________________
વીષમ પંથ એ સાધરે, કોહો કિમ ચાલશો;મીણ દાત લોહમઇચ્યણા એ. જાતા કુણ આધારરે, કુટંબ તે કયમ જીવઇ; દૂખી કરી વ્રત શું ઘરઇએ.
પ્રસ્તુત પદાવલી દ્વારા કવિએ કરુણ અને ભયાનક રસનો યુગપપ્રયોગ કર્યો છે. વીરરસઃ
ઉપરોક્ત પ્રસંગે વીર ક્ષાત્રત્વને શોભે તેવો રોહિણેયકુમાર માતાને (ક. ૨૮૨ થી ૨૮૫) ઉત્તર આપે છે.
કહઇરોહણ સૂણિ માયરે, કુટંબ તે કારયમું, પંથી પરિદોહો દશ જસઇ એ જોવન નદિનું પુરરે, રીધિયમ વીજલી; અંજલી જલ ત્યમ આઉખુ એ સૂખ સંજયાનો રંગરે, દેહે કાંત્ય જ અસી; જયમ તરૂઅરનું માનવું એ ચારીત્ર પ્રવહણ સમાન્ય રે, સુખ દઇમુગત્યના; સૂરના સુખ નીસઇસહી એ.
વળી, (કડી-૩૯,૪૦) રોહિણેયકુમાર વીરતાપૂર્વક પિતાને ચોરી, જુગાર અને અબ્રહ્મનું સેવન પાપમય છે, તેવું સમજાવે છે.
હું તો છું નાહનો બાલ્યો રે, નહી પરસ્ત્રી ગમન જકાલ્યો; ભણ્યજુગટઈવીસરી આઈરે, મદિ વિધ્યાતન સધાઈ ચુંસાવ્ય જ મારી ખાઉંરે, જિહમા હું રમવા જાઉં;
પ્રસ્તુત શબ્દાવલીમાં કવિએ વીરરસનું આયોજન કર્યું છે. અદ્ભુતરસ: મહામંત્રી અભયકુમારે ચોરને પકડવા રચેલ દેવભવનની રચનામાં અભુત રસ તરી આવે છે.
સાત ભોમી એક અવાસો, ત્યાહારચના કીધી ખાસો (ક.૧ર૬) માહારત્ન અમુલ્ય આણી, કરઈદેવ ભુવન ઈંધાણી; દેવંગના સરખી નારી, કીધી ત્યાહા ચામરધારી (ક.૧ર૦). ગાંદ્રવ કલા નાટિકથાઈ, વિણા વાહાતી અપછરા ગાઈ; રોહણીઉજમવા બUસારયો, કરી ભગત્યનઈકોઠિઠારયો (ક.૧૨૮) સતો ઉદ્દે નરત્યારઈ, જાગ્યો ઉતરી મદિરા યારઈઃ દેવલોકસરીખું દેખઈ, વીમાનમાહાનાટિક પેખઈ (ક.૧૩૦) દીઠી અપછરા સુંદરસારી, ચમક્યો તવ રીદઈ મઝારી; ચામરવી જઈનારી ચ્યારો, બોલઈમુખ જઈજઈકારો (ક.૧૩૧)
રોહિણેયકુમારની અવનવી ખતરનાક વિદ્યાઓના વર્ણનમાં કવિ અદભુતરસ સાથે ભયાનકરસનાં દર્શન કરાવે છે.
પછઈ કુપકુંડિ નર આવઈરે, મોટા દોરડા જાડા લાવઈ; પગે લાકડાં બાંધી ઉંડઈરે, થઈમાછલો જલમાહા બુડઈ (ઉ.૩૫) વાનર થઈડાલિ ચઢતો રે, પસુ થઈનઈ ઢોરમાહા વઢતો; મુકી જાણઈનીદ્રા અઘોરી રે, પણિ ન કરઈરોહણ ચોરી (ક.૩૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org