________________
१७८
સાગરોપમ સુધી રહે છે. મોહનીય કર્મનાં પુદ્ગલો વધુમાં વધુ ૭૦ક્રોડાક્રોડી સાગરોપમ સુધી રહે છે. સ્થિતિબંધનું કારણ કષાય છે. કષાયની માત્રા વધુ હોય તો તે વખતે ગ્રહણ થયેલા કાર્મ સ્કંધો વધુ સમય સુધી આત્મપ્રદેશ સાથે સંલગ્ન રહેશે. કષાયની મંદતાથી ગ્રહણ થયેલા કાર્મણ સ્કંધ આત્મપ્રદેશ પર અલ્પ(થોડો) સમય ચોંટી રહે છે.
(૩) રસબંધ :
ઓછા-વધતા પ્રમાણમાં શુભાશુભ ફળ આપવાની શક્તિનો નિર્ણય થવા પૂર્વક કર્મોનું આત્મપ્રદેશ સાથે એકાક્ષર થવું તે રસબંધ છે. દા.ત. જેમ કોઈ લાડુમાં ગળપણ વધુ નાંખવામાં આવે તે તે લાડુમાં મીઠાશ વધુ હોય છે અને ગળપણ ઓછું નાંખવામાં આવે તો મીઠાશ ઓછી હોય, તેમ શુ કર્મમાં ક્યારેક શુભ રસ વધુ હોય તો ક્યારેક શુભ રસ ઓછો હોય તથા અશુભ કર્મમાં ક્યારેક અશુદ્ધ રસ વધુ હોય તો ક્યારેક અશુભ રસ ઓછો હોય છે. તેથી કર્મો પોતાના રસ પ્રમાણે શુભાશુભ ફળને અનુભવ (વિપાક) કરાવી શકે છે.
રસબંધનું કારણ કષાય છે. કષાયની માત્રા વધુ હોય તો અશુભ કર્મમાં તીવ્રરસ અને શુભ કર્મમાં મંદ રસ ઉત્પન્ન થાય છે. જો કષાયની માત્રા ઓછી હોય તો અશુભ કર્મમાં મંદ રસ અને શુભ કર્મમાં તીવ્ર રસ ઉત્પન્ન કરે છે. (૪) પ્રદેશ બંધ :
પોત પોતાના સ્વભાવ અનુસાર દરેક કર્મ(વિભાગ)ને ચોક્કસ પ્રમાણમાં પ્રાપ્ત થયેલા કર્મ દલિકોનો જથ્થો મળે છે. આ કર્મ દલિકના જથ્થાને પ્રદેશ કહેવાય છે. જેમ લાડુમાં કણિયારૂપ પ્રદેશોનું પ્રમાણ ન્યૂનાધિક હોય છે. કોઈ લાડુ ૫૦ ગ્રામનો, કોઈ લાડુ ૧૦૦ ગ્રામનો તો કોઈ લાડુ ૨૦૦ ગ્રામનો હોય છે, તેમ કોઈ કર્મમાં કાર્મણ સ્કંધો અલ્પ હોય છે. તો કોઈ કર્મમાં કાર્મણ સ્કંધો તેનાથી વધુ હોય છે. પ્રદેશબંધનું કારણ યોગ છે. જીવ યોગની પ્રવૃત્તિથી ન્યૂનાધિક પ્રમાણમાં કાર્યણ સ્કંધો ગ્રહણ કરે છે. ધીમી ગતિએ ચાલતો મુસાફર ઓછો રસ્તો કાપે છે. જ્યારે ઝડપથી ચાલતો મુસાફર વધુ રસ્તો કાપે છે, તેમ જીવની પ્રવૃત્તિ મંદ હોય તો વધુ કાર્યણ સ્કંધો ગ્રહણ ન કરે અને જીવની પ્રવૃત્તિ ઝડપી હોય તો કાર્મણ સ્કંધો વધુ ગ્રહણ કરે.
કર્મોમાં બંધ સમયે બંધાયા પછી અધ્યવસાયો દ્વારા કેવી અસર થાય છે તે બાબત કર્મોની વિભિન્ન અગિયાર અવસ્થાઓ છે.
(૧) બંધ : મિથ્યાત્વ, અવ્રત આદિ હેતુઓ દ્વારા કર્મવર્ગણાના સ્કંધોનું આત્માના પ્રદેશોની સાથે ક્ષીરનીરની જેમ એકમેક થવું તે બંધ છે.
(૨) સત્તા : બંધાયેલું કર્મ પોતાનું ફળ આપીને જ્યાં સુધી આત્માના પ્રદેશોથી છૂટું પડતું નથી ત્યાં સુધી તે આત્મા સાથે જોડાયેલું રહે છે તેને સત્તા કહેવાય છે.
(૩) અબાધાકાળ : કર્મ બાંધ્યા પછી અમુક સમય સુધી તે ફળ ન આપે, તે અવસ્થાનું નામ ‘અબાધાકાળ' છે. જે કર્મની જેટલા સાગરોપમની સ્થિતિ હોય, તેટલા જ સો વર્ષનો તેનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org