SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ આવ્યું. દેવ-દેવીએ ગરમ કુંડમાં ઝંપલાવ્યું. ત્યાં અચાનક ચમત્કાર સર્જાયો. દેવયુગલ વાંદરા-વાંદરી રૂપે પરિવર્તન પામ્યા. વાનરયુગલ શ્રી જિનેશ્વર પ્રભુની પૂજા કરી ખૂબ રમ્યા. ત્યારબાદ પુનઃ વાનરયુગલ ઠંડા પાણીના કુંડમાં ક્રિીડા કરવા પડ્યા. હવે વાનરયુગલ પુનઃ દેવ-દેવી બન્યાં. તેઓ ક્રિીડા કરી સ્વ સ્થાને સંચર્યા. ફરીથી બીજે દિવસે પણ દેવ-દેવી ત્યાં આવ્યા ત્યારે મંત્રીશ્વરે કુતૂહલવશ ધૂતારા યોગીને પૂછીને કુંડમાં ઝંપલાવ્યું. મંત્રીનો જીવ વાંદરારૂપે પરિણમ્યો. હવે તે બીજા વાનરોની સાથે અરણ્યમાં ફરવા લાગ્યો. અરણ્યમાં ફરતાં ફરતાં તેણે(મંત્રીના જીવે) દેવ વાનર અને દેવી વાંદરીનો વાર્તાલાપ સાંભળ્યો. દેવ વાનરે દેવી વાંદરીને રહસ્ય બતાવતાં કહ્યું, “આ નરવૃક્ષ છે અને તેનાં દૂધથી જમીનમાં રહેલ નિધાન દેખાશે.” મંત્રી વાનરને વાર્તાલાપ પરથી નરવૃક્ષની ભાળ મળી ગઈ. તે ઠંડા કુંડમાં ઝીલ્યો. તે વાનરમટી મનુષ્ય બન્યો. બીજે દિવસે મંત્રી અને ધૂતારો યોગી અરણ્યમાં ફરતાં ફરતાં તે જ નરવૃક્ષ પાસે આવ્યાં. મંત્રીએ નરવૃક્ષનું પ્રક્ષાલન કર્યું ત્યાં તો નરવૃક્ષનો અધિષ્ઠાયક (યક્ષ) પ્રગટ થયો. તેણે ધૂતારા, યોગીને ફાડી ખાધો. બીજી બાજુ મંત્રી અદશ્ય થતાં તેનો અંગરક્ષક (રોહિણેયનો જીવ) અરયમાં શોધવા નીકળ્યો. યોગાનુયોગ જંગલમાં તે બન્નેનો ભેટો થયો. મંત્રીએ અંગરક્ષક પાસેથી ધનુષ્યબાણ લઈ નરવૃક્ષ ઉપર છેદ કર્યો. ત્યાંતો દૂધની ધારા વહી. તે દૂધ મંત્રીએ પીધું. દૂધ પીતાં જમીનમાં રહેલું નિધાન(ચરુ) દેખાયું. ચરુ લઈ હું અને તમે (મંત્રી અને અંગરક્ષક) બંને શ્વેતાંબીના ઉધાનમાં પ્રવેશ્યા. ત્યાં કેશી ગણધર બિરાજમાન હતાં. તેમની પાસે બેસી દેશના સાંભળી. તેમણે જે કંઈ કહ્યું તે મૂર્ખભાવવાળો હું(અંગરક્ષકનો જીવ) મોહવશ સમજી શક્યો નહીં. મેં કહ્યું, “આ સંદર્ભમાં હું કંઈ સમજ્યો નહીં, તમે મને ફરીથી કહો.” ત્યારે મંત્રી એવા તમે મને કહ્યું, “અવસરે કહીશ.” આ. રીતે સમય જતાં ગણધરના બોધ વાક્યો વડે તમે પ્રતિબોધ પામ્યા અને શ્રેણિક પુત્ર થયાં. જ્યારે હું મૂઢતાવશ જિનવાણીની અવગણના કરી અબુધ રહ્યો તેથી વૈભારગિરિની ગુફામાં ઉત્પન્ન થયો. આ સ્વપ્ન સત્ય છે કે અસત્ય; એ હું જાણતો નથી તેથી શ્રી વીરપ્રભુને જઈને પૂછીશું. ત્યાર પછી રોહિણેયકુમારેપ્રભુ પાસે જઈને સ્વપ્નની વાત પૂછી. પ્રભુએ કહ્યું, “આ વાત સત્ય છે.” સ્વપ્ન દ્વારા પોતાનો પૂર્વભવ જાણી પ્રબુદ્ધ બનેલો રોહિણેયકુમાર જિનવાણીને હદયસ્થ કરી દીક્ષા લેવા તત્પર બન્યો. દીક્ષા લેતાં પૂર્વે તે રાજાના સેવકો, કોટવાલ, પોતાના સાથીદારો, સ્વજનો અને કુટુંબીજનોને મળ્યો. સર્વ સાથે જાણતાં-અજાણતાં અપરાધ થયો હોય તો તેની ક્ષમાપના કરી. તેનું હદયપોકારી ઉડ્યું. “મિત્ર માનું બધા જીવને ભાવ જાગ્યા છે મારા હદયમાં” રાસનાયકના હદયમાં ક્ષમાપનાના ભાવ ઉભરાયા. શ્રુત કેવલી ભદ્રબાહુ સ્વામીએ “મિચ્છામિદુક્કડ' શબ્દનો સુંદર અર્થ બતાવ્યો છે. “મિર શબ્દ મૃદુ-માર્દવપણાના અર્થમાં છે. દુષ્કૃત્યની ગમાં પશ્ચાતાપરૂપે મિચ્છામિદુક્કડં કહેતાં હદય અતિ નમ્ર અને કુણું બને છે. છા’ નો અર્થ દોષોનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy