________________
૨૫૫
બની) કિંમતી વસ્ત્રો અને આભૂષણો રોહિણેયકુમારને પહેરાવ્યા. માથા પર શહેરો બંધાવ્યો. (અસાધારણ વેશ પહેરાવી) જાણે કોઈ મોટો રાજકુંવર ન હોય તેવો બનાવ્યો. રોહિણેયકુમારનું રૂપ સોળે કળાએ ખીલી ઉઠયું. તેને નગરજનો જોવા આવ્યા. લોકોએ તેના ઓવારણા લીધા. .૩૦૨.
નગરજન અને મહાજન ત્યાં એકત્રિત થયાં. ફોસલપાન (નાગરવેલના પાન અને સોપારી) આપવામાં આવ્યું. કેસર, ચંદન અને ચૂંઆ નામનાં સુગંધિત દ્રવ્યોનો ત્યાં છાંટકાર થયો. કોઈએ ન્યૂછણા તરીકે ધન મૂક્યું. ગાંધર્વ લોકોએ ગીત-ગાન કર્યા. બ્રહ્માએ (વેધક) તે સાંભળવા માટે પોતાનાં કાન ધર્યા. અત્યંત મીઠો અવાજ તંતી (વીણા) માંથી નીકળી રહ્યો હતો. સોનાનાં પુષ્પો અને સોનામહોરો વર્ષીદાનમાં ઉછળી રહ્યાં હતાં.
...૩૦૩. રોહિણેયકુમારને શિબિકામાં બેસાડ્યો. આ શિબિકાને સુંદર રીતે શણગારવામાં આવી. મહામંત્રી અભયકુમારે અને મહારાજા શ્રેણિકે આ શિબિકાને સેવક બની અત્યંત હર્ષોઉલ્લાસપૂર્વક પોતાના ખભા પર ઉપાડી!! રોહિણેયકુમારના મસ્તકે છત્ર ધરવામાં આવ્યું. તેના પડખે ચામરધારીઓ ચામર ઢાળવા લાગ્યા. વરઘોડાની આગળ ઈંદ્રધ્વજા ચાલતી હતી. વરઘોડામાં સ્ત્રી-પુરુષો ઉત્સાહિત બની ખૂબ દાંડીયારાસ રમતા હતાં. આ પ્રમાણે કરતાં કરતાં વરઘોડો જિનેશ્વર ભગવંત પાસે આવી પહોંચ્યો.
...૩૦૪. રોહિણેયકુમાર શિબિકામાંથી નીચે ઉતર્યો. તેણે શરીર પર પહેરેલાં કુંડલ, રત્નજડિતા નવસરો સુવર્ણહાર ઉતાર્યો. તેણે માથાનો મુગટ (શહેરો), દિવ્ય આભૂષણો અને અંગે પરિધાન કરેલાં વસ્ત્રોનો ત્યાગ કર્યો. જેમ મજૂર (હમાલી) પોતાના માથા પરનો ભાર ઉતારી નીચે મૂકે, તેમાં રોહિણેયકુમારે બાહ્ય પદાર્થોનો ત્યાગ કર્યો. આ દશ્ય જોઈ સ્ત્રી-પુરુષોની આંખોમાંથી અશ્રુઓની જલધારા વરસી. કેટલાક સુલભ બોધિ આ દશ્ય જોઈને બોધિ પામ્યા. કેટલાક જીવોએ માંસાહારનો. ત્યાગ કર્યો. લોકોનાં મુખમાંથી ઉદ્ગારો સરી પડ્યાં કે, રોહિણેયકુમાર તારો અવતાર ધન્ય છે!'
...૩૦૫. ગ્રામજનો આ પ્રમાણે રોહિણેયકુમારની સ્તુતિ કરવા લાગ્યા. મુમુક્ષુ રોહિણેયકુમાર વૈરાગી બન્યો. તે ભગવાન મહાવીર સ્વામી પાસે જઈ તેમના હાથે સંયમ સ્વીકારી તે મહાત્મા બન્યો. તેણે સંસારનો (સર્વથા) ત્યાગ કર્યો. તે તો મુક્તિપુરીનો રાગી બન્યો. તેણે (જન્મ-મરણ રૂપ) ભવભ્રમણનો ભય ભાંગી નાંખ્યો. તેની (પુણ્યાનુબંધી) પુણ્ય રાશિનો ઉદય થતાં તે જાગૃત થયો. રોહિણેયકુમારનો આત્મા સૌભાગ્યશાળી હતો.
..૩૦૬ વિવેચન - “રોહિણેયકુમારનું મહાભિનિષ્ક્રમણના પંથે પ્રયાણ' આ પ્રસંગને પ્રસ્તુત ઢાળમાં કવિએ મારૂ રાગમાં ખૂબજ સુંદર રીતે ઉપસાવ્યો છે. આપણી દષ્ટિ સમક્ષ રાજગૃહી નગરીના દીક્ષા પ્રસંગનો તાદશ ચિતારખડો થાય છે.
ક્ષાયિક સમકિતી મગધ નરેશ શ્રેણિક અને અભયકુમાર મુમુક્ષુ રોહિણેયકુમારની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org