________________
૨૦૬
માંસ આદિના અભાવથી સુકાઇ ગયા. તેમના શરીરમાં નામ માત્રની ચરબી શેષ રહી હતી. પેટ જાણે પાતાળમાં ચાલ્યું ગયું હતું. ભુજાઓ સુકાયેલા સર્પ જેવી પાતળી થઇ ગઇ હતી. હાથ ઘોડાની લગામ જેવા લટકી રહયા હતા. ખીલેલા કમળ જેવું શોભાયમાન મુખ અતિ ઉગ્ર તપના કારણે કરમાઇ ગયું હતું. હોઠ સુકાઇ ગયા હતા. બન્ને આંખો ઉંડી ઉતરી ગઇ હતી. ચહેરો સુકાઇને વિકરાળ બન્યો હતો. શારીરિક બળ ક્ષીણ થઇ ગયું હતું પરંતુ આત્મિક બળ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતું હતું.
શ્રી અનુત્તરોવવાદ સૂત્રમાં કાકંદી નગરીના મહાતપસ્વી ધન્ય અણગાર અને સ્કંધક અણગારે કઠિન તપરૂપી અગ્નિમાં કાયાને તપાવી કૃશ કરી, તેમ રોહિણેય મુનિએ પણ આકરાતપરૂપી અગ્નિમાં કાયાને સુકાવી નાખી. રોહિણેય મુનિ મહાતપસ્વી સંત હતા. તેમણે દેહની સુખશીલતા છોડી.
બુદ્ધિમાન જીવો આત્મા (ધર્મ) ની ટાવટેવ કરે છે, દેહની નહીં!
જૈનદર્શનમાં મોહ સામેનું ધર્મયુદ્ધ છે. પોતાના દુરિત આત્મા સાથે લડી તેનું દમન કરવાનું છે. પોતાના આત્મા દ્વારા આત્માને જીતવાથી જ સાચું સુખ મળે છે, દેહની સારવાર કરવાથી નહીં. -
આત્મજ્ઞાની યોગી પ્રતિક્ષણ એક જ વાતનું રટણ કરે છે.
દેહાદિકતેં ભિન્ન મેં, માથે ન્યારે તેહુ; પરમાતમ પથદીપિકા, શુદ્ધ ભાવના એહુ.” (સમાધિશતક- ૩૦)
મુકિત પંથને અજવાળનારી દીપિકા જેવા હાથમાં છે, એ મુકિત યાત્રીની પ્રત્યેક પળે એક જ ભાવના અને એક જ રટણા છે. તન-ધન ને વતનથી હું જુદો છું અને મારાથી તન, ધન અને ધામા ન્યારાં-નિરાળાં છે.
જેમ સર્પ માત્ર પોતાના દેહની રક્ષા કરવા માટે જ દરમાં પ્રવેશે છે, તેમ સાધક સંયમ નિર્વાહ માટે જ આહાર કરે છે. રસાસ્વાદ અને દેહની આસકિત તોડવા તપ કરવામાં આવે છે. સમ્યક્ તપ અનંત કર્મોની નિર્જરાનું પ્રધાન સાધન છે.
“જેમ કોઇ મોટા તળાવમાં પાણીનો પ્રવાહ આવતો રોકાઇ જાય, જૂનું પાણી ઉલેચાઇ જાયા અને સૂર્ય તાપથી તે તળાવનું પાણી કાળક્રમે સૂકાઇ જાય છે, તેવી જ રીતે સંયમી જીવોને પાપ કર્મ આવવાનો માર્ગ બંધ થઇ જવાથી કરોડો ભવોના સંચિત કર્મોની તપ દ્વારા નિર્જરા થાય છે.
રોહિણેય મુનિએ દેહનું મમત્વ છોડયું તેથી આકરું તપ કરી શકયા. રૂચ્છા નિરોઘ તા. તેમની સર્વ ઇચ્છાઓ- અભિલાષાઓ, તૃષ્ણાઓ વિરામ પામી. તેમણે પાંચે ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો. તેઓ ઇન્દ્રિય વિજેતા બન્યા. તેઓ મનની ચંચળતાને રોકી જિનેન્દ્રના ચરણોમાં એકાગ્ર થયા.
જેમ સ્કંધક અણગાર અને કાકંદીના ધન્ય અણગારે શરીરની શુષ્કતા અને મૃત્યુની નજીકતા જાણી શ્રવણ ભગવાન મહાવીર સ્વામી પાસે પ્રાતઃકાળે અનશનની આરાધના કરવા માટેની અનુમતિ માંગી, તેમ તપસ્વી રોહિણેયમુનિએ શરીરની અત્યંત કૃશતા જાણી ચારે ગતિના દુઃખોનું નિવારણ કરવા જીવનની ચરમ સાધના રૂપ અનશન કરવાથી ભાવના ભાવી.
રોહિણેયમુનિએ શ્રમણ ભગવાન મહાવીરને પોતાની અંતિમ અભિલાષા જણાવી. મન મન અને ઘટ ઘટની વાતોથી અભિજ્ઞ ભગવાન મહાવીરે રોહિણેય મુનિને કહ્યું:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org