________________
૧૬
संबन्ध्यपि निगृहोत चौर्यान्मण्डिकवन्नृपैः।
વોરોપિલેવાવીર્ય સ્વાસ્વમાહિmયવત્ II(યોગશાસ્ત્ર, ગા. ૨૮૬) અર્થઃ ચોરી કરવાથી સંબંધ પણ મંડિકકુમારની જેમ રાજા વડે પકડાય છે તથા ચોર પણ ચોરીનો ત્યાગ કરે તો રોહિણેયકુમારની જેમ સ્વર્ગને પામે છે.
પ્રસ્તુત કથા જૈન આબોહવામાં પ્રચલિત હશે તેથી તેને નાટ્યાત્મક સ્વરૂપ આપી રામભદ્રમુનિએ રસપ્રદ પ્રકરણ-રૂપક-નાટક સર્જયુ છે.
વળી, આ પ્રશિષ્ટ સંસ્કૃત નાટકની મહેક મધ્યકાલીન કવિઓમાં આમોદ પ્રસરાવી રહી હોવાથી કથાનકના આધારે શ્રાવક કવિ દેપાલે (ઈ.સ. ૧૫૦૧ થી ૧૫૩૪), કવિ વિનયસમુદ્ર (ઈ.સ. ૧૫૪૦ થી ૧૫૦૦), વિજયસેનસૂરિના શિષ્ય સાધુકવિ કનકકુશલે (ઈ.સ. ૧૫૬૦) તેમજ કવિ જ્ઞાનસાગરે (ઈ.સ. ૧૯૧૬) રોહિણેય રાસકૃતિની રચના કરી છે. ઉપરોક્ત માહિતી પરથી કહી શકાયા કે મધ્યકાલીન જૈન સાધુ કવિઓએ પ્રચલિત અને પ્રિયકથાને પોતાની રાસકૃતિનો વિષય બનાવી તેનો ઉપદેશાત્મક રૂપે ઉપયોગ કર્યો છે.
કાર્સેદ્રગચ્છનાં દેવચંદ્રસૂરિનાં શિષ્ય ઉપાધ્યાય દેવમૂર્તિ રચિત સંસ્કૃત હસ્તપ્રત-રૌહિણેય કથા; જે ગીતાર્થ ગંગા જ્ઞાન ભંડારમાંથી મેળવી છે. જે ૪૦૦ કડીઓમાં પથરાયેલી છે. તેમાં કેટલીક વિશેષતાઓ દર્શાવેલી છે. તેમજ પ્રસંગોપાત ગુફાનું વર્ણન, રોહિણેયકુમારની વિવિધ પ્રકારની વિધાઓ, ચોરી કરવાની કુશળતા આદિ વર્ણનોને કવિ દેવમૂર્તિજીએ સુરેખ રીતે વર્ણવ્યા છે. આ
આ સંસ્કૃત હસ્તપ્રતની એક વિશેષતા એ છે કે અહીંરાસનાયકનો પૂર્વભવ પ્રસ્તુત થયો છે. પ્રસંગોપાત ઉપરોક્ત વર્ણનોનો આ ગ્રંથમાં ઉલ્લેખ કર્યો છે. તેમાં કેટલીક વિશેષતાઓ નીચે પ્રમાણે છે. (૧) દ્વેષથી શ્રવણ કરેલા અપ્રિય વચનો પણ ક્યારેક જીવનમાં સુખનો સૂર્યોદય કરે છે. (૨) પ્રસેનજિત રાજા રૂપપુરા ચોરને પકડવામાં અસમર્થ રહ્યા ત્યારે ચોરને ઘણાં સોગંદ આપી, મધુર સ્વરે તેને ગરાસ આપી તેની સાથે સંધિ કરી. જેથી રાજા અને પ્રજાજનો ચોરના ભયથી નિર્ભય બન્યા. (૩) પ્રસ્તુત સંસ્કૃત કૃતિમાં રોહિણેયકુમારે પ્રજાજનોને ખૂબ મદદ કરી છે. કવિ દેવચંદ્ર તેને પરોપકારી ચિત્રિત કરે છે. પણ પોતાની સાથે અન્યાય કરનાર રાજા, અભયકુમાર અને કોટવાલને તેણે સતાવ્યા. (૪) રોહિણેયકુમાર રાજગૃહી નગરીના એક મનોરમ મહેલમાં શ્રેષ્ઠી બનીને રહ્યો. તે યુવતી અને વૃદ્ધાને ગૃહરક્ષિકા તરીકે રાખતો હતો. તે વેપાર કરતો હોવાથી વ્યાપારી “રોહિણેય શેઠ' તરીકે વિખ્યાત બન્યો. (૫) રાજાને ત્યાં લગ્ન પ્રસંગ હતા ત્યારે આરક્ષકનું રૂપ લઈ બધા દાગીના ચોરી ગયો. તેણે આકાશવાણી કરતાં અભયકુમારને કહ્યું, “આજથી હું તમને રોજ નમસ્કાર કરવા આવીશ, પછી જ ભોજન કરીશ. મને તમે જ્યારે ચોર તરીકે પકડશો ત્યારે હું આજીવન ચોરી છોડી દઈશ. (૬) પ્રસ્તુત સંસ્કૃત રાસકૃતિમાં રોહિણેય અને અભયકુમાર વચ્ચે પૂર્વભવનો શો સંબંધ હતો તે કવિ દેવચંદ્રમુનિ ઉલ્લેખે છે, જેનો પ્રસંગોપાત આ ગ્રંથમાં ઉલ્લેખ થયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org