________________
૧૫
વિજ્ઞોપાસના અને શાબ્દિક દેહની માગણી કરે છે.
રત્નાકરના પેટાળમાં અનેક અમૂલ્ય રત્નો ભર્યા છે, તેમ જિનશાસનના પેટાળમાં અનેક મહાપુરુષો ધરબાયેલાં છે. અનેક રત્નોમાંથી એકરત્ન ચૂંટી કવિ કાષભદાસ તેની કથા કહે છે.
જૈનોના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના સમયમાં વિદ્યમાન રોહિણેય. કુમારની કથા કવિએ પ્રસ્તુત રાસમાં કંડારી છે. પ્રસ્તુત કથા દ્વારા કવિ જિનવાણીનું માહાસ્ય દર્શાવવા માંગે છે. જિનવાણી મોક્ષની મહાનિધિ પ્રાપ્ત કરાવે છે. આ સુવિચાર-મહાસૂત્રને કવિ પ્રસ્તુત રાસ દ્વારા સિદ્ધ કરે છે. અન્ય કૃતિઓઃ
પ્રસિદ્ધ રોહિણેય કથા વિષે મધ્યકાલીન કવિઓ દ્વારા નાટક અને રાસ પણ આલેખાયાં છે. ૧૨ મી સદીમાં ‘પ્રબુદ્ધ રોહિણેયમ પ્રબંધ (જાગી ઉઠેલો રોહિણેય) નામની સંસ્કૃત નાટિકા રચાઈ છે. જેના રચયિત પ્રખરવાદી શ્રી દેવસૂરિજીના શિષ્ય શ્રી જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્રમુનિ છે. ચૌહાણ વંશના ખ્યાતિ પ્રાપ્ત દાનેશ્વરી અને જૈનશાસનની પ્રભાવના કરનારા યશોવર અને અજયપાલ નામના બે શ્રાવક બંધુઓએ પ્રથમ તીર્થકરયુગાધિદેવ શ્રી આદિનાથ ભગવાનનું જાલોરમાં ભવ્ય ચૈત્ય નિર્માણ કરાવ્યું. આ ચૈત્યની વર્ષગાંઠના ઉત્સવ પ્રસંગે અવનવા રસોથી છલકતા આ નાટકનું મંચન કરવામાં આવ્યું હતું.
આ સંસ્કૃત નાટિકાનો મધુર અને રસાળ ગુજરાતી અનુવાદ મુનિ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજે કર્યો છે. આ રસાત્મક રૂપક છ અંકમાં પથરાયેલું છે. તેમાં પ્રહસન(હાસ્યરસ પ્રધાન નાટક), નૃત્ય, મનભાવન સંવાદ અને રસિક વાર્તાલાપ આદિનો સમાવેશ થયો છે. આ અદ્ભુત કથાવસ્તુ જૈન ધર્મની હોવા છતાં કથાની રસમયતા અને નાટકની કલાત્મકતા સંપૂર્ણપણે જળવાઈ રહી છે.
કવિ રામભદ્રમુનિએ કથા પ્રસંગોનું આકર્ષક રીતે નિરૂપણ કર્યું છે. દેવભૂમિ, • ગિરિગુફાઓ, વસંતોત્સવ, ન્યાયાલય, સમવસરણ જેવાં તેમનાં નાટય દશ્યો અત્યંત મનોહર અને રસપ્રદ છે.
પ્રસ્તુત રાસમાં કવિ બહષભદાસે રાસનાયકના પૂર્વજોનો પરિચય, રોહિણેયકુમારની જન્મકુંડલી, તેની વિવિધ વિદ્યાઓ, તેની શૂરવીરતા, કોટવાલની ફજેતી, સમવસરણ, ભગવાન મહાવીરની મનુષ્ય જન્મની દુર્લભતા બતાવતી દેશના, દેવભવ વિશેની વિશદ માહિતી, રોહિણેયનું હદયપરિવર્તન, નગરજનો, રાજા અને માતા પાસે ક્ષમા માંગી દીક્ષાની અનુમતિ માંગતો રાસનાયક, સંયમ અને તપની સાધના જેવા કથા પ્રસંગોની ફૂલગુંથણી ખૂબ જ નિપુણતાપૂર્વક કરી છે. જેથી કથા અત્યંત રસપ્રદ બની છે.
આ રસપ્રદ નાટકની કથાવસ્તુનું કેન્દ્રબિંદુ રોહિણેયકુમારનું જિનવાણીના કારણે થતું હદયપરિવર્તન છે તેમજ ભગવાનની વાણીનો મહિમા વર્ણવવાનો છે.
આ કથાઘટક જૈનધર્મની પરંપરામાં પ્રચલિત છે. તેનો ઉલ્લેખ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત શિ.શ.પુ.ચ. ભા.૧૦, સર્ગ ૧૦ અને યોગશાસ્ત્ર ગ્રંથમાં છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org