________________
૨૧૩
ઉકરડો સમજીને વહોરાવ્યું. ગુરુની આજ્ઞાથી અયોગ્ય ગોચરી પરઠવા નિરવધ સ્થાન શોધી રહ્યા. જીવદયા પ્રેમી ધર્મરુચિ અણગારે વિચાર્યું, “મારા શરીરથી વધુ નિરવધ સ્થાન બીજું કયું હોઈ શકે?' માસક્ષમણના પારણે ધર્મમાં શૂરવીર મુનિરાજે કડવી તુંબડીનો આહાર કર્યો. અલ્પકાળમાં સમાધિમરણે કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવતારી દેવપણે જખ્યા.
સંયમીનું લક્ષ્ય પરપીડા વર્જન અને પરહિત પ્રવર્તન હોય છે. અષ્ટપ્રવચનમાતા વિશ્વશાંતિ અને વિશ્વમૈત્રીની ભાવના સૂચિત કરે છે. તેમાં જગતના જીવો પ્રત્યે અપાર પ્રેમ અને કરુણાની અભિવ્યક્તિ છે.
સમ્યગદર્શનને સુરક્ષિત રાખવા સર્વવિરતિધર્મ આવશ્યક છે, તેમ સર્વવિરતિધર્મને સુરક્ષિત રાખવા અપ્રમાદ જરૂરી છે.
શ્રી ધર્મદાસ ગણિવર ઉપદેશમાલા' ગ્રંથમાં કહે છે? ___धित्तुण विसामन्नं संजमजोगेसु होई जो सिढिलो।
पड र जई वयणिज्जे सोअइ अगओ कुदेवत्तं ।।२५९।। અર્થ: શ્રમણ ધર્મ સ્વીકારી જે આત્મા પ્રમાદ સેવે છે તે આ લોકમાં વચનીયતા (નિંદા) અને પરલોકમાં કુદેવતા બને છે. ત્યાં પોતાની પૂર્વજન્મની કરેલી ભૂલ પર પારાવાર પસ્તાવો કરે છે. (પણ તેથી શું ફાયદો?)
જિનાજ્ઞા પ્રતિબદ્ધ જીવન જીવનાર મુક્તિનું પરમધામ પ્રાપ્ત કરે છે. સર્વવિરતિ ધર્મ ફક્ત એક મનુષ્ય ગતિમાં જ સુલભ બને છે. છે. દેવ કે તિર્યંચગતિના જીવો સર્વવિરતિધર્મ પ્રાપ્ત કરવામાં ઓછાં ઉતરે છે કારણકે સર્વવિરતિધર્મ છઠ્ઠા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત ત્રણે ગતિમાં છઠ્ઠ ગુણસ્થાનકનથી. દેવ અને નારકમાં ૧ થી ૪ ગુણસ્થાનક છે, જ્યારે તિર્યંચમાં ૧ થી ૫ ગુણસ્થાનક છે; તેવી તેમની ભવિતવ્યતા છે. માનવ ભવમાં જ સર્વવિરતિધરતલવાર મળે છે, અન્ય જીવોમાં સમ્યગ્દર્શનનું તિલક જ મળે છે.
સર્વવિરતિધર્મ કર્મભૂમિનો મનુષ્ય જ મેળવી શકે. અકર્મભૂમિમાં ધર્મ ન હોવાથી સર્વવિરતિધર્મ સ્વાભાવિક જ ન હોય. ભલે, સર્વવિરતિધર્મ માનવ ભાવમાં જ પ્રાપ્ત થાય, છતાં તેમાં ગોત્રની પ્રધાનતા નથી. ઉચ્ચ ગોત્ર પુણ્યથી મળે છે પરંતુ પુરુષાર્થ દ્વારા નીચ કુળમાં જન્મેલ વ્યક્તિ પણ સંયમની આરાધના કરી ઉત્તમતા મેળવી શકે છે.
જૈનધર્મની વિશિષ્ટતા એ છે કે માનવ માનવ વચ્ચે જાતિ, કુળ, વંશ, લિંગ, જન્મસ્થાન, રંગ અને સંપત્તિના આધારે ઉંચ-નીચ સ્વીકાર્ય નથી જૈનદર્શનમાં વર્ણ વ્યવસ્થાને સ્થાન નથી. જૈનદર્શન ગુણ અને કર્મના આધારે જ મનુષ્યનું મૂલ્યાંકન કરે છે.
જૈનાગમ “શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર'નાં પ્રથમ શ્રુતસ્કંધના અ. ૧૩, ગા. ૯ થી ૧૨ અને “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' અ. રપ, ગા. ૩૧-૩૨ માં આ વિચાર વિધેયાત્મક અને નિષેધાત્મક શબ્દોમાં સ્પષ્ટ થયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org