________________
૨૧૬
લહઇ ઉપદેશ જ હજાર, કેતા નવી બુઝાઅ લગાર; બ્રહ્મ દત્ત નવિ પામ્યો પાર, ઉદાઇ રાયનો મારણહાર ચપલ કાન ગજ કેરો જોય, રાજ લક્ષ્મી તે એહેવી હોય; અણછંsઇ કરમાઇ લેપાય, પછઇ જીવ અધોગતિ જાયા રાવણ લખમણની પરી જોય, નવઇ નંદતે મોરઇ હોય; જરાસંઘ પરમુખ બહુ થયા, અણછંડિ તે નરગઇ ગયા જે સુપરખ નર જગમાહાં હોય, થોડઇ વચનઇ બુઝઇ સોય; ચમ જગમાહિં સનતકુમાર, સુરવચનિ લઇ સંયમ ભાર હલું કરમી રોહણઉ જેહ, સુણતાં બુઝયો સુપરખ તેહ; પુછઇ વીરનિ બહુ પરિઝમી, યતિ ધરમ નિચોગિ કઇ નથી
.... ૨૬૧ તવ જિનવર બોલ્યા ગહઇગહી, યતી ધરમ નિયોગિ તુ સહિ; , ચારીત્ર ચોખાનો ધરનાહાર, ખેરુ કરમ તણો કરનાહાર તવ રોહણ બોલ્યો જિન સાથિ, તો દીખ્ય લેઉં તુમ હાથિ; પણિ શ્રેણિક કની જઇ આવશું, પછઇ સુખિ તુમ સહી પણિ થશુ વંદી વીરનઇ પાછો વલ્યો, આવી નૃપ શ્રેણીકના મલ્યો; લોહખરાનો હું દીકચરો, રોહઉિ નામઇ હું ખરો તુમ નગરીનો લુટણહાર, મૂઝ ઉપરાધ તણો નહી પાર; વીર વચન સુણઉંમઇ સહી, તેણઇ મંત્રી મુઝ ન સકયો ગ્રહી ઉવેખશો મા મૂઝ માહારાજ, પોતાનો લેખવ્યો આજ; , માણસ તુમાહારા મેલો સાથિ, સઘળું ધન સોપું તસ હાથિ હું તો લેઇશ સંયમ ભાર, તો કરો હવઇ માહારી સાર; ભુપઇ તેડયો અભઇકુમાર, સાથ૪ મોકલ્યો તેણીવાર નદી તીરિ પરબત નઇ કુંજ, ચચર ચોહોવટી, અનઇ નીકુંજ; વરખ મુલ અનઇ શમશાન, ત્યાહાથી કાઢી દીઇ નીધ્યાના ગફા ભોંઇરઇ જેહ સોવન, સરોવર માહાથી કાઢયું ધન; શ્રેણિક આગલિ કીધો ઢગ, નૃપ મંત્રીસ અચંભઇ લોગ
... ૨૬૯ અર્થ: આ વિશ્વમાં જીવાત્માને હિતકારી કે અહિતકારી જે છે તે સંબંધમાં જિનેશ્વર ભગવંત કોઈને રોકતા નથી તેમજ તેનું આચરણ કરવા માટે પણ કહેતા નથી. વળી, તેઓ કોઈને બળપૂર્વક હાથ પકડી અકૃત્ય કરતાં અટકાવતાં પણ નથી.
...૨૫૧ પરંતુ જિનેશ્વર દેવ એવો પ્રસંગોપાત ઉપદેશ આપે છે કે જે સાંભળતાં (જીવાત્મા) દેવોના અધિપતિ (ઈન્દ્ર) બને છે. ભગવાન મહાવીર સ્વામીનાં વચનો જો આટલાં ગુણકારી છે. તો માનવભવમાં એક ચિત્તથી સાંભળેલાં જિનવચનનું શું કહેવું?
...૨૫૨ જિનેશ્વરનાં હિતકારી વચનોનો મહિમા જાણીને એક વણિક પણ ઈન્દ્રની પદવી પામ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org