________________
૨૨૫
ગયા. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' અ.૧૩ ચિત્ત સંભૂતીય', જેમાં બ્રહ્મદત્ત ચક્રવર્તીનો અધિકાર છે.
ધોધમાર વરસાદ વરસે ત્યારે છત્રી ઓઢીને રહે તે પલળે નહીં, તેમ જિનવાણીનો ધોધમાર વરસાદ વરસે છતાં નિષ્ફરતાની છત્રી ઓઢનારનું હદય ભીંજાતું નથી. બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા આત્મા ઓનાં આંતરિક ગુણોનું પરિણમન થતું નથી.
વંધ્યા કે માતા બનવા પાછળ જેમ તે સ્ત્રીનું શારીરિક બંધારણ કાર્ય કરે છે, તેમ ભવ્ય કે અભવ્ય આત્માઓમાં પણ તે તે આત્માનું બંધારણ-સ્વભાવ મુખ્ય કારણ છે. ભવ્ય આત્માનું લક્ષણ કોમળતા છે જયારે અભવ્ય આત્માનું લક્ષણ કઠોરતા છે.
સંખ્યા શાસ્ત્રમાં નવ અસંખ્યાતની સંખ્યા વટાવી આગળ વધતાં નવ અનંત આવે છે. તેમાં પ્રથમ ત્રણ અનંત પરિત' અનંતા છે. પછીના ત્રણ તે “યુક્ત’ અનંતા છે. તેથી આગળ ‘અનંત’ અનંતા છે. તેમાં અભવ્ય જીવો ચોથા અનંત જેટલા છે.
સાત અભવ્યો શાસ્ત્રોમાં પ્રચલિત છે. (૧) કપીલાદાસી (૨) કાલસૌકરિક કસાઇ (૩) પાલક (શ્રી કૃષ્ણ મહારાજાનો પુત્ર) (૪) પાલક (સ્કંધકસૂરિના ૫૦૦ શિષ્યોને ઘાણીમાં પીલનારો) (૫) વિનયરત્ન મુનિ (૬) અંગારમર્દક આચાર્ય (0) સંગમદેવ (ભગવાન મહાવીરને ભયંકર ઉપસર્ગ આપનાર). •
જેમ કોરડા મગ આકરા અગ્નિમાં પણ ન ચડે, તેમ અભવ્ય આત્માઓ પર જિનવાણીનો અનરાધાર વરસાદ વરસે છતાં કોઇ રીતે તત્ત્વ શ્રદ્ધા ન જન્મે. તેના સંદર્ભમાં કવિ વિનયરત્ન મુનિનું દષ્ટાંત પ્રસ્તુત કરે છે.
ગુરનો લાંબા કાળનો સત્સંગ કે સંયમના ઉપકરણો અભવી વિનયરત્ન મુનિની વૃત્તિઓને બદલી ન શક્યા. વસંત ઋતુનું આગમન થવા છતાં કેરડાનાં વૃક્ષને ફૂપણો ન ફૂટે, તેમ મહામિથ્યાત્વી જીવોને ચિત્તમાં અનુકંપાન ફૂટે.
સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું છે:
રાગ-દ્વેષ મળગાળવા, ઉપશમ રસ ઝીલો;
આતમ પરિણતિ આદરી પર પરિણતિ પીલો.”
જ્ઞાનદશા પ્રાપ્ત કરવા કષાયોની ઉપશાંતતા અને વિષયોની ખણજ ઠારવા જેવી છે. રાગાદિ દોષોનો ઉપશમ એ જ ખરો ધર્મ છે. તેના સંદર્ભમાં બૌદ્ધ ધર્મમાં અંગુલિમાલ લૂંટારાનું દષ્ટાંતા પ્રસિદ્ધ છે.
અર્જુનને શ્રીકૃષ્ણ સારથીરૂપે મળ્યા, તેમ આંગુલિમાલ ને મહાત્મા બુદ્ધ સારથીરૂપે મળ્યા. તે સંસારમુકત બન્યો. અંગુલિમાલ લૂંટારો નિર્દોષ પ્રજાજનોની આંગળીઓ કાપી તેની માળા બનાવી પહેરતો હોવાથી તેનું નામ 'અંગુલિમાલ' પડયું. મહાત્મા બુદ્ધના સત્સંગથી તેના હદયમાં સંગ્રહ થયેલ વેર અને નફરતનાં ઝેરનું નિવારણ થયું. બુદ્ધના દૈવી પ્રેમથી દુર્ભાવનારૂપી વિષનું નિર્મુલન થયું. અંગુલિમાલ મહાત્મા બુદ્ધનો શિષ્ય બન્યો. તે ભિક્ષા લેવા જંગલના પાસેના ગામમાં ગયો. લોકોએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org