________________
શ્લેષ અલંકારઃ
થયો સોર સુભટ સલસલીઆ, નૃપ મંત્રી સહુઈ ત્યાહામલીઆ (ક. ૫૦) * ઉપમા અલંકારઃ
રોહણીઉઘરિવાધઈ જોય, દુતી ચંદપરઈતે સોય (ક. ૩૧) વીજ પરિભડકો થઈ જાય (ક.૯૦) કોટઉલંઘઈ વાનરપરઈં (ક.૯૮) બંધાણો મૃગલો જયમપાશ (ક.૧૦૮) પંખીમાંહિ અધમ (જ)યમ કાગો, ભખઇલીબોલી અંબનો ત્યાગો (ક.૨૨૨) ચપલ કાન ગજ કેરો જોય, રાજ લક્ષ્મી તે એહેવી હોય (ક.૨૫૮) પંથી પરિદોહોદશજસઇએ (ક.૨૮૨) જોવન નદિનું પુરરે, રીધિયમ વીજલી, અંજલી જલ ત્યમ આઉખુએ (ક.૨૮૩) સૂખ સંજયાનો રંગરે, દેહે કાંત્ય જ અસી, જયમ તરૂઅરનું પાનડું એ (ક.૨૮૪) ચારીત્ર પ્રવહણ સમાન્યરે (ક.૨૮૫) શુકના પાઠપરિતસ પરઠો, મછપરિનરતરતો જી. (ક.૩૩૩)
પ્રસ્તુત પદાવલીઓમાં કવિએ ઉપમા અને રૂપકનું ઊભય આયોજન પણ ક્યાંક કર્યું છે. રૂપક અલંકારઃ
અભયકુમાર ઉલટમનિ ધરી, પરણાવસઇ મુઝ સંયમ શરી (ક. ૨૯૮)
પ્રસ્તુત રાસમાં કવિએ શબ્દાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસ અલંકારોનું આયોજન કર્યું છે. વળી, અનુપ્રાસયુક્ત કડીઓની રચના કરી હોવાથી લયબદ્ધ ગાઈ શકાય છે તેમજ કાવ્ય શ્રવણ કરતાં વધુ કર્ણપ્રિય બને છે, તે પંક્તિઓ નીચે મુજબ છે.
હોઈ પૂત્ર સપૂત્ર જેહોરે, તાત વચન ન લોપઈતેહો (ક.૪૩) સાત ભોમી એક આવાસો, ત્યાહારચના કીધી ખાસો (ક. ૧૨૬) 'તેહેનઇતેહ જ અહીત બહુ કરઇ, વલી વાર માનવતીહાધરઇ (ક. ૨૫૬)
ચારીત્ર ચોખાનો ધરનાહાર, ખેરુકરમ તણો કરનાહાર(ક. ૨૬૨)
પ્રસ્તુત કડીઓમાં શબ્દોની ગૂંથણી સરળ ભાષામાં હોવાથી લોકજીભે રમી જાય છે. રસ નિરૂપણ
કાવ્યનું પ્રાણ તત્વ રસપ્રવાહ છે. પ્રસ્તુત રાસકૃતિમાં વીરરસનું નિરૂપણ થયું છે, છતાં તેમાં કરુણ, ભયાનક, બીભત્સ, શૃંગાર અને અદ્ભુત રસની છાંટ પણ જોવા મળે છે. • કરુણરસ
રોહિણેયકુમાર માતા પાસે સંયમની અનુમતિ માંગે છે તે સમયની માતાની સ્થિતિમાં કરુણ રસનું નિરૂપણ થયું છે (ક. ૨૦૯ થી ૨૮૧) તેમજ માતા સંયમની કઠોરતા અને ભયાનકતા દર્શાવે છે.
લોહમતી ઝૂહરે, સૂત તુનાહાનડો; તસકર કુલી, સંયમ કશ્યો એ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org