SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ અપ્રત્યાખ્યાનાવરણીય પથ્થરના ગોળા જેવો છે, તેમાંથી ઉષ્ણતા લાંબા સમયે જાય છે. પ્રત્યાખ્યાનાવરણીય કાષ્ઠના ગોળા જેવો છે, તેમાંથી ઉષ્ણતા બીજા ગોળા કરતાં જલ્દી જાય છે. સંજવલન કષાય એ માટીના ગોળા જેવો છે, તેમાંથી ઉષ્ણતા જદી જાય છે. કષાયની ભયંકરતા દર્શાવતાં કહ્યું છે: अप्पा नाण सहावी दंसणसीलो विसुध्दसुहरुवो। सो संसारे भमइ, एसो दोसोखु मोहस्स ।। અર્થ: જ્ઞાન, દર્શનના સ્વભાવવાળો અને વિશુદ્ધ સુખરૂપ એવો આત્મા પણ સંસારમાં પરિભ્રમણ કરે છે, તે મોહ (કષાય) નો જ દોષ છે. મોહનીય કર્મ અતિ દુર્જય છે. આત્માસ્વરૂપને જાણનારો માનવી જ મોહ (કષાય) પર વિજય મેળવી શકે છે. મોહનીય કર્મપર વિજય મેળવવાના ઉપાય સ્વરૂપે પૂર્વાચાર્યોએ ચાર પ્રકારનો ધર્મ કહ્યો છે. ધર્મ: ધર્મ બે પ્રકારના છે. સુધર્મ અને કુધર્મ. જેમ થોરનું દૂધ, ગાયનું દૂધ અને પહેલી નજરે જોતાં દૂધ જ દેખાય છે પરંતુ મોઢામાં મૂકતાં તેનો સ્વાદ પરખાઈ જાય છે, તેમ સુધર્મ અને કુધર્મનો બાહ્ય લેબાસ એક દેખાય પરંતુ ભીતરનું તત્ત્વ ભિન્ન ભિન્ન છે. તત્ત્વજ્ઞાન પારખુને તેની ગડબેસી જાય છે. ધર્મનું માહાલ્ય દર્શાવતાં ‘ધર્મકલ્પદ્રુમ(પૃ.૯)માં પંન્યાસ વજસેનવિજયજી કહે છે: “ધર્મથી કલંકરહિત એવા ઉત્તમકુળમાં જન્મ, શ્રેષ્ઠ જાતિ, દીર્ઘ આયુષ્ય, દીર્ધ બળ, . નિરોગીપણું, નિરુપમ ભોગ, શ્રેષ્ઠ કીર્તિ, બુદ્ધિ તેમ જ સ્વર્ગ અને અપવર્ગના સુખો મળે છે.” યોગબિંદુ' ગ્રંથકાર ધર્મની મહત્તા બતાવતાં કહે છે, “ધર્મમાં દાનનું સ્થાન પ્રથમ છે. દાના દરિદ્રતાનું નાશ કરે છે, લોકોમાં કીર્તિ વધારે છે, દાનેશ્વરી લોકમાં પ્રિય છે.” પૂર્વાચાર્યોએ નીચે પ્રમાણે ધર્મના પ્રકાર બતાવ્યા છે. दानं सुपात्रे विशदंचशीलं,तपो विचित्रंशुभभावनाच । भवार्णवोत्तारणयान पात्रं, धर्मचतुर्धा मुनयो वदन्ति।। અર્થ: પૂર્વાચાર્યોએ સંસાર સાગરને તરવામાં પ્રવહણ સમાન ધર્મના ચાર પ્રકાર કહ્યા છે. સુપાત્રદાન (દાન), નિર્મળ શીલ, વિશિષ્ટ પ્રકારનો તપ અને શુભભાવ. દાનઃ જીવન એક પવિત્ર મંદિર છે. આ મંદિરને સ્વચ્છ રાખવા સત્કર્મ આવશ્યક છે. પરિગ્રહની મૂચ્છ ઉતારવાનો શ્રેષ્ઠ ઉપાય દાન છે. દાનના પાંચ પ્રકાર છે. ૧. અભયદાન ૨. સુપાત્રદાન ૩. અનુકંપાદાન ૪. ઉચિત દાન પ. કીર્તિદાન. પ્રથમના બે દાનથી મોક્ષ મળે છે. બાકીના ત્રણ પ્રકારના દાનથી સાંસારિક સુખો મળે. (૧) અભયદાન : બંધન, વધ, અતિભાર, માર અને ઉપેક્ષાથી ઉદાસીન બનેલા પીડાતા દુઃખી જીવોને છોડાવી મુકિત આપવી તે અભયદાન' છે. શ્રી નેમનાથકુમાર રાજેમની સાથે વિવાહ કરવા ગયા ત્યારે વાડામાં પૂરાયેલા પશુઓનો ચિત્કાર સાંભળી તેમણે પશુઓને અભયદાન આપ્યું. (૨) સુપાત્રદાનઃ જેની પાસે વિદ્યા અને સદાચાર હોય, જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ ત્રિરત્નનું આરાધના હોય તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy