SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ બાળકની જન્મકુંડલી બનાવવા (વરતાવઈ કાઢવા ) ઘણા પીઢ (અનુભવી) પંડિતો ત્યાં બેઠા. જન્મકુંડલી લખવાના પાટલાને લાવી ઝીંકથી ઝગઝગાયમાન કર્યા. તેમણે મન કેન્દ્રિત કરી લગ્ન માંડ્યા. ...૨૫ ત્યારપછી બાર ભુવન જે તન, ધનુ, ભ્રાતૃભુવન અને ચોથું સુખભુવન, પુત્ર, રિપુ, સાતમું સ્ત્રીભુવન તેમજ આઠમું મૃત્યુભુવન કહું છું. ...૨૬ ધર્મ, કર્મ, લાભ તે અગિયારમું અને બારમું વ્યય ભુવન છે. આ બારે ભુવનના સ્વામી અર્થાત બારે લગ્ન લખવા માટે બાર પાટલા માંડ્યા. ...૨૦ વળી, તેમણે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ એમ નવ ગ્રહોને કાગળ પર માંડ્યા (લખ્યા). તેઓ એક ખાનામાં લખતા અને બીજા ખાનામાં ભુસતા. આ રીતે તેમણે કુંડલી બનાવી. ...૨૮ લોહખુરાએ પંડિતોની આવી હરકત જોઈ નવાઈ પામી પૂછ્યું, “તમે બોલતા કેમ નથી? શું વારંવાર ભુસો છો અને લખો છો ? ચોરનો દીકરો ચોર જ થશે તે હું જાણું છું. હું તમને સાચી વાત કરું ...૨૯ ત્યારે પંડિતોએ ડરતાં ડરતાં કહ્યું “આ બાળક ભવિષ્યમાં મોટો ધર્મિષ્ઠ થશે. તે જિનેશ્વર દેવના હસ્તે દીક્ષિત થશે. મોટા મોટા મહાન રાજાઓ પણ તેના ચરણે નમસ્કાર કરશે.” ...૩૦ ' લોહખુર ચોરે પંડિતો પાસેથી બાળકનું ભવિષ્ય જાણ્યું. પંડિતોને વિદાય આપતાં તેમને ઘણું ધન આપી સમ્માનિત કર્યા. રોહિણેયકુમાર બીજના ચંદ્રની પેઠે પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. ....૩૧ પ્રસ્તુત ચોપાઈમાં રાસનાયક સહિત તેની પાંચ પેઢીના પૂર્વજોનો કવિ પરિચય આપે છે. તેમાં કેટલીક વિશેષતાઓ દષ્ટિગોચર થાય છે. જેમ ભારતીય ગ્રામીણ લોકજીવનમાં પરાપૂર્વથી ખેતીવાડીનો વ્યવસાય વણાયેલો છે, તેમ રાસનાયકના વંશજોમાં ચોરીનો વ્યવસાય વણાયેલો છે. તેઓ નિમ્ન જ્ઞાતિના છે. કેટલીક જ્ઞાતિઓ ચોર હોય છે. ગુજરાતી સાહિત્ય જગતનાં પ્રસિદ્ધ લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા' નામના જગવિખ્યાત ગ્રંથમાં પાટણવાડીયા' નામની હલકી કોમની વાત કરી છે, જે ગુજરાત રાજ્યમાં વસે છે. જેમનું કાર્ય ચોરીનું છે, તેવી જ રીતે મહારાષ્ટ્રમાં ‘ફાસેપારધી’ નામની નિમ્ન જ્ઞાતિ છે, જેમનું મુખ્ય કાર્ય લૂંટફાટ કરી જીવન ગુજરાન ચલાવવાનું છે. આવી હલકી જ્ઞાતિના લોકોની વસાહત ગામથી દૂર અથવા અલગ પોળમાં હોય છે. મુંબઈ જેવા શહેરોમાં પણ “હરિજન” અને “રૂપજીવિઓ' જેવા હલકી કોમના લોકોની વસાહત સભ્ય કેભદ્ર સમાજથી છેટી એક અલાયદી પોળમાં જ હોય છે. રત્નખુર આદિ ચોરોની જમાત મગધદેશની રાજગૃહી નગરીને ઘેરીને રહેલા વૈભારગિરિ પર્વત, તેની વિશાળ ગુફામાં વસેલી હતી. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં રાજગૃહી નગરીમાં જ્યારે મહારાજા પ્રસેનજિતનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy