SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ શ્રી હરિભદ્રસૂરિજીએ યોગબિંદુ ગ્રંથ'માં ગા. ૨૮૦ થી ૨૮૩માં ગ્રંથિનું સ્વરૂપ દશાવ્યું છે. આ ગ્રંથિ રાગ-દ્વેષ અને મોહજન્ય કષાયથી ઘન બનેલી છે. અપૂર્વકરણરૂપ તીક્ષ્ણ ભાવ-વ્રજથી તે ભેદાય છે. અપૂર્વકરણનો કાળ અંતર્મુહૂર્ત છે. અનિવૃત્તિકરણ: અપૂર્વકરણથી આગળ વધેલો જીવ અનંતગણી અધ્યવાયની વિશુદ્ધિ કરતો અનિવૃત્તિ કરણમાં પ્રવેશે છે. અહીંથી જીવ સમકિત મેળવ્યા વિના પાછો ફરતો નથી તેથી તેને અનિવૃત્તિ કહે છે. તેનો કાળ અંતર્મુહૂર્ત છે. અપૂર્વકરણના છેડે રાગ-દ્વેષની ગ્રંથિ ભેદાઈ જતાં એક અંતર્મુહૂર્તના અનિવૃત્તિકરણને પસાર કર્યા પછી જ જીવ સમ્યકત્વ પામે છે. કેમકે તે અનિવૃત્તિકરણમાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકોનો ઉદય ચાલુ છે. અનિવૃત્તિકરણની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાં જ્યારે સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે અંતરકરણની ક્રિયા શરૂ થાય છે, જેમાં મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકોને ઉદય અટકે તો જ સમકિતની પ્રાપ્તિ થાય. ઉપશમ સમકિત પ્રગટ થતાં તે જીવ ચોથા ગુણસ્થાનકે આવે. જીવ મિથ્યાત્વના ઘરમાં રહી મિથ્યાત્વને હટાવે છે. પ્રખ્યદષ્ટિ જીવના લક્ષણો: સમ્યગદષ્ટિ પોતાનું કર્તવ્ય સમજી જીવન વ્યવહાર ચલાવે છે પરંતુ તેમાં માલિકીભાવ રાખતો નથી. તેની પ્રવૃત્તિમાં પાપભીરતા હોય છે. તે સંસારમાં જલકમલવરહે છે. સચેંગદષ્ટિજીવને નિરંતર ભેદજ્ઞાનનો અભ્યાસ હોય છે. જેમ કોઈ અભિનેતા ભિખારીનો અભિનય કરે ત્યારે ભિખારી દેખાય છે છતાં પોતાનું વાસ્તવિક અસ્તિત્વ ભૂલતો નથી, એમ જેણે એકવાર આત્માનો અનુભવ કર્યો છે તેની જ્ઞાયકપણાની પ્રતીતિ સતત ચાલુ રહે છે. - ભરત મહારાજાને બત્રીસ હજાર મુકુટધારી રાજાઓ પ્રણામ કરવા આવતા. તેમણે બાહ્ય શત્રુઓ પર વિજય મેળવ્યો હતો પરંતુ આંતરિક શત્રુઓ પર વિજય મેળવવા, પોતાને હરઘડી જાગૃત કરવા પોતાના સાધર્મિકોને રાજસભામાં બોલાવતા હતા. નિતો ભવાન વર્ધત ભીસ્તસ્માન્મદિન મદિનઅર્થાત્ તમે જીતી ગયા છો, ભય વધતો જાય છે માટે આત્મગુણોને ન હણો, ન હણો.” શબ્દ દ્વારા તેઓ ભરત મહારાજાને સાવધાન કરતા હતા. મહારાજ! તમે છ ખંડ જીત્યા છે પરંતુ પાંચ ઈન્દ્રિય અને મના જીતવાના બાકી છે.) દેવો દ્વારા સુંદર કાયાની રોગ ગ્રસ્ત દશા જોઈ છખંડના ઐશ્વર્યને તૃણવત જાણી બીજી જ પળે સનકુમાર ચક્રવર્તીએ તેનો ત્યાગ કર્યો. એટલું જ નહીં તપ અને સંયમની શુદ્ધતાથી અનેક લબ્ધિઓ મેળવવા છતાં તેનો ઉપયોગ રોગના નિવારણ માટે પણ ન કર્યો. તેમનું લક્ષ કર્મરૂપી રોગને નષ્ટ કરવાનું હતું. તેમણે દેહના ભેદજ્ઞાનથી કર્મનો ચૂરો કર્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy