________________
૨૦૮
(૯) અનશન સ્વીકાર્યું(૧૦) નવકારમંત્રનું સ્મરણ કર્યું. આરાધનાના આ દશ પ્રકાર છે. રોહિણેય મુનિએ હૈયાના ઉછળતા ભાવે આ દશ પ્રકારની આરાધના આદરી. ત્યાર પછી પાદપોપગમન અનશનના પ્રત્યાખ્યાન કર્યા.
વૃક્ષની ડાળી જેમ જમીન પર સ્થિર પડી રહે છે, તેમ તેઓ ડાભના સંથારા પર સ્થિર સૂતા. તેમણે પડખું પણ ફેરવ્યું નહીં કે હાથ, પગપણ હલાવ્યા નહીં. શુદ્ધપણે અનશન મરણના પ્રભાવે તેઓ મૃત્યુ પામી દેવગતિમાં પહોંચ્યા.
..૩૨૬. દેવગતિનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં અવતરશે. ત્યાં રોહિણેય કુમાર પુનઃ વિરતિધર થશે (અષ્ટ કર્મોનું ઊમૂલન કરી) ત્યાંથી મુક્તિપુરીમાં સંચરશે. તે હવે કોઈ (માતા) ના ઉદરમાં પુનઃ જન્મ ધારણ નહીં કરે.
" ...૩૨૦ વિવેચના કડી-૩૨૧માં કવિએ રોહિણેય અણગારની અનશનની દઢપ્રતિજ્ઞાનું કથન કર્યું છે,
ઇ–રિક તપથી શરીર કૃશ થતાં અંતિમ સમયે રોહિણેય મુનિ ભગવાન મહાવીર સ્વામીની અનુજ્ઞા મેળવી મરણકાલિક અનશન તપની આરાધના કરવા પ્રયુક્ત થયા. . અનશનઃ (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. અ. ૩૦,ગા-૧૨, ૧૩, પૃ-૨૩૨/૨૩૨)
ભગવાન મહાવીરે અણુવતો અને મહાવ્રતો દ્વારા જીવન જીવવાની કળા દર્શાવી છે તો બીજી તરફ મૃત્યુને મહોત્સવ બનાવવા માટે સંલેખના, પંડિતમરણ કે અનશન (સંથારો) ની વિધિ બતાવી છે. જેમ મોટર ચાલકને મોટર ચલાવતાં અને રોકતાં આવડવું જોઇએ, તેમ સાધકને જીવન જીવવાની કળાની સાથે સાથે મૃત્યુકળા પણ આવડવી જોઇએ.
“શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં મૃત્યુના સંક્ષેપમાં બે પ્રકાર કહ્યા છેઃ "बालाणं अकामंतु, मरणं असई भवे।
पंडियाणं सकामंतु उक्कोसेणं सइंभवे ।। અર્થ: બાલ અજ્ઞાની જીવોના મૃત્યુને અકામ મરણ કહેવાય છે. તેમનું વારંવાર મૃત્યુ થાય છે.
જ્યારે પંડિત (જ્ઞાની) પુરુષો સકામ મરણે મૃત્યુ પામે છે. તેમનું ઉત્કૃષ્ટ એક જ વખત મૃત્યુ થાય છે. અર્થાત્ તેઓ અલ્પ સમયમાં મોક્ષ પ્રાપ્ત કરી લે છે.
મૃત્યુના બે પ્રકાર છે. બાલમરણ અને પંડિતમરણ.
વ્રતરહિત જીવોના મૃત્યુને બાલમરણ કહે છે જ્યારે વ્રત પ્રત્યાખ્યાન રહિત, સંથારા સહિત જીવોના મૃત્યુને પંડિતમરણ કહે છે.૧૮
શ્રી ભગવતી સૂત્ર ૨/૧ માં બાલમરણ ના બાર પ્રકાર દર્શાવેલ છે.
જયાં સુધી શરીર આત્મગુણોની વૃદ્ધિમાં સહાયક હોય ત્યાં સુધી સાધક તે શરીરનું વહન કરે છે. જયારે શરીર કાર્યક્ષમ ન રહે ત્યારે સાધક સ્વેચ્છાએ શરીરનો ત્યાગ કરે છે, તેને પંડિતમરણ કહે છે. સમાધિમરણ કે અનશન - સંથારો ઇત્યાદિ તેના પર્યાયવાચી નામ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org