SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ સમયે અવસ્થાપિની વિદ્યાના બળે તેણે લોકોને નિદ્રાધીન કર્યા; તેમ રૂપખુરા ચોરે દત્ત શ્રેષ્ઠીને ત્યાં ખાતર પાડતી વેળાએ તે જ વિદ્યાનો પ્રયોગ કર્યો. રૂપખુરાનો પુત્ર લોહખુર ચોરી કરવામાં નિપુણ હતો. તે ચોરી કરવા પૂર્વે લોકોને ચેતવણી આપી ચોરી કરતો હતો. રૂપપરિવર્તન અને અદશ્ય વિદ્યાના યોગથી કોઈ તેને પકડી શકતા ન હતા. તેનો ચહેરો વિકરાળ, અવાજ ભયાનક, આંખ જુઓ તો જાણે નીતરતી દાવાનળ! તેના વ્યક્તિત્વમાં શૈતાનિયતની ઝલક હતી. રાજગૃહી નગરીના પ્રજાજનો નિષ્ફર ચોરથી ભયભીત હતા. પાપી લોહખુરનું જીવન આસુરી વૃત્તિઓનું પ્રતીક હતું. તેનું ઐયાશી જીવન સાત મહાવ્યસનોથી ઘેરાયેલું હતું. શ્રી સ્થાનાંગસૂત્ર', સ્થાન-૧૦, સૂ.૮માં કહ્યું છેઃ ઉધમે ઘમસરા, ઘને ઘક્સસરા અર્થાત્ અજ્ઞાનથી ઢંકાયેલી બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે. જ્યાં અધર્મ છે ત્યાં નાસ્તિકતા છે. “મળ્યું છે તેને ભોગવી લો, કાલ કોણે દીઠી છે?' આ વૃત્તિઓને કારણે પાંચ ઈન્દ્રિયો ઉન્મત્ત બને છે. તેવા વ્યક્તિઓના જીવનમાં પ્રાયઃ સાત વ્યસનો જોવા મળે છે. • વ્યસનોઃ માનવી વિવિધ કારણોસર વ્યસનોની ગુલામી સ્વીકારે છે. ભયભીત રહેવાની વૃત્તિ, સચ્ચાઈ સાથે વંચના કરવાની આદત, ભૂતકાળના બિનજરૂરી બોજને મનમાં ઊંચકીને જીવવાની : આદત, અતૃપ્ત કામનાઓ અને મહેચ્છાઓથી વ્યથિત થવાની વૃત્તિ દુર્ગુણોના મૂળમાં હોય છે. વ્યસન શરીરને નિર્બળ, મનને મજબૂર અને આર્થિક રીતે નિર્ધન બનાવે છે. માનવી વ્યસનની ગુલામી સ્વીકારી ખર્ચાળ બની ‘દેવાદાર' બની પંકાય છે. • ક્યારેક વ્યસન સમાજમાં “ફેશન' અને મોભાયુક્ત સ્થાન પામે છે. જેમકે જન્માષ્ટમીના જુગાર રમવો, ધુળેટીમાં ભાંગ(દારૂ) પીવી. આવી રૂઢિચુસ્તતા સમાજને પછાત રાખે છે. અતાર્કિક કે અહિતકર પ્રથાનો અસ્વીકાર કરવાથી કુટુંબ, સમાજ અને રાષ્ટ્રની પ્રગતિ થઈ શકે છે. ધર્મશાસ્ત્રોમાં કુવ્યસનોનો ઉલ્લેખ જોવા મળે છે. ___द्यतुंच मांस च सुरा च वेश्या, पापद्विचोर्ये परदारसेवा । सप्तानितानि व्यसनानि लोके घोरातिघोरं नरकं नयन्ति ।। - અર્થ: જુગાર, માંસ, દારૂ, વેશ્યાગમન, શિકાર, ચોરી અને પરસ્ત્રીગમન; આ સાત મહાવ્યસનો છે. જે જીવાત્માને ભયંકર પાપકર્મો વધારી નરકમાં ખેંચી જાય છે. કુવ્યસનો ફણિધર નાગ સમાન છે. ડોલતા નાગની સુંદરતા જોઈ કોઇ મૂઢ વ્યક્તિ તેને ભેટવા જાય તો તેનું મૃત્યુ થાય છે, તેમ વ્યસનો ભલે બહારથી સુંદર દેખાતાં હોય છતાં અત્યંત દુઃખમયા . છે. કુવ્યસનો અધોગમનની નિશાની છે. જેમાં જીવાત્મા સ્વને ભૂલી પ્રમાદની પથારીમાં પોઢી જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy