SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ સંયમની તૈયારી કરવામાં જોડાઈ ગયાં. મહારાજાએ કર્મચારીઓને બોલાવી શીઘ શિબિકા તૈયાર કરવાનો આદેશ આપ્યો. બીજી બાજુ નગરમાં ચારે તરફ રંગબેરંગી તોરણો બંધાયા. સેવકોએ રથ, હાથી, ઘોડા ઇત્યાદિ શણગાર્યા. ધ્વજ અને નેજા શણગાર્યા. નગરમાં ચારેબાજુ ખુશીનું વાતાવરણ પ્રસરી ગયું. લોકો હરખવિભોર બની દીક્ષાની તૈયારીમાં જોડાયા. નાના મોટા સૌ કોઇ આ મહોત્સવમાં ભાગ લેવા ઉત્સુક બન્યા. પ્રજાજનો રોહિણેયકુમારની મુકત કંઠે પ્રશંસા કરવા લાગ્યા. સ્ત્રીઓ આ માંગલિક પ્રસંગે મંગળ ગીતો ગાવા લાગી. ઠેર ઠેર વાજીંત્રોનો મધુર ધ્વનિ ગુંજી ઉઠયો. લોકો મુમુક્ષુ રોહિણેયકુમારના અંતિમ સંસારાવસ્થાના દર્શન કરવા રાજમહેલની સમક્ષ એકત્રિત થયાં. માનવ મહેરામણ આજ દીક્ષાર્થીના ઓવારણા લેવા ઉમટયું હતું. કેવો હશે તે ભવ્ય અને દિવ્ય પ્રસંગ! | સર્વપ્રથમ મહારાજા શ્રેણિકે મુમુક્ષુરોહિણેયકુમારના હાથે પોતાના ખજાનામાંથી દ્રવ્ય લાવી વર્ષીદાન' કરાવ્યું. જૈનદર્શનમાં દાનનો ખૂબ મહિમા ગવાયો છે. અનુગ્રેહાથે સ્વચનિસર્ગો ટ્રાનમા અર્થાત્ બીજાના કલ્યાણ માટે પોતાની માલિકીની વસ્તુનો ત્યાગ કરવો તેદાન છે. “પંચતંત્ર'માં કહ્યું છે: अयंनिबः परोवेत्ति गणना लघुचेतसाम्। उदार चरितानां तु वसुधैव कुटुम्बकम्।। અર્થઃ સંસારના તમામ જીવો પ્રત્યે મૈત્રીની ઊંચી ભાવના વિકસે છે ત્યારે અન્ય જીવોના લાભાર્થે પોતાની સંપત્તિનું વિસર્જન થાય છે. દાનનો મહિમા તીર્થકરોના જીવનમાં પણ જોવા મળે છે. તે જ ભવમાં મોક્ષ નિશ્ચિત હોવા છતાં દીક્ષા પૂર્વે તેઓ સ્વહસ્તે એક વર્ષ સુધી પ્રતિદિન એક કરોડ, આઠ લાખ સુવર્ણમુદ્રાનું દાન કરે છે. આ દાન માત્ર ભવ્ય જીવો જ પામી શકે છે. તેમના દાનને સંવત્સરિક દાન' કહેવાય છે. વર્તમાન કાળે તેમનું અનુકરણ કરી દીક્ષાર્થીના હાથે વરસીદાન અપાય છે. તીર્થકરોનું અનુકરણ કરતાં રોહિણેયકુમારે મહારાજા શ્રેણિકના ખજાનામાંથી આવેલું દ્રવ્ય દાનમાં આપ્યું. ત્યાર પછી મહારાજાએ મુમુક્ષુની ખૂબ આગતાસ્વાગતા કરી. અહીં મહારાજા શ્રેણિકના જીવનમાં સંયમ અને સંયમી પ્રત્યેની તીવ્ર આદરતાના દર્શન થાય છે. સમ્યગદષ્ટિજીવની મહેચ્છા ક્ષાયિક સમકિતી જીવ ચારિત્ર ધર્મ પામવા તલસી રહ્યો હોય છે પરંતુ ચારિત્ર મોહનીય કર્મ તેને અંતરાયભૂત બને છે, છતાં દીક્ષાર્થીને જોઇને અડધો અડધો થાય છે. “સંયમ કબ હી મિલે' એવા ભાવ તેના હદયમાં ઉછળતાં હોય છે. સમ્યગદષ્ટિમહારાજા શ્રેણિકને સંયમી પ્રત્યે અનન્ય અનુરાગ હતો. તેમણે બોલિબીજની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy