________________
૨૧૧
નામના અનુત્તર વિમાનમાં એકાવતારીપણે અવતર્યા. પરાક્રમી શાલિભદ્ર મુનિની સાધના અત્યંત જોરદાર હતી. તેમનો મોક્ષ અત્યંત નિકટ હતો. સર્વ કર્મ ક્ષય થવાથી અલ્પ વેળા હતી ત્યાં નિયતિએ ભાન ભૂલાવ્યું, ભદ્રામાવડી પોતાની વહુઓ સાથે વૈભારગિરિ પર્વત પર મુનિ (દીકરા)નાં દર્શન કરવા આવ્યાં. શાલિભદ્રની કૃશ કાયાને જોઈ માતા પોતાને ન રોકી શક્યાં. તેઓ કરુણ રુદન કરવા લાગ્યાં. ભદ્રા માતાના કરુણ રુદન સામે શાલિભદ્રમુનિ ઝૂકી ગયા. અનશનની ઘોર સાધનાની સ્થિતિમાં માતા સમક્ષ કરુણાસભર દષ્ટિ કરી. ફક્ત બે-ચાર પળોમાં જ મોક્ષ થવાનો હતો તે તેત્રીસ સાગરોપમ માટે દૂર ઠેલાઈ ગયો. શાલિભદ્રમુનિ કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં પહોંચ્યા જ્યારે “ધન્યમુનિ નિર્વિઘ્ન મોક્ષ પામ્યા!આનું નામ નિયતિ!
ભગવાન મહાવીરે પૂર્વે નંદમુનિના ભવમાં એક લાખ વર્ષમાં અગિયાર લાખથી વધુ માસક્ષમણના તપની અનવરત સાધના કરી છતાં કૈવલ્ય પ્રાપ્ત ન થયું. તેમને ફરજિયાત સ્વર્ગગમના કરવું પડયું. આ છે નિયતિનો પ્રભાવ!
સંયમ આરાધનાનું પરંપર ફળ સ્વર્ગ છે જ્યારે અનંતર ફળ મોક્ષ છે, એવું કવિ શાલિભદ્ર મુનિના દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવે છે.
પ્રસ્તુત ચોપાઈ : ૪માં કવિ સંયમની દુર્લભતાની સાથે તેનું માહારા દર્શાવે છે. વળી જૈના દર્શનની વિશાળતા દર્શાવતાં સંયમમાં જાતિવાદને સ્થાન નથી એવું પણ કહે છે. કવિ તેના સંદર્ભમાં હરિકેશી મુનિનું દષ્ટાંત આલેખે છે.
જ્ઞાનદશાની અખિલાઈને આંબવા માટે સર્વવિરતિ ધર્મનું અવલંબન આવશ્યક છે. સંયમ એ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠત્તમ ધર્મ છે. તેની શુદ્ધિ અને પુણ્ય પ્રચંડ છે. તે “શ્રાદ્ધવિધિ ગ્રંથના' અવતરણથી કહું છું: . मिथ्यादृष्टिसहस्रेभ्यो वरमेको जिनाश्रयी।
जिनाश्रयिसहस्रेभ्यो वरमेको अणुव्रती।
अणुव्रतिसहस्रेभ्यो वरमेको महाव्रती। '
મહાવતિસહસેમ્યોવરમેeોવિનેશ્વરઃ || અર્થ : એક લાખ મંદ મિથ્યાદષ્ટિ માર્ગાનુસારી) જીવો દ્વારા માનવતા આદિનો ધર્મ કરવા દ્વારા જેટલું પુણ્ય અને શુદ્ધિ થાય તેટલું પુણ્ય અને શુદ્ધિ માત્ર દશ હજાર જિનદેવની ભક્તિ કરવાથી થાય છે. જિનભક્તિ દ્વારા થતું તેટલું પુણ્ય અને શુદ્ધિ એક હજાર દેશવિરતિધર જીવો સામાયિક આદિ દ્વારા કરે છે. એક હજાર શ્રાવકો જેટલું પુણ્ય અને શુદ્ધિ માત્ર દસ સર્વવિરતિધર આત્માઓ કરે છે.
- સંક્ષેપમાં હજારો-લાખો અન્ય ધર્મીઓ કરતાં એક જ વિરતિધર શ્રેષ્ઠ છે કારણકે સર્વ વિરતિધરને લોકના સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવો પ્રત્યે હાર્દિક કરુણા છે. એક સર્વવિરતિધર ચૌદ રાજલોકના આઠમા અનંતે રહેલા સર્વ જીવોને અભયદાન આપે છે. “ફરેમિ ભંતે સુત્રની પ્રતિજ્ઞા સર્વ જીવોને રક્ષા *મતાંતરે ધન્યમુનિ પણ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. (જુઓ ‘રાસરસાળ ગ્રંથ- કવિ બદષભદાસ કૃત શ્રેણિકરાસ પૃ-૧૫૩.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org