગવાનના સ્તવનમાં ગાય છે બાળકાળમાં વાર અનંતી, સામગ્રીએ નવિ જાગ્યો; યૌવનકાળે તે રસ ચાખ્યો, તું સમરથ પ્રભુમાગ્યો;” હે પ્રભુજી!અચરમાવર્ત કાળ એ ધર્મનો બાલ્યકાળ હોવાથી ભવાંતરમાં જિનધર્મ, જિનદેવ અને સદ્ગરનો સંગ મળવા છતાં ધર્મ પુરુષાર્થન કરી શક્યો. ચરમાવર્ત કાળ એ ધર્મનો ચૌવન કાળ’ છે. તે કાળમાં પ્રવેશતાં સામગ્રીઓની સુલભતાથી ધર્મનો રસ ચાખ્યો છે. અવ્યવહારરાશિનો અનંતકાળ તેમજ વ્યવહારરાશિમાં પણ છેલ્લા (ચરમ) પુદ્ગલા પરાવર્તન ન પહોંચે તે પૂર્વનો સઘળો કાળ તેને અચરમાવર્ત કાળ કહ્યો છે. આ કાળમાં વર્તતા જીવો ભવાભિનંદી જીવો છે. તેઓ ચારે ગતિને ચોર્યાશી લાખ જીવાયોનિમાં રખડતાં રખડતાં દુઃખને પ્રાપ્ત કરે છે. મોક્ષ માટેની આવી અધિકારશૂન્ય દશા તે દુર્ભવ્યદશા છે. તેવી દશાને ગીતાકાર નષ્ટ અચેતના વાળા' કહે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં જીવોની આવી અવદશાનું કારણ બતાવતાં કહ્યું છે? __ "कम्म संगेहिं सम्मूढाक्खिया बहुवेयणा । अमाणुसासुजोणीसु, विणिहम्मंति पाणिणो ।। અર્થ: કર્મોના સંગથી અતિમૂઢ, દુઃખિત અને અત્યંત વેદનાથી યુક્ત જીવો મનુષ્યત્તરયોનિઓમાં જન્મ લઈ પુનઃ પુનઃ ત્રાસ પામી દુઃખી થતાં રહે છે. ફરી ફરી જન્મ મરણનું કારણ દર્શાવતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે: "रागोय दोसो विय कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयंति। ' कम्मंचजाईमरणस्स मूलं, दुक्खं चजाईमरणं वयंति।। અર્થઃ રાગ-દ્વેષ કર્મનાં બીજ છે. કર્મમોહથી ઉત્પન્ન થાય છે. તે કર્મ, જન્મ અને મરણનું મૂળ છે. જન્મ-મરણતે જ દુઃખ છે, એવું જ્ઞાની પુરુષો કહે છે. જ્યાં સુધી અસત્ પ્રવૃત્તિનો વ્યાઘાત ન થાય ત્યાં સુધી સત્ પ્રવૃત્તિ પમાડનારો બોધ થતો નથી. અમાવાસ્યાની કાળી ડિબાંગ મેઘલી રાતના ગાઢ અંધકાર જેવો મિથ્યાત્વ છે. અચરમાવર્તી કાળમાં તેનો અભુત પ્રભાવ જીવાત્મા પર રહે છે તેથી તેમને અંશ માત્ર ધર્મની શ્રદ્ધા હોતી નથી. શ્રી કનકસોમમુનિ ‘ગુણસ્થાનક વિવરણ ચોપાઈ'માં કહે છે: “મોહની મદિરાપાન હુંતી હિત અહિત જાનઈનહીં અક્ષર અનંતો ભાગ પ્રગટિઉતણ ગુણઠાણઈ સહી"...૬ અર્થ: મોહરૂપી મદિરાપાન કરેલા પોતાનું હિત-અહિત કાંઈ જાણતા નથી. અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન (નિગોદમાં) ત્યાં ખુલ્લું હોવાથી તે સ્થાનને ગુણસ્થાનક કહેવાય છે. ‘ચોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિજી મ. અચરમાવર્ત કાળના મહામિથ્યાત્વી જીવોની ‘ઓઘદષ્ટિમાં ગણના કરે છે. તેવા જીવોને યોગદષ્ટિ પ્રાપ્ત થતી નથી. "યોગદષ્ટિ એટલે સમ્યફ શ્રદ્ધા સાથેનો અવબોધ. આ અવબોધથી અસત પ્રવૃત્તિઓ નાશ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy