________________
૧૩
મારા ભંડારમાં અઢળક નાણાં, રખોપાં કોને સોંપવાં હોજી? મારી તિજોરીમાં અઢળક સંપદા, ચાવિયું કોને સોંપવી હો જી?”
લોકભાષાના સરસ્વતી પુત્ર કવિ શ્રી દુલા કાગ ગળગળા સ્વરે ઉપરોક્ત પંક્તિઓ ગાઈને પોતાની અંતરવ્યથા ઠાલવી રહ્યા હતા, તેવો જ અજંપો વિજયસેનસૂરિજીને થયો, પોતાનો સાહિત્ય વારસો કોને સોંપવો?
- સર્વ શિષ્યોના અવલોકન પછી પણ આચાર્યપ્રવર કોઈ નિર્ણય કરી શક્યા નહીં. તેમણે સંપૂર્ણ રાત્રિની એકાગ્ર સાધના કરી પ્રાતઃકાળે માતા સરસ્વતીને પ્રસન્ન કર્યા. તેમણે વિનયપૂર્વક પોતાની અંતરવેદના વિદિત કરી સુયોગ્ય શિષ્યનો નિર્ણય કરી આપવા દેવીને જ અનુરોધ કર્યો.
શ્રુતદેવી માતા સરસ્વતીએ કહ્યું, “જે શિષ્ય “ગુરુમ્ 3જ્ઞા વિવારળીયા ગુરુ આજ્ઞાને “તહરિ' કહી, પ્રશ્નહીનપણે તત્કાલ અનુસરશે અર્થાત્ ગુરુઆજ્ઞાનું પાલન કરી, રાત્રિ ભોજના વતભંગનો વિકલ્પ કર્યા વિના આ લાડુ આરોગી જશે તેને આપનું વારસાગત સર્જકત્વ ફળશે!” એમ કહી દિવ્ય મોદક આપી શ્રુતદેવી માતા સરસ્વતી અંતર્ધાન થયાં.
હજી સૂર્યોદય થયો ન હતો. નવકારશી આવવાને ઘણો સમય બાકી હતો. તેવા સમયમાં સાધુ સમાચારીને પાળનારા શિષ્યોમાંથી કયો શિષ્ય લાડુ ખાવા તૈયાર થશે? આચાર્યપ્રવર દુવિધામાં હતા. તેમણે પરીક્ષા કરવા પ્રાતઃ વંદના કરવા આવતા દરેક શિષ્યને લાડુ ખાવા અંગે પૂછયું પરંતુ કોઈ શિષ્ય તૈયાર ન થયો ત્યારે એક શિષ્ય વિચાર્યું, પછી હું આરોગીશ.” તેણે ગુરુદેવ પાસેથી લાડુ લઈ પોતાના પાત્રમાં સંતાડી પાટ નીચે મૂકી દીધો. ત્યારપછી આવશ્યક ક્રિયા માટે ઉપાશ્રયની બહાર ગયા.
એ જ સમયે ઉપાશ્રયમાં કાજો કાઢવા આવેલા શ્રાવક બહષભદાસને પાટ નીચેથી ઝાડું કાઢતાં લાડુ મળ્યો. તેમણે નિર્દોષ ભાવે તે લાડુ આરોગી લીધો. બ્રાહ્મી મોદક આરોગતાં માતા સરસ્વતી તેમની જિલ્લા ગ્રે વિરાજમાન થયા. અભણ બદષભદાસ શ્રાવક સુમધુર સ્વરે સ્તુતિ, થોયો, સ્તવનો, શુદ્ધ ઉચ્ચારપૂર્વક ગાવા લાગ્યા.
ઉપાશ્રયની મેડી પર બેઠેલા આચાર્યપ્રવરના કાને અભૂતપૂર્વ જિનભક્તિના પદો સંભળાયાં. તેમને થયું નક્કી પેલા સાધુએ બ્રાહ્મી મોદક આરોગી લીધો છે તેથી તેના કંઠે સરસ્વતી દેવી પ્રગટ થઈ છે.
- આચાર્યપ્રવર નીચે આવ્યા. તેમણે જોયું કે, અભણ શ્રાવક સ્તવનો ગાઈ રહ્યાં હતાં. તેમને ભારે આશ્ચર્ય થયું. તેમણે વિસ્મિત સ્વરે પૂછયું, “બઢષભદાસ તું?' બાષભદાસ શ્રાવકે નિખાલસપણે કહ્યું, “હા ભગવંતા આપની કૃપાથી મારી જીલ્લાએ માતા સરસ્વતીના મંડાણ થયાં છે.”
- કવિ કષભદાસે કંઈ પણ છુપાવ્યા વિના સર્વ હકીકત કહી પોતાના દોષ માટે પ્રાયશ્ચિત પણ માંગ્યું. આચાર્યપ્રવરે આ સારી ઘટનામાં કોઈ દૈવી સંકેત જોયો. તેમણે વ્યષભદેવને અંતરના આશીર્વાદ આપ્યા. અષભદાસ શ્રાવક એક વિખ્યાત મહાકવિ બન્યા. . તેમણે “બાષભ કહે ભવ રોડનાં કર્મ ખપાવે તેહ'ના દુહા જેવા અનેક પદો શાસનને આપ્યાં."
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org