SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કવિ ઋષભદાસે પ્રસ્તુત રોહિણેયરાસ'માં વાણીની દેવીને વિલસતી દર્શાવી છે, જેથી ઈષ્ટ કાર્ય સાધી શકાય તેવું સામર્થ્ય પ્રાપ્ત થાય. કવિએ સમકિતસાર રાસ'માં સરસ્વતી દેવીની સાથે સાથે જિનેશ્વર ભગવંતની સ્તવના કરે છે. માતા સરસ્વતી એ મૃતદેવી છે. તીર્થંકર પરમાત્મા પોતાના સાધના કાળમાં શુકલધ્યાન અને તપ દ્વારા કર્મોની કાલિમાને હટાવી તેજ પુંજ સમાન સરિતાને અવતરિત કરે છે. આ શ્વેત તેજ પુંજ સમાન સરિતા એટલે માતા સરસ્વતી. તે જિનવાણી સ્વરૂપ હોવાથી બ્રહાનું જ્ઞાન કરાવી મિથ્યાત્વના પડળોને કાપે છે. કવિએ વિશાળ દષ્ટિ કેળવી, સત્યશોધક દષ્ટિએ મંગલાચરણ કર્યું છે. અહીં કવિએ પૂર્વાચાર્યોની પરંપરાને સ્વીકારી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જગતના કવિઓએ પોતાની કૃતિમાં પ્રથમ મંગલાચરણ કર્યું છે. શ્રીમદ્યોગીશ્વર શ્રી હેમચંદ્રાચાર્યરાગ-દ્વેષના વિજેતા વીતરાગદેવને નમસ્કાર કરે છે. भवबीजाङकुरजनना रागादयःक्षयमुपागता यस्य। ब्रह्मा वा विष्णुवाहरो जिनो वा नमस्तस्मै।। અર્થ: જગતની ચોર્યાસી લાખ જીવયોનિમાં પર્યટન કરાવનાર, સંસારરૂપી અંકુરને પોષનારા, રાગાદિ દોષોથી વિમુક્ત બ્રહ્મા, વિષ્ણુ, શંકર કે જિનદેવ હોય તેમને હું નમસ્કાર કરું છું કારણકે તેમની વાણી સર્વથા સત્ય અને પરમાર્થને પ્રકાશિત કરનારી છે.) કવિ ત્રષભદાસે શ્રુતદેવી માતા સરસ્વતીને નમસ્કાર કર્યા છે જ્યારે શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે વીતરાગી આત્માને નમસ્કાર કર્યા છે. વીતરાગી આત્માના મુખમાંથી ઉદ્ભવેલી શ્રુતગંગાનો પ્રવાહ એ જ માતા સરસ્વતી રૂપ જિનવાણી છે. જિનવાણી શ્રુતજ્ઞાન રૂપ છે. આ શ્રુતજ્ઞાન મોક્ષફલના પ્રાપ્તિરૂપ‘યોગ બીજ છે. શ્રી સ્થાનાંગસ, ૨/૧/૧૯માં સત્રકાર કહે છે. दोहि ठाणेहिं आया केवलि पण्णत्तंधम्मलभेज्जसवणयाए। तंजहा-सच्चा चेव, अभिसमेच्चा चेव एवं केवलणाणमुप्पाडेज्जा।। અર્થ: આત્મા કેવલી પ્રજ્ઞપ્ત ધર્મશ્રવણ બે સ્થાન દ્વારા પ્રાપ્ત કરે છે. તે આ પ્રમાણે છે. ૧) સાંભળવાથી ૨) અવધારણ કરવાથી. આ શ્રુતજ્ઞાન દ્વારા વિશુદ્ધ બોધિથી લઈને કેવળજ્ઞાન સુધીના સર્વ સ્થાનો પ્રાપ્ત થાય છે. અહીં શ્રુતજ્ઞાનનું સૂત્રકારે માહાસ્ય દર્શાવેલ છે. શ્રુતજ્ઞાનથી ધર્મ શ્રવણ, ધર્મ શ્રવણથી સમ્યબોધ, સમ્યફબોધથી સર્વવિરતિ, સર્વવિરતિથી નિર્વાણ સુધીના સર્વ સ્થાનો પ્રાપ્ત થાય છે. નિવાર્ણના મૂળમાં શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ચરમ ફળ મોક્ષ' (નિવાઈ) છે. જેમ શિવજીએ પોતાની જટામાં ભાગીરથીને ધારણ કરી છે, તેમ તીર્થંકર પરમાત્માએ પોતાની જિદ્વાએ માતા સરસ્વતી (શ્રુતજ્ઞાન-જિનવાણી)ને ધારણ કરી છે. તીર્થંકર પરમાત્મા અને સરસ્વતી માતા અભેદ છે. તેથી ઉપરોક્ત મંગલાચરણમાં કોઈ વિસંવાદનથી પરંતુ ઘણું સામ્ય છે. આ મંગલાચરણ દ્વારા કવિ એક મહાન રાસકૃતિની રચના કરવા જઈ રહ્યા છે, તે માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy