SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ કર્યું, જેથી શરીરનો દાહ શાંત થયો. હજી માંસમાં કૃમિ હતી તેથી ફરી લક્ષપાક તેલનું મર્દન કર્યું. કૃમિ બહાર આવી. રત્નકંબલ ઓઢાડી, કૃમિને તેમાં લીધી અને ગાયના મૃતક દેહમાં મૂકી. ફરી ગોશીષ ચંદનનું વિલેપન કર્યું. હજી કૃમિ હાડકા સુધી પહોંચી ગઇ હતી. ફરી તે જ પ્રક્રિયા કરી. હવે મહાત્માની કાયા કંચનવર્ણ થઇ ગઇ. તેમના ઉપદેશથી પ્રતિબોધ પામી છ એ મિત્રો એ સંસારનો ત્યાગ કરી ચારિત્રા સ્વીકાર્યું. - લક્ષ્મીનો સવ્યય, મહાત્માની સેવા, જિનવાણીને હદયસ્થ કરવાથી અને નિરતિચાર ચારિત્રનું પાલન કરવાથી તેઓ રૈવેયક વિમાનમાં મતાંતરે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી જીવાનંદ વૈધનો જીવ ચક્રવર્તી બન્યો. ચક્રવર્તીના આત્માએ પૂર્વે દૂર દૂરથી ઔષધ, પાણી, પથ્ય આહાર, અનુપાન લાવી શ્રમણોની સેવા કરી હતી તેથી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું. તેના ફળ સ્વરૂપે આ અવસર્પિણી કાળમાં સર્વપ્રથમ નરદેવ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પાંચ પ્રકારના દેવ: १००पंचविहा देवा, भविय दव्वदेवा, णरदेवा, धम्मदेवा, देवाहिदेवा, भावदेवा। દેવ એટલે કે દેવા ઈચ્છે તો દઈ શકે તેને દેવ કહેવાય છે. દેવના પાંચ પ્રકાર છે. (૧) ભવ્ય-દ્રવ્યદેવ, મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવો ભવિષ્યમાં ઉત્તમ કરણી કરી દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થવાના છે તેથી તેમને ‘ભવિકદ્રવ્યદેવ' કહેવાય છે. (૨) નરદેવઃ જે રાજા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં સમુદ્ર પર્વત તથા ઉત્તરમાં હિમવાન પર્વત પર્યત છ ખંડની પૃથ્વીના સ્વામી (ચક્રવર્તી) છે, જેને ચરત્ન પ્રાપ્ત થયું છે, જે નવનિધિના માલિક છે, સમૃદ્ધ ભંડારવાળા છે, ૩૨૦૦૦ રાજાના અધિપતિ છે તેવા દેવ તુલ્ય આરાધ્ય સમ્રાટને ‘નરદેવ' કહેવાય છે. (૩) ધર્મદેવ સત્યાવીસ ગુણોથી ઓપતા, નિગ્રંથ મુનિરાજ “ધર્મદેવ' કહેવાય છે. જે જિનનો ઉપદેશ જન જન સુધી પહોંચાડી સ્વયં તરે છે અને બીજાને તારે છે. શ્રુત અને ચારિત્ર ધર્મના આરાધક હોવાથી તેઓ ‘ધર્મદેવ' કહેવાય છે. (૪) દેવાધિદેવ ઃ ચતુર્વિધ સંઘના સંસ્થાપક, વીતરાગી, ચાર કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું છે. અઢાર દોષ રહિત, બાર ગુણોથી સહિત, પરમાર્થિક ઐશ્વર્યયુક્ત અરિહંત દેવને દેવાધિદેવ' કહેવાય છે. (૫) ભાગદેવઃ ભુવનપતિ, વાણવ્યંતર, જયોતિષી અને વૈમાનિક દેવ જેઓ દેવગતિ સંબંધી નામ અને ગોત્ર કર્મનું વેદન કરી રહયા છે તેને ભાવ દેવ' કહેવાય છે. સંખ્યાની દષ્ટિએ જોઇએ તો નરદેવ સૌથી થોડા છે કારણકે ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળમાં ભરત અને ઐરાવત ક્ષેત્રમાં બાર-બાર ચક્રવર્તી ક્રમશઃ થાય છે. પૃચ્છા સમયે દરેક ક્ષેત્રમાં ફકત એક જ ચક્રવર્તી હોઇ શકે છે. મહાવિહેદ ક્ષેત્રમાં ૩૨ વિજયોમાંથી ઉત્કૃષ્ટ ૨૮ વિજયોમાં એક સાથે ૨૮ ચક્રવર્તી અને બાકીના ચાર વિજયોમાં ચાર વાસુદેવ હોય છે. તેથી પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં ૨૮૪૫ = ૧૪૦ ચક્રવર્તી અને પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રના એક એક ચક્રવર્તી મળીને ૧૪૦ + Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy