________________
રહેતા હતા. અહીં સ્પષ્ટ થાય છે કે, ચોરી જેવા અકૃત્યને સભ્ય સમાજના લોકો સ્વીકારતા ન હતા. ૨) પ્રાયઃ હલકી જ્ઞાતિના લોકોમાં વ્યસન અને દુરાચારનું પ્રમાણ વધુ જોવા મળે છે. વર્તમાન કાળે શ્રીમંતોના વારસદારો ફેશન અને STATUડ બતાવવા વ્યસનોને શોખથી સેવે છે. ૩) મૃતકના આત્માને શાંતિ મળે તે માટે પરિવારજનો દ્વારા પિતૃતર્પણ કરવાની એકપ્રથા હતી. ૪) હલકી જ્ઞાતિમાં પણ પોતાના સંતાનોની વિદ્યાપ્રાપ્તિનો યોગમાવિત્રો દ્વારા સુલભ હતો. ૫) લગ્નપ્રસંગે જાનૈયાઓ અને માંડવીયાઓ નૃત્ય કરી ખુશી વ્યક્ત કરતાં હતાં. ૬) લોકો ધર્મબુદ્ધિથી ચોરામાં મંદિરે જઈ ઈષ્ટદેવને ભક્તિભાવથી નમન-પૂજન કરતા હતા. ૭) તિથિ દેવો ભવઃ ની ભાવના તે કાળનાં લોકોનાં જીવનમાં વિશેષપણે વણાયેલી હતી. જમવાના ટાણે આવેલાને જમાડયા વિના ન જવા દેવો એવો વણલખ્યો નિયમ તે સમયે હતો. ખવરાવવાથી ખૂટી જતું નથી એવું માનનારા તે સમયના લોકોને ખવડાવવામાં વધુ આનંદ આવતો હતો. ૮) પગી પગેરું કાઢી ચોરને પકડી પાડે. ચોર ન પકડાય તો રાજા વચ્ચે પડી તેની સાથે સમાધાન કરી પતાવટ કરે. ૯) લોકો જ્યોતિષ વિધિવિધાનોમાં ખૂબ શ્રદ્ધા રાખતા હતા. બ્રાહ્મણો જ્યોતિષ વિદ્યામાં માહિર હતા. ૧૦) નગર રક્ષણ માટે ઊંચી દિવાલો કિલ્લા જેવું કાર્ય કરતી. ૧૧) સંયમ ધર્મ અંગીકાર કરવા તત્પર સાધક ભલે મોટો ગુનેગાર હોય, છતાં સમાજમાં તેનું અતિશય ઊંચું સ્થાન રહેતું. તેને રાજા, પ્રધાન અને નગરજનો તરફથી બહુમાન પ્રાપ્ત થતું હતું. ૧૨) સંભવ છે કે કવિ ત્રષભદાસના સમયમાં શ્રાવકાચાર અને શ્રમણાચારમાં શિથિલતા પ્રસરી હોય તેનું નિવારણ કરવા કવિએ રાસનાયકના પાત્ર દ્વારા આગાર ધર્મ અને અણગાર ધર્મનો ઉલ્લેખ કર્યો હોય તેવું જણાય છે. વળી, જિનપૂજા જેવા ધાર્મિક અનુષ્ઠાનો અવિધિપણે થતા હોય અને તે તરફ લક્ષ્ય દોરવા માટે પણ કવિએ જિનપૂજાનો પ્રસંગ રાસમાં અવતરીત કર્યો હોય અથવા કવિ મૂર્તિપૂજક સંપ્રદાયના હોવાથી પણ પ્રસ્તુત પ્રસંગ રાસમાં આલેખ્યો હોય તેવું જણાય છે. રાજકીય સ્થિતિઃ ૧) મહારાજા શ્રેણિક અને પ્રજાજનો વચ્ચે આત્મિયતાનો સેતુબંધ હતો. તેઓ ગમે ત્યારે વિના સંકોચે રાજાને મળી શકતા હતા. રાજાપણ પ્રજાજનોના હિત માટે સદા ચિંતિત રહેતા હતા. ૨) ગુનેગાર છટકી ન જાય અને નિરપરાધી દંડાય નહીં તેની પૂરેપૂરી કાળજી રાખવામાં આવતી હતી. ૩) શકમંદ વ્યક્તિનો ગુનો સિદ્ધ ન થાય ત્યાં સુધી તેને આકરો દંડ આપવાનો નિષેધ હતો. ૪) પ્રજાજનોની રક્ષા માટે જરૂર પડે તો રાજપૂતો યુદ્ધ-ધિંગાણું કરતા હતા.
આવું હતું ભગવાન મહાવીરના સમયનું રાજગૃહી નગરીનું લોકજીવન અને ત્યાંની સંસ્કૃતિ!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org