SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ તેથી આવા ભવ્ય જિનાલયોનું નિર્માણ થયું હોવું જોઇએ. ખંભાત નગરમાં ઘણા જિનાલયો હતાં, તેમ ત્યાં ગુરુ ભગવંતોને રહેવા માટે ઘણા ઉપાશ્રયો હતાં. ગુરુ ભગવંતો આ નગરીમાં નિર્દોષ ચારિત્ર પાળી શકતા હતા તેથી તે સ્થળે રહેવાનું વધુ પસંદ કરતા હતા. રાસકર્તા કવિ કષભદાસના દાદા મહીરાજ જૈનોના વિખ્યાત તપગચ્છના મૂર્તિપૂજક શ્વેતાંબર વીસા પોરવાડ જૈન હતા. તેમના સમયમાં તપગચ્છની ૫૮ મી પાટે અકબર બાદશાહને પ્રતિબોધક આચાર્ય શ્રી હીરવિજ્યસૂરિ હતા. કવિ હીરવિજ્યસૂરિ અને તેમના શિષ્ય પરિવાર સાથે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા. નાનપણથી જ કવિ કષભદાસ દાદાની આંગળી પકડી ગુરુ ભગવંતોનાં દર્શન કરવા જતા હશે તેથી તપગચ્છના સર્વ સંતો સાથે નિકટનો પરિચય હતો. સંતોની વિશિષ્ટ કૃપાથી જ તેમણે જ્ઞાન સંપાદના કરી ઘણી રાસકૃતિઓ રચી છે; એવુ કવિ કડી-૩૪૦માં જણાવે છે. ગુરુપરિચય: પ્રસ્તુત રોહિણેય રાસ કૃતિમાં કવિ તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ અને તેમના શિષ્ય વિજયાનંદ સૂરિનો ગુરુ તરીકે ઉલ્લેખ કરે છે; જેઓ. જૈનધર્મના પ્રખર પ્રભાવક હતા. તેઓ વાદી પુરુષ હતા. જેમણે જૈન ધર્મોપદેશથી અનેક જીવાત્માઓને આ સંસાર સાગરમાંથી હાથ ઝાલી બહાર કાઢયા હતા અર્થાત તેમના ભવ્ય ઉપદેશથી અનેક લોકો પ્રતિબોધપામી અણગાર બન્યા હતા. મહાવ્રતધારી વિજયાનંદ સૂરિ પાસે કવિએ બાર વ્રતના પ્રત્યાખ્યાન કર્યા હતા. અહીં કવિ બાર વ્રતધારી શ્રમણોપાસક હતા; એવું વિદિત થાય છે. કવિ રાસકૃતિના અંતે સુગર અને જિનેશ્વર ભગવંતની સ્તવના દ્વારા અંતિમ મંગલાચરણ કરે છે. કડી- ૩૪૨ માં કવિ સ્વપરિચય આપે છે. વીસા પોરવાડ જ્ઞાતિના સંઘવી સાંગણના પુત્ર તરીકે પોતાને ઓળખાવે છે. કડી-૩૪૩માં કવિ સમસ્યાની ભાષામાં રાસકૃતિની રચના સાલ જણાવે છે. આ રાસકૃતિનું કવન વિ.સં. ૧૬૮૮ માં, પોષ સુદ-સાતમ, શુભ મુહૂર્વે, ગુરુવારે થયું છે. તે વર્ષે વરસાદ સારો થવાથી ખંભાતમાં સુકાળ થયો હતો. લોકો પણ અત્યંત સુખી અને આનંદિત હતાં. આ રાસ ઉત્તમ નક્ષત્ર, શુભ લિગ્નમાં રચાયો છે. અનંત પુદ્ગલ પરાવર્તનથી વિરામ પામેલા મહાત્મા રોહિણેયનો રાસ આલેખતાં અંતે કવિ કહે છે કે, “હું ચિરકાળનું સુખ (સ્વાધ્યાયથી અનંત કર્મની નિર્જરા - આત્મિક ઐશ્વર્ય પામ્યો છું.” સંક્ષેપમાં, જિનવાણીનો સારોયે સાર ‘જ્ઞાનાસાર'ના ચોથા મોહત્યાગષ્ટકમાં આવી જાય છે. शुद्धात्मद्रव्यमेवाहं शुद्धज्ञानं गुणो मम। नान्योडहं न ममान्ये चेत्यदो मोहस्त्रमुल्बणम् ।।२।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy