SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ છે. સુજ્ઞ રોહિણેયકુમાર ક્ષણવારમાં ચેતી ગયો. જ્ઞાતિએ ચોર હોવા છતાં તેની સરળતા અને નિઃસ્પૃહતા જોઈ પ્રજાવત્સલ મગધનરેશ રાજનીતિજ્ઞ મહામંત્રી અને પ્રજાજનો આશ્ચર્ય પામ્યા. “રોહિણેયકુમાર સર્વવિરતિના પંથે પ્રયાણ કરશે.’ આ વાત વાયુવેગે નગરમાં પ્રસરી ગઈ. નગરજનોને અચંભો થયો. તેઓ એકબીજો પૂછવા : લાગ્યા. ‘જિનવચન કદી ન સંભળવાની પ્રતિજ્ઞા લેનાર રોહિણેય ચોર શું જિનદેવનું શરણું સ્વીકારશે? શું એ ચોર થઈને હિંસા, જૂઠ, ચોરી, અબ્રા અને પરિગ્રહના પાપોથી મુક્ત થવા ભાવચારિત્ર અપનાવશે? ધન્ય છે રોહિણેયકુમારને! શું તેની સરળતા છે! શું તેની નિઃસ્પૃહતા છે! ધન્ય છે લોહખુર જેવા પિતાને ! ધન્ય છે રત્નકુક્ષિણી માતા રોહિણીદેવીને!' આ પ્રમાણે રાજગૃહી . નગરીના સ્ત્રી-પુરુષો તેના મુક્ત કંઠે વખાણ કરવા લાગ્યા. રોહિણેયકુમારે પુનઃ પુનઃ પોતાના કરેલા દુષ્કૃત્યોની રાજા અને પ્રજાજનો સમક્ષ માફી માંગી તેમજ દીક્ષાની અનુમતિ માંગી ત્યાર પછી મહામંત્રી અભયકુમારને ઠગ્યા હતા તેથી તેમને પણ ખમાવ્યા. રોહિણેયકુમારનો પૂર્વભવ* : (સંસ્કૃત હસ્તપ્રત કડી - ૪૦૧ થી ૪૦૦) રોહિણેયકુમારે જ્યારે પ્રવજ્યા પંથે જવાની ઈચ્છા પ્રદર્શિત કરી ત્યારે મહામંત્રી અભયકુમારે ટીખળ કરતાં કહ્યું, “બુદ્ધિશાળી રોહિણેય! તું આખરે મારી બુદ્ધિથી, મદિરાથી, કે સ્ત્રીથી(દેવાંગનાઓ) ચલાયમાન ન જ થયો.” રોહિણેયકુમારે કહ્યું, “મંત્રીશ્વર! આજે રાત્રે મને એક સ્વપ્ન આવ્યું હતું, જેમાં મને પૂર્વભવનો સંકેત થયો છે. તમે શ્વેતાંબી નગરીના મંત્રી હતા અને હું તમારો અંગરક્ષક હતો. એકવાર અનેક વિદ્યાઓનો જાણકાર કોઈ ધૂતારો જે યોગીનું રૂપ લઈ તમને આશ્ચર્ય બતાવવાં અરયમાં લઈ ગયો. માર્ગમાં બે રાક્ષસો મળ્યાં. આ રાક્ષસોથી બચવા યોગીએ તમને વિદ્યાના બળે વાઘ બનાવ્યા. પહેલા રાક્ષસે તમને હણી નાંખ્યા. બીજા રાક્ષસે મહેંદ્રનાથનું રૂપ રચ્યું. પેલો ધૂતારો યોગી જેવો તેને નમસ્કાર કરવા નીચે નમ્યો ત્યાં તો વાઘ અને મત્સ્યદ્ર બન્ને અદશ્ય થઈ ગયાં. હવે બીજા રાક્ષસે(મયેંદ્રનાથ) દયાભાવથી વાઘને પુનઃ મનુષ્ય બનાવ્યો. ત્યાર પછી, ધૂતારા યોગીના મૃત્યુનું રહસ્ય બતાવતાં કહ્યું, “નરવૃક્ષનું પ્રક્ષાલન કરતાં ધૂતારો યોગી મરી જશે.” નરવૃક્ષની શોધમાં તે(મંત્રીનો જીવ) અરણ્યમાં ભટકતો ભટકતો એક ગુફામાં પ્રવેશ્યો. ત્યાં ધૂતારો યોગી તેને મળી ગયો. યોગીએ તેને ઠપકો આપતાં કહ્યું, “વનમાં રાક્ષસથી બચાવવા મેં તને વાઘા બનાવ્યો અને તું રાક્ષસ સાથે ભાગી ગયો.” વળી ગુફામાં આગળ વધતાં શ્રી પાર્શ્વનાથનું જિનાલયા જોયું. આગળ જતાં માર્ગમાં ગરમ અને ઠંડા પાણીના બે રમણીય કુંડો જોયાં. ત્યાં દેવયુગલ ક્રીડા કરવા * રોહિણેયકુમારના પૂર્વભવનો ઉલ્લેખ દેવચંદ્ર મુનિની સંસ્કૃત હસ્તપ્રતમાં જોવા મળે છે. અન્ય કોઈ સ્થાને તેનો ઉલ્લેખ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy