SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ (૨) તે સોયો સૂતરના દોરાથી બંધાયેલી હોય તો તેને છૂટી પાડતાં થોડો પરિશ્રમ કરવો પડે છે. એ રીતે જે કર્મ તપ, સંયમના પરિશ્રમથી છૂટી જાય તેને બદ્ધ કર્મ કહે છે. (૩) તે સોયોને તારથી બાંધી હોય તો તેને છૂટી પાડવા વધારે શ્રમ કરવો પડે છે, તે જ રીતે જે કર્મો કઠોર તપ, સંયમના પરિશ્રમથી છૂટે તેને નિધત્ત કર્મ કહે છે. (૪) જે સોયોને આગમાં ગરમ કરી લોખંડનો પિંડ બનાવી દીધો હોય તો તેમાંથી સોયોને અલગ કરવી અસંભવ છે તે જ રીતે જે કર્મોને તે રૂપે ભોગવ્યા વિના અન્ય ઉપાયોથી છૂટકારો થવો અસંભવ છે તે નિકાચિત કર્મ છે. નંદિષેણ મુનિનું બાર વર્ષે નિકાચિત ચારિત્ર મોહનીય કર્મ તૂટયું. તેઓ પુનઃ સર્વ વિરતિ ધર્મમાં સ્થિર થયા. પ્રતિદિન દસ દસ જણને પ્રબુદ્ધ કરનાર મહાત્મા મંદિષણની કેવી અમોઘ દેશના શક્તિ(શ્રોતાની લાયકાત હોય તેટલો ધર્મ અવશ્ય પમાડી શકે તેવી શક્તિ) હશે? જિનવાણીથી પ્રબુદ્ધ થયેલા આત્માના અનેક દષ્ટાંતો ઈતિહાસના પાને નોંધાયા છે. આ શાલિભદ્ર, રાજગૃહી નગરીનો ધનારા શ્રેષ્ઠી હતો. મહારાજા શ્રેણિક કરતાં પણ અઢળક સંપત્તિ હોવા છતાં બત્રીસ-બત્રીસ પત્નીઓનો ક્ષણવારમાં ત્યાગ કરી અણગાર ધર્મના પંથે ચાલી નીકળ્યો. પરસ્પૃહાતૂટે ત્યારે વિષય કષાયના કચરાઓ જીવાત્માને તુચ્છ જણાય છે. બુઝ બુઝ' ભગવાન એક જ વાર બોલ્યા અને ચંડકૌશિક પ્રબુદ્ધ બન્યો. પોતાના મુખને દરમાં રાખી દ્રવ્યથી અંતર્મુખ બન્યો. ત્યાર પછી તેણે ભાવથી પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં અંતર્મુખતા કેળવી. જુઓ પેલા હાલિક ખેડૂતને, જે પરમાત્માને જોઈ નાસી ગયો, તે અપવાદરૂપ જ ગણાય. *હાલિક ખેડૂત જિનવાણીથી પ્રબુદ્ધ તો થયો પરંતુ સંયમમાં પુરુષાર્થ ન કરી શક્યો. કેવું સખેદાશ્ચર્ય કે પરમાત્માને મળ્યો છતાં પામી ન શક્યો. જૈનદર્શનમાં દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણ તત્ત્વો છે. તેના પર શ્રદ્ધા કરવી તે વ્યવહારથી સમ્યગદર્શન છે. તત્ત્વશ્રદ્ધાથી આત્મજ્ઞાનનો ઉદય થાય છે. *હાલિક ખેડૂતની કથા : ભગવાન મહાવીર સ્વામી એકવાર વિહાર કરી નાના ગામમાં પ્રવેશ્યા. એક હળ ચલાવનારો હાલિક ખેડૂત થાકેલા બળદ ઉપર ઉપરાઉપરી લાકડી વીંઝતો હતો. બળદ થાકેલા હતા અને હાલિક ખેડૂતને કોઈ પણ. સંજોગોમાં ખેતર ખેડવું હતું. આ દશ્ય જોઈ પ્રભુ મહાવીરનું હદય દ્રવી ઉઠયું. તેમણે ગૌતમસ્વામીને ધર્મ અને કર્મનો ભેદ સમજાવવા મોકલ્યા. ગૌતમસ્વામીની વાણીથી હાલિકખેડૂત સાધુબન્યો. ત્યાર પછી તેને લઈ ગૌતમસ્વામી સમવસરણમાં ભગવાન મહાવીર પાસે આવ્યા. પ્રભુના દર્શન થતાં જ હાલિકનું હદય અજંપો અનુભવી રહ્યું. જાણે કોઈ ભૂત પાછળ પડ્યું હોય તેમ મુનિનો વેશ ત્યજી નાસી ગયો. ગૌતમ સ્વામી આ ઘટના જોઈ સ્તબ્ધ બન્યા. તેમની વિમાસણનો ખુલાસો કરતાં ભગવાન મહાવીરે કહ્યું, “ગૌતમ! જીવમાત્ર પૂર્વકર્મને અને પૂર્વના વેરઝેરને વશ હોય છે. અગાઉના ભાવમાં હું ત્રિપૃષ્ઠ વાસુદેવ હતો ત્યારે હાલિકનો જીવ પ્રજાને રંજાડતા સિંહનો હતો. ત્રિપૃષ્ઠ વાસુદેવે સિંહને મારી નાંખ્યો. એ સિંહ ત્યાર પછી દેવલોકમાં સુદ્રષ્ટનાગકુમાર રૂપે જન્મ્યો, જેણે મહાવીરની સાધનાના આરંભમાં એમની નાવ ડુબાડવાની કોશિશ કરી હતી. એ જ નાગકુમાર આ ભવે હાલિક રૂપે જન્મ્યો છે. વેર ભાવનાની જૂની વાસના જાગી ઉઠી તેથી મુનિનો વેશ પાછો આપી નાસી ગયો.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy