SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ૧૦= ઉત્કૃષ્ટ ૧૫૦ ચક્રવર્તી જ હોઇ શકે. તેનાથી દેવાધિદેવ સંખ્યાત ગુણા છે. તેઓ ઉત્કૃષ્ટ ૧૦૦ (તીર્થકર) હોઇ શકે. મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયો છે. પાંચ મહાવિદેહ ક્ષેત્રની ૩૨x૫ = ૧૬૦ વિજયો છે. પ્રત્યેકમાં તીર્થકર હોય તો ૧૬૦ તીર્થકર થાય. તે જ સમયે પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં પણ એક-એક તીર્થકર હોય તો તે ૧૦ તીર્થકર ઉમેરતાં ૧૬૦+૧૦=૧૦૦ તીર્થકર થાય છે. તેનાથી ધર્મદેવ સંખ્યાતગુણા છે. તેઓ એક સમયે જઘન્ય બે હજાર દોડ, ઉત્કૃષ્ટ નવા હજાર કોડ હોય છે. તેનાથી ભવિક દ્રવ્યદેવ અસંખ્યાતગુણા છે કારણકે દેવગતિમાં જનારા દેશવિરતિ, અવિરતિ સમ્યગદષ્ટિ જીવો (તિર્યંચ પંચેન્દ્રિય) અસંખ્યાતા છે. તેનાથી ભાગદેવ અસંખ્યાતગુણા છે. તેઓ સ્વભાવતઃ અસંખ્યાતા જ છે. મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી દ્રવ્યદેવમાંથી દેવાધિદેવ બનવાનો પુરુષાર્થ કરવો એ જ જીવનું ચરમ લક્ષ્ય છે. અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત થયેલા આત્મામાં જ્ઞાનનો સુંદર પ્રકાશ પાથરનાર સૌથી ઉંચા પાવરના ગ્લોબ સમાન જિનવાણી છે, છતાં વિવેક વિકલતાના કારણે, રાગદ્વેષની અંધતાના પરિણામે અભવ્ય, દુર્ભવ્ય અને ભારેકર્મી આત્માઓ હજારો વાર હિતોપદેશ સાંભળ્યા છતાં પ્રગતિશીલ ન બને. શ્રી દેવચંદ્રજીની વાણીનું એક નાનકડું પદ યાદ આવી જાય છે: “તત્ત્વરસિકજન થોડલા રે, બાહ્ય ક્રિયા રૂચિ જીવ; ઉપદેશક પણ એહવારે, શું કરે? જીવ નવીન... ચંદ્રાનન જિન!” અર્થ: દેખાદેખી, બાહ્ય ક્રિયાકાંડ અને લૌકિક વ્યવહારમાં ગૂંથાયેલા જીવોને તત્ત્વની વાતો રુચતીનથી તેથી તત્ત્વરસિક જનો બહુ અલા પ્રમાણમાં છે. વળી, તાત્ત્વિક રુચિ ઉત્પન્ન કરાવી શકે એવા મહર્ષિઓ પણ વર્તમાન કાળે અતિ અલા છે. કમભાગી જીવો શું કરે? હે ચંદ્રાનન જિન! તત્વ શ્રવણ વિના બોધિ પ્રાપ્ત ન થાય તેથી પુનઃ જીવ ૮૪ લાખ યોનિમાં રખડતો રહે છે. આ જીવે પરિભ્રમણ સિવાય નવું શું મેળવ્યું? જિનવાણી પાપકર્મોથી વિરામ પમાડે છે, છતાં પ્રબુદ્ધ ન થનારા જીવાત્મામાં કવિ બષભદાસ બહાદત્ત ચક્રવર્તી અને ઉદાયી રાજાના હત્યારા વિનચરત્ન મુનિનું દષ્ટાંત સૂચવે છે. આ અવસર્પિણી કાળમાં ભરત, સગર, મઘવા, સનકુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મહાપઘ, હરિષેણ, જયસેન આ દસ ચક્રવર્તીઓ જિનવચનથી પ્રબુદ્ધ થયા. તેઓએ સુખ ભોગોને દુઃખમૂલક, સંસાર પરિવર્ધક, દુર્ગતિકારક, આર્તધ્યાનના હેતુ જાણી ત્યાગ કર્યો. તેમણે જિનાજ્ઞા અનુસાર સંયમનું સુંદરપાલન કરી શિવપુરીના સુખ પ્રાપ્ત કર્યા. *બ્રહ્મદત અને સૂભમ નામના બે ચક્રવર્તીઓ રાજયની આસકિત અને કામભોગોનું મમત્વ ન છોડી શકયા. જિનવાણીને હદયસ્થ ન કરતાં અત્યંત રૌદ્રધ્યાનપૂર્વક મૃત્યુ પામી સાતમી નરકમાં * બ્રહ્મદત્ત ચક્રવર્તી અને વિનયરત્ન મુનિની કથા : જુઓ પરિશિષ્ટ વિભાગ - ૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy