________________
૨૬o
સંપૂર્ણ શ્રદ્ધા કરી અનાદિની મિથ્યાત્વની ગાંઠ તોડી કેટલાક જીવો સુલભબોધિ બન્યા. કેટલાક માંસાહારી અને અભક્ષ્ય આહારી મુમુક્ષુના સંસાર ત્યાગથી અભિભૂત થઇ શાકાહારી બન્યા. કેટલાક જીવોએ દેશવિરતિ ધર્મ સ્વીકાર્યો. કેવો અપાર મહિમા છે ત્યાગમાર્ગનો અને સાધુવેશનો! વેશનો મહિમા
જેમ પોલીસ, સૈનિકો, કટર, એરહોસ્ટેસ ઇત્યાદિને ઓળખવા તેમનો એક નિર્ધારિત વેશ છે, તેમ જૈન સાધુસંન્યાસીને ઓળખવા એક ચોકકસ વેશ ઠરાવેલ છે.
જૈનશાસનમાં પ્રથમ અને ચરમ તીર્થંકરના શાસનમાં સંઘવ્યવસ્થા માટે સાધુ-સાધ્વીજીને શ્વેત વસ્ત્ર પરિધાનનું સૂચન શ્રી ભગવતીસૂત્ર શ.૨૫, ઉ.૬-૭, સંજયા-નિયંઠામાં છે, જયારે વચ્ચેના બાવીસ તીર્થંકરના શાસનમાં વેશ માટે ચોકકસ એવો કોઇ નિયમ નથી.
પ્રથમ અને ચરમ તીર્થંકરના શાસનના લોકો જડ અને વક્ર છે, જયારે વચ્ચેના બાવીસ તીર્થકરના શાસનના લોકો હજુ અને પ્રાજ્ઞ છે. મોક્ષ પ્રાપ્તિ એ જ સાધુતાનું લક્ષ્ય છે. આ લક્ષ્ય ભૂલાય ન જાય અને સાધક રંગમાં મોહિત ન બને તે માટે પ્રથમ અને ચરમ તીર્થંકરના શાસનમાં શ્વેત વસ પરિધાનનો નિયમ દર્શાવેલ છે.
જૈનદર્શનમાં વેશનો મહિમા અપરંપાર છે. આ વેશને રાજા, ઇન્દ્ર અને લોકો વંદન કરે છે. આ વેશને મેળવવા સ્વર્ગલોકના સમ્યગદષ્ટિ દેવો આતુર છે. આ વેશથી જ ગુરુભગવંતો શ્રાવકોના ઘરે વિના કોઇપૂછપરછ આવાગમન કરી શકે છે.
ઉદાયી રાજાના ખૂની વિનયરત્નમુનિ સાધુવેશના કારણે રાજમહેલમાં સરળતાથી પ્રવેશી શકયા! સાધુવેશના કારણે કુલવાલુક મુનિ ચેડા રાજાની વૈશાલી નગરીમાં પ્રર્વેશી મુનિસુવ્રત સ્તૂપ જમીનદોસ્ત કરી ચેડારાજા પર વિજય મેળવી શકયા. સાધુવેશથી થતા લાભઃ (૧) બાર વ્રતધારી ચુસ્ત શ્રાવક બારમા દેવલોકથી ઉપર ન જઇ શકે પણ મિથ્યાત્વી અભવ્ય આત્મા, વેશધારી સાધુબની નિર્દોષ સંયમનું પાલન કરી બારમા દેવલોકને ઓળંગી નવ રૈવેયક સુધી જઇ શકે છે. (૨) સાધુવેશ અંગીકાર કરતાં જીવદયાનું પાલન, ગુરુસેવા અને બ્રહ્મચર્યપાલન સહજ રીતે શકય બને
છે.
(૩) સાધુબન્યા પછી જ શિષ્ય ગુરની ઉચ્ચ કક્ષાની સેવા કરી શકે. (૪) જિનેશ્વર ભગવંત ભલે ગર્ભથી જ ત્રણ જ્ઞાનના ધારક હોવા છતાં જ્યાં સુધી સાધુવેશ ધારણ ન કરે
ત્યાં સુધી ચોથું મન:પર્યવજ્ઞાન ન થાય. (૫) ઘમ્નરવ્રવેસો; વેશ ધર્મનું રક્ષણ કરે છે. (૬) સાધુવેશ વિના કેવળજ્ઞાન પામેલાને પણ જયાં સુધી સાધુવેશ પરિધાન ન કરે ત્યાં સુધી દેવો કે ઇન્દ્ર વંદન ન કરે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org