SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ અપવર્ગ(મોક્ષ)ને પામે છે. | દિવ્યધ્વનિ વિશે શ્રી હેમચંદ્રાચાર્ય રચિત 'વીતરાગ સવ'ના પાંચમા પ્રકાશની અવચૂમિ કહ્યું છે-“હે જિનદેવ!મેરૂ પર્વત વડે મંથન કરાતા ક્ષીર સમુદ્રના ધ્વનિ સમાન ગંભીર નાદ વડે જ્યારે આપ દેશના આપો છો ત્યારે માધુર્યરસથી પરિપૂર્ણ એવા આપની વાણીના ધ્વનિને અપૂર્વ આનંદમ નિમગ્ન દેવગણો તો સાંભળે જ છે પરંતુ અનુપમ સહજ પરમ સુખના પ્રકર્ષથી અર્ધ નિમીલિત નેત્રવાળ મૃગલાંઓ પણ તીવ્ર સ્પૃહાથી સાંભળે છે.” શ્રી ઉપાધ્યાય યશોવિજયજી ૩૫૦ ગાથાના સ્તવન'ના પદ્મવિજયજીકૃત બાલાવબોધમાં કરે છે: પ્રભુતુઝ વાણી મીઠડીરે, મુઝમન સહજ સુહાંઈરે; અમીય સમી મનિ ધરતાંરે,પાપ તાપ સવિ જાય રે” ધર્મબિંદુપ્રકરણમાં ગ્રંથકાર જિનવાણી શ્રવણનું ફળ દર્શાવતાં કહે છે: जिनवचन श्रवणादेः कर्मक्षयोशमादितःसम्यग्दर्शनम! જિનવાણીનું શ્રવણ આદિ ઉપાયોથી કર્મનો ક્ષયોપશમ થવાથી સમ્યગદર્શન પ્રગટે છે. ભવાંતરમાં ભટકતાં ક્યારેક સદ્ગુરુનો ભેટો થઈ જાય તો પણ જેમ વર્ષાબદતુમાં ઊંધો મૂકેલો ઘડો જળથી ભરાતો નથી તેમ વિવેકચક્ષુ જેના બીડાયેલા હોય તેવો જીવાત્મા સદ્ગુરુની વાણીને અંતરપટ પર ઝીલી શકતો નથી. બાકી, પરોપકારી સંતાનો વિહાર, વિચાર, વ્યાખ્યાન અને જીવના પરોપકારનું સર્જન કરે છે. તેમનું જીવન વહેતા જળ સમાન હોવાથી યાત્રિકો(ભવ્યાત્મા)ને અવશ્ય તૃપ્તિ આપે છે. જેમ સમ્રાટ દિગવિજય કરવા નીકળે ત્યારે તેને શત્રુનો નાનામાં નાનો કિલ્લો પણ જીતવો પડે છે, તેમ સાધક ચરમાવર્તકાળમાં સદ્ગુરુના સંગથી કર્મરૂપી શત્રુને હરાવવા જ્ઞાન અને ક્રિયારૂપી વિરાટ છલાંગ લગાવી શકે છે. રોહિણેયકુમાર ભગવાન મહાવીર સ્વામીની વાણીને પોતાના અંતરપટ પર ઝીલવા, લાગ્યો. જિનવાણીના તાપથી મોહ તિમિરની ગ્રંથિઓ ઓળગવા માંડી. ભગવાને ભવ્યજીવ જાણી અનંત પુદ્ગલ પરાવર્તનની રઝળપાટનો તાદશ ચિતાર તેની સમક્ષ ખૂલ્લો કર્યો. મનુષ્યભવની દુર્લભતા, શ્રેષ્ઠતા અને ઉત્તમતા તે અવાબની સાંભળી રહ્યો. દશ બોલની દુર્લભતાઃ જેમ નદીમાં પડેલો પથ્થર પાણીના સતત આવાગમનથી અન્ય પથ્થરો સાથે અથડાઈઘસાઈને સ્વયં ગોળ બની જાય છે, તેમ અનાદિકાળથી મિથ્યાત્વ અવસ્થામાં અનંત દુઃખો સહન કરતાં કરતાં ચતુર્ગતિમાં કૂટાતો, જન્મ-મરણરૂપ આવાગમનથી અનેક કષ્ટો સહન કરતાં કર્મોનો ક્ષય થવાથી જીવની શુદ્ધિ થતાં ક્યારેક મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ભવ દશ દષ્ટાંતે દુર્લભ છે, જેનું વર્ણન “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' અપમાં જોવા મળે છે. કડી-૨૩૪થી ૨૩૬માં દશ બોલની દુર્લભતાનું કવિ શાસ્ત્રોકત રીતે વર્ણન કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy