________________
શ્રી રોહિણેય રાસની સંપાદિત વાચના
........ ૨.
|| ભલે મીંડુIT
દુહા ઃ ૧ મંગલાચરણ સરસ કોમલ બુદ્ધિ ભલી, આલે વચન વચીત્ર; સરસતિ ભગવતી, કરજે મુખ પવિત્ર બ્રહ્માણિ બ્રહ્મવાધની, હું છું તાહારો દાસ;
તુઝ આધારઈ કવી કવઈ, રોહણીઆનો રાસ અર્થ: હે સરસ્વતી માતા ! મને નિર્મળ, કોમળ અને શુદ્ધ બુદ્ધિ તેમજ અનુપમ અને વિલક્ષણ, વચન આપો. હે બ્રહ્મપુત્રી ! અર્થ બોધસ્વરૂપી(ભારતી) મારા મુખમાં વસવાટ કરી તેને પવિત્ર બનાવો.
હે શારદે! તું બ્રહનું જ્ઞાન કરાવનારી છે. હું તારો દાસ(બાળ) છું. હું તારા પર શ્રદ્ધા કરી રોહિણેય રાસનું કવન કરું છું.
વિવેચન રાસનો પ્રારંભ કવિ વસ્તુ નિર્દેશનાત્મક દુહાથી કરે છે. પ્રસ્તુત દુહામાં કવિ ષભદાસ રાસ કવનના પ્રારંભમાં શ્રુતદેવી સરસ્વતી માતાનું સ્મરણ કરી મંગલાચરણ કરે છે. કવિ ઋષભદાસ, શ્રુતદેવી જિનવાણીમાતા સરસ્વતીના આજીવન અપ્રમત ઉપાસક હતા.
લોકવાયકા અનુસાર રાસકાર કવિ ઋષભદાસ પ્રારંભમાં મંદ બુદ્ધિ હતા. તેઓ પરોઢે આચાર્યશ્રીની વંદના કરી ઉપાશ્રયની સફાઈ કરવા (‘કાજો' કાઢવા) આવતા. પોતે તદ્ગ અભણ પણ ભક્તિ, સેવા અને વિનયમાં શ્રેષ્ઠ હતા. તેઓ વયોવૃદ્ધ, શય્યાવશ આચાર્ય ભગવંત અને સર્વ સાધુગણની હદયપૂર્વક દિન-રાત સેવા-વૈયાવચ્ચ કરતા હતા. સુદીર્ઘ સહવાસને કારણે સાધુ સમાચારીથી પૂરેપૂરા વાકેફ થયા હતા. એક દિવસ કાજો કાઢતાં પાટ નીચે મૂકેલા લાડુના પાત્ર સુધી ઝાડુ પહોંચ્યું અને લાડુ પાત્રમાંથી બહાર પડી ગયો. સાધુના નિયમોના જાણકાર સ્વભાવે સરળ અને ભોળા અષભદાસ શ્રાવકને થયું કે, ગઈકાલે સાંજે ગોચરીમાં વધી પડેલો લાડુ આ મુનિએ સંતાડીને રાખ્યો લાગે છે. જો આચાર્ય ભગવંતને આ વાતની જાણ થશે તો મુનિને પ્રાયશ્ચિતરૂપે ઉપવાસ વગેરેતપ આપશે. આવી દયા ભાવનાથી, રસલુબ્ધિ વિના ઋષભદાસ શ્રાવકે નવકાર મંત્રનું સ્મરણ કરી લાડુ આરોગી લીધો!
શ્રુતદેવી માતા શારદા પ્રદત્ત આ અસામાન્ય મોદક હતો. હીરવિજયસૂરિ મહારાજના શિષ્ય વિજયસેનસૂરિજી પોતાના કોઈ શિષ્યને જીવનની સંધ્યાએ પોતાનો સુદીર્ધ સર્જનનો વારસો સોંપવા ઈચ્છતા હતા. તે વારસો કયો સુપાત્ર ઝીલી શકશે તેની તેમને અંતર વ્યથા હતી.
ભક્ત કવિ દુલા ભાયા કાગે બુલંદ અવાજે ગાયું છેઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org