________________
૩૧
થઈ શકતો નથી. જે કર્મ બાંધે છે તે જ કર્મભોગવે છે.”
ગોસ્વામી તુલસીદાસજી“રામાયણ'માં કહે છે?
કર્યપ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈતો તસ ફલ ચાખઈ”
સુલસે કુળ પરંપરાગત પાપનો ધંધો ત્યાગ કર્યો. વળી, શ્રાવકના સાતમા વ્રતમાં કહ્યું છે કે, વિપુલ કર્મોની આવક આવે તેવા પાપકારી વ્યવસાયો શ્રાવકને ત્યાજ્ય છે. શિકારઃ
શિકારમાં હિંસાનો સમાવેશ થાય છે. જ્યાં પ્રાણનો વ્યતીપાત છે ત્યાં હિંસા છે. શિકાર હિંસાનું જ રૂપ છે. હિંસા એ અધર્મ છે.
હિંસાની વ્યાખ્યા કરતાં વાચક ઉમાસ્વાતિજી શ્રી તત્ત્વાર્થાધિગમ' સૂત્ર, અ.૦/૮માં કહે છે:
प्रमत्तयोगात्प्राणव्यपरोपणं हिंसा।
અસાવધાની પૂર્વક હરતાં-ફરતાં, ઉઠતાં-બેસતાં પ્રમાદથી જીવોની ઘાત થાય છે. અસત્ય વાણી અને વર્તનથી બીજાને આઘાત પહોંચે છે તેથી તેવું વર્તન હિંસામાં સમાયેલું છે.
હિંસક વૃત્તિનો માનવ આર્વિભાવ તો જુઓ! અમેરિકાના પ્રમુખ આઈઝન હોવેરે “ક્લીન બોંબ'ની હિમાયત કરી. આ બૉબ માણસનું અસ્તિત્વ જ નાબૂદ કરી નાખે છે. આ પછી લેસર કિરણોના ઉપયોગથી ‘સ્માર્ટબૉબ શોધાયો, જેમાં જીવંત ચેતના જ નાબૂદ થાય છે. આજે ત્રીસ હજાર જેટલાં આવિક શસ્ત્રો માનવ સંહાર માટે ઉપલબ્ધ છે. માનવી એવો ઘાતકી બની ગયો કે બીજાનાં પ્રાણ લેતાં તેનું રૂવાડુંપણ ફરકતું નથી. ખેર તેનાં પરિણામથી તે અનભિજ્ઞ છે. - આદિ કાળથી ભગવાન કષભદેવના સમયથી અહિંસાના સિદ્ધાંતને સર્વોપરી સ્થાન મળ્યું છે. આ વિશ્વમાં હિંસાને ઠારવા પરમાત્મા મહાવીરે કહ્યું છે, સવ નીવાવ રૂદ્ઘતિ નીવિડં ન મરિMિJI સર્વ જીવો જીવવાને ઈચ્છે છે, કોઈ મૃત્યુને ઈચ્છતું નથી. પરમાત્માનું આ અનુપમ સૂત્ર જગતનાં તમામ જીવો પ્રત્યે મૈત્રીભાવ અને સાધર્મિકતા ઉત્પન્ન કરાવે છે. જ્ઞાન, દર્શન, અનંત સુખ અને વીર્ય સર્વ જીવોમાં સમાન છે તેથી સર્વ જીવો એક જ પરિવારના છે. આવો વિચાર સર્વ જીવો પ્રત્યે અહિંસક ભાવ ઉત્પન્ન કરે છે. પ્રભુ મહાવીર અહિંસાને સવ્વમૂયમવરી અર્થાસર્વજીવોનું મંગળ કરનારી કહે છે.
શિકારના વ્યસનથી મહારાજા શ્રેણિકથી છૂટેલું તીર એક ગર્ભવતી હરણીના પેટની આરપાર નીકળી ગયું. એક તીરથી બે જીવોની હત્યા!પોતાના બળનું અભિમાન, પાપની પ્રશંસા અને હિંસાની અનુમોદનાથી કર્મનિકાચિત બન્યું. એક શિકારના વ્યસને તેઓ નરકગતિમાં સરક્યા.
કોટિ ઉપાયે કર્મના, ફળ મિથ્યા નહિ થાય; સમજી સરધી સત્ય આ, કૃત્ય કરો પછી ભાઈ.”
હરિવંશ કુળના યુગલિકો સપ્ત વ્યસનના સેવનથી દેવગતિનું નિવારણ કરી નરકગતિમાં પહોંચ્યા!આ એક અચ્છેરું કહેવાય. વ્યસનો કેવાં ભયાનક છે! - અહિંસા દ્વારા વિશ્વમૈત્રી અને વિશ્વશાંતિની સ્થાપના સુગમ બને છે. આ વિશ્વમાં મેરૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org