________________
૨૩૬
રોહિણેયકુમારે દઢતાપૂર્વક કહ્યું, “રાજન! હવે વિલંબ કરવો અસહ્ય છે. હવે હું ગૃહવાસમાં નહીં રહું. મારો નિર્ણય અપ્રતિમ છે. હું શીધ્રાતિશીધ્ર ચોરીનો માલ પાછો આપી મહાપ્રવ્રજ્યા નો સ્વીકાર કરવા ઈચ્છું છું.”
રોહિણેયકુમારની વાણીમાં પારલૌકિક પરમ હિત સાધવાનો નિર્ણયનો રણકો હતો. તેના હદયમાં વૈરાગ્યના ઉછળતા સાગરનો ઘુઘવાટ હતો. તેના દ્વેષ, નફરત અને ક્રૂરતાના તોફાન શમી ગયાં, તેનું સ્થાન ક્ષમા, નિર્લોભતા અને મૃદુતાએ લીધું.
શ્રી ઠાણાંગ સૂત્ર'ના ચોથા સ્થાને, ઉ.૪, સૂ.૧૧રમાં ધર્મના ચારપ્રવેશદ્વાર દર્શાવેલ છેઃ
चत्तारीधम्मदारा, पण्णत्ता तंजहा-खंती, मुत्ती, अज्जवे, मवे ।। અર્થ: ધર્મક્ષેત્રના ચારપ્રવેશ દ્વાર છે. ક્ષમાભાવ, નિર્લોભતા, સરળતા અને મૃદુતા.
જ્યાં સરળતા છે ત્યાં નિર્ભયતા છે. જ્યાં નિર્ભયતા છે ત્યાં આત્મવીર્ય ઉલ્લસિત થાય છે.
રોહિણેયકુમાર પ્રથમથી સાત્વિક વૃત્તિ ધરાવતો હતો. સમય અને સંજોગો પ્રતિકૂળ મળતાં સાત્વિક વૃત્તિને દબાવી આસુરી વૃત્તિ બળવાન બની. પુનઃ દૈવીવૃત્તિએ આસુરી વૃત્તિને દબાવી.
કષાયોના ચડાવ અને ઉતાર અથવા આવાગમનની જીવ પોતાનું સત્વ ગુમાવે છે. જ્યારે કષાયોની ઉપશાંતતમાં જીવની ખુમારી પ્રગટે છે. ભગવાન મહાવીર સ્વામીએ અનેક વખત સમતા ખંડિત કરી સમકિત રત્ન ગુમાવ્યું ત્યારે અધોગમન થયું.
નયસારના ભવમાં મુનિવરને પ્રીતિપૂર્વક દાન આપી, જિનવાણીનું શ્રવણ કરી સ્વ-પ્રનો વિવેક જાગૃત થતાં સમકિત મેળવ્યું. આત્માનો ઉર્ધ્વગમન થયો.
ત્રીજા મરીચિના ભવમાં ત્રિદંડીપણાના વેશમાં શિષ્યના રાગે ઉસૂત્રની પ્રરૂપણા કરી સમકિતનો સૂર્યાસ્ત કર્યો.
ત્યાર પછી મોટા મોટા બાર ભવો સુધી ધનના લોભમાં, વિષય વાસનાપૂર્વકભોગ વિલાસમાં તથા હિંસા, જૂઠ આદિપાપકાર્યોમાં સમકિત પ્રાપ્ત ન થયું.
સોળમા વિશ્વભૂતિના ભવમાં પુનઃ સમ્યગદર્શનનો દીપક પ્રગટાવ્યો. મુનિપણું પ્રાપ્ત થયું. સમકિતના પ્રભાવે તપશ્ચર્યા, ધ્યાન, સાધના વડે સંયમ સ્થાન શુદ્ધ બનાવ્યું. તે જ ભવમાં પિત્રાઈ ભાઈના અપમાનથી ઉત્તેજિત થઈ મુનિવરે નિદાન કરી કષાયરૂપી વાયુ વડે સમકિતની જ્યોત ઓલવી નાંખી તેથી પુનઃ અધ:પતન થયું.
અઢારમા બિપૃષ્ઠ વાસુદેવના ભવમાં અગીયારમા શ્રેયાંસનાથ તીર્થકરના ચરણમાં પુનઃ સમકિતનું તેજ પ્રકાશિત થયું. રાજ્યોની ખટપટ, વિષયવાસનાની તીવ્ર લાલસાએ ફરીથી એકવાર સમકિત ગુમાવ્યું. વળી, તે ભવમાં શય્યાપાલકના કાનમાં ગરમાગરમ સીસું રેડાવી, રૌદ્રધ્યાન કરી નરકમાં ગયા.
બાવીસમા ભવમાં આત્મજ્યોતિના પ્રકાશથી વિમલકુમારે સંસાર તોડી સંયમ સ્વીકાર્યો. જીવમાત્ર પ્રત્યે અહિંસાની તીવ્ર ભાવના અને તપશ્ચર્યાથી કર્મમલ ધોવાઈ જતાં પુનઃ આત્મજ્યોતિ વધુ પ્રકાશમાન થઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org