SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ અર્થ: લોકમાં જેટલાં પ્રાણી છે, જીવ છે, સત્ત્વ છે તેમને ન મારવા જોઈએ, ન તેમને પૂરવાં જોઈએ, ન તેમને સજા કરવી જોઈએ, ન તેમને પરાધીન કરવા જોઈએ, ન કોઈ પ્રકારનો ઉપદ્રવ આપી સંતાપ પહોંચાડવો જોઈએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના પાંચમા અને ઓગણીસમા અધ્યયનમાં તથા શ્રી ઠાણાંગ સૂત્રમાં માંસભક્ષીને અજ્ઞાની' કહ્યાં છે તેમજ તેમને નરકગામી દર્શાવેલ છે. ઉત્સર્પિણી કાળનો પ્રથમ આરો એકવીસ હજાર વર્ષનો હશે. તે પૂર્ણ થતાં બીજો આરો બેસશે. તે પણ એકવીસ હજાર વર્ષનો હશે. આ આરો પ્રારંભ થતાં બધી અશુભતાઓ દૂર થાય તે માટે પ્રારંભમાં સાત સાત દિવસ સુધી પાંચ પ્રકારના મેઘ પાંત્રીસ દિવસ સુધી વરસશે. ૧) પુષ્પરાવર્ત મેઘ વરસતાં ઉષ્ણતા દૂર થશે. વાતાવરણમાં ઠંડક પ્રસરશે. ૨) દૂધ જેવુંક્ષીર મેઘ વરસતાં શુભ વર્ણ, ગંધ, રસ થશે. ૩) ઘી જેવુંવૃત મેઘ વરસતાં ધરતીની સરસાઈ (ફળદ્રુપતા) અધિક વધશે. ૪) અમૃત મેઘ જેવું સફેદ પાણી વરસતાં બીજ, વનસ્પતિ ઉગશે. ૫) રસ મેઘ વરસતાં વનસ્પતિ, પૃથ્વી રસમય બનશે. ગુફામાંથી બહાર નીકળી માનવ પુષ્પ, ફળ આદિ જોઈ સૌ પ્રથમ માંસાહાર ન કરવાનો નિશ્ચય કરશે. મનુષ્યની સ્વાભાવિક મનોવૃત્તિ શાકાહારી છે. માંસાહાર એ પાશવિક વૃત્તિને પ્રોત્સાહિત કરે છે. વૈજ્ઞાનિક મત અનુસાર આહારથી પોષાતાં બ્યુરોટ્રાન્સમીટર આપણાં આચાર-વિચારને પ્રભાવિત કરે છે. માંસાહારી વ્યક્તિને કેન્સર, હદયરોગ, અકાળે વૃદ્ધત્વ આવે છે. તે વિવેકબુદ્ધિનો નાશ કરે છે. વળી, એક વ્યસન અનેકવ્યસનોને ખેંચી લાવે છે. મહાશતક શ્રાવકની પત્ની રેવતી માંસભક્ષણમાં લુબ્ધ બની. માંસ સાથે તેને દારૂની લતા લાગી. તે દારૂ, મેરક, મધ નામની મદિરાનાં સેવનથી ઉન્મત્ત બની. તેના ચિત્તમાં કામભમર ગુંજારવા કરવા લાગ્યો. તેણે વિવેક ગુમાવી પૌષધશાળામાં પૌષધ કરી રહેલા ધર્માત્મા મહાશતક શ્રાવક પાસે વિષયભોગોની માંગણી કરી. એટલું જ નહીં વિષયાંધ બનેલી રેવતીએ પોતાની બાર શોક્યોનું નિષ્ફર બની નિકંદન કાઢયું. આખરે તે નરકગામી બની. તુલસીદાસજી તેથી જ કહે છે કેઃ ' “જહાં કામ તહાં રામ નહિ, જહાં રામ તહાં નહિ કામ; તુલસી !દોનું ના રહે, રામ કામ ઈકઠામ.” - અયોધ્યાના નઘુષ રાજાનો પુત્ર સોદાસ સંસ્કારી હતો પરંતુ કુમિત્રોના સંગથી માંસાહારી બન્યો, સમય જતાં તે નરભક્ષી બન્યો. મંત્રીઓએ તેને દેશનિકાલ કર્યો. હવે તે અરણ્યમાં ખુલ્લી તલવાર લઈ ઘૂમવા લાગ્યો. બાળક તથા કિશોરને જોતાં જ તેને કાચોખાઈ જતો. અમાનુષી કાર્યો કરી પાપના ઓથાર નીચે તેનો આત્મા ભીંસાતો રહ્યો. તેણે રાજ્ય, પરિવાર, સંપત્તિ, માન-પાન સર્વસ્વ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy