SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ હ9999999999999999999999999 હું મિથ્યાત્વની ગાંઠ તૂટી પડવાની તૈયારીમાં હતી, તેમાં નિમિત્ત બની જિનદેશના!! રાસનાયકે શું $ જીવનની ક્ષણભંગુરતા અને જીવની ચતુર્ગતિરૂપ દુઃખદાયી વણથંભી વિરાટ સંસારયાત્રાનો પ્રભુના છે જે મુખેથી ચિતાર સાંભળ્યો. તે ઉપદેશ તેના હૃદયમાં સોંસરવો ઉતરી ગયો. મિથ્યાત્વની ગાંઠભેદાણી. $ $ મોહરૂપી અંધકારનો અસ્તાચલ થયો. તેના જીવનમાં સમ્યગદર્શનનું બીજારોપણ થયું, નવું પરોઢ $ ઉગ્યું. તમસમાંથી સત્ત્વ તરફ જવાની યાત્રાનો પ્રારંભ થયો. પરમાત્માની ચતુર્ગતિરૂપ દેશનાએ મનની બારીઓ ઉઘાડી નાખી. તેમાંથી. પરમસુખનો રાજમાર્ગ દશ્યમાન થયો. વિબુદ્ધ રોહિણેયને પોતાની બુટિઓને ચકાસી તેનું વિશ્લેષણ કરવાની આગવી ખૂબી ઉત્પન્ન થઈ. તેણે સુખનો રાજમાર્ગખોળી કાઢયો. સભ્યર્શનજ્ઞાનવરિત્રણ મોક્ષમાર્ગ | અર્થાત્ સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગ્રચારિત્ર એ રત્નત્રયીના સુમેળથી જ કર્મસત્તામાંથી સર્વથા મુક્તિ મળી શકે એવી સૂઝ રાસનાયકને જણાઈ. અનાદિની અવળી માન્યતાઓથી પળવારમાં તે અળગો થયો. બળભાગી . રોહિણેયકુમાર ચોર મટી શ્રમણ બન્યો. આત્માની અગ્નિપરીક્ષામાં આખરે કાંચન શુદ્ધ નીવડ્યું! નિર્દોષ શ્રમણાચારનું સુંદર પાલન કરતાં, બિયોગ પર નિયંત્રણ કરી સંવેગધારી રોહિણેય મુનિએ નિરાકાર ઉપાસના તરફ દોટ મૂકી. સાધનાના શિખરો ઝડપથી સર કરવા અને જન્મ મરણના ફેરાનું નિષ્ક્રમણ કરવા મહર્ષિ ધર્મપથ પર અપ્રમત્તપણે અગ્રેસર થયા. અહિંસા, તપ, તિતિક્ષા, ક્ષમા આદિ ગુણોની પારમિતાનું ફળ મળ્યું એકાવતારી પદ!' સમય સતત સરકતો રહે છે, છતાં જૈન ઈતિહાસમાં સુપ્રસિદ્ધ અને વિરલા વિભૂતિઓમાં ટોચની કક્ષાએ રોહિણેયમુનિની ગણના થાય છે. જિનવાણીની ગૌરવગાથા પ્રગટ કરતું આગવું પાત્ર મનને સંમોહિત કરે છે. મારા અલ્પ યોપશમ અનુસાર મેં રાસકૃતિને મઠારવાનો પ્રયાસ કર્યો છે. આ રાસકૃતિને મેળવી આપનાર સ્નેહી સ્વજન સમાન વિદ્વાન સંશોધક ડૉ. કવિનભાઈ શાહને હું અચૂક યાદ કરીશ. આ ગ્રંથની ઉપાદેયતામાં તેમણે ઉપકારની શૃંખલામાં એક કડી જોડી છે. મારા આ કાર્યમાં તેમનો અતથી ઈતિ સુધી સંપૂર્ણ સહયોગ સાંપડયો છે. તેમણે આ ગ્રંથ માટે વધામણા કે કંડાર્યા છે. હું સદા એમની વાણી રહીશ. દેશ્ય શબ્દો અને પ્રાચીન શૈલીવાળા આ ગ્રંથનું ભાષાંતર કાર્ય કોઈક જગ્યાએ કઠીના હતું. અર્થનો ઉકેલ ન થતાં મન વમળોમાં અટવાતું ત્યારે તરત જ સ્વાધ્યાય પ્રેમી વિદુષી મહાસતીજી શ્રી વિરાગરસાશ્રીજી તેમજ શ્રી ધૈર્યરસાશ્રીજી (પૂ. રાજેન્દ્રસૂરિ મ.સા.ના સમુદાયના)નું સ્મરણ છે ફિ થતાં મન ત્યાં દોડી જતું. જ્યારે જ્યારે જ્ઞાન અને ભક્તિની જિજ્ઞાસા લઈને હું તેમની પાસે દોડી ગઈ છે િત્યારે ત્યારે તેમણે પોતાની પ્રતિકૂળતાને નજરઅંદાજ કરી મારું લોકોત્તર હિત જ પ્રથમ જોયું છે. હું ફિર વર્તમાન કાળે આવા સાહિત્ય રસિક સાધ્વીજીઓ આંગળીના વેઢે ગણાય તેટલા જ છે. તેઓ ફિર હું હસ્તપ્રત ઉકેલવામાં અત્યંત પ્રવીણ (વિશારદ) છે. આ પૂર્વે શ્રી શ્રેણિક રાસ અને શ્રી અભયકુમાર છું રાસ'ની હસ્તપ્રતો ઉકેલવામાં ખૂબ જ મદદરૂપ થયા હતા. જેથી મારું કાર્ય સરળ બન્યું. હું સદા છું એમની વાણી રહીશ. (જીજી (જીજી ) ( ( ( ((((9) ಇದನ್ನು ಸ್ಪಷ್ಟಪಡಿಸುತ್ತಾ ಪ್ರಾಣಪಕ್ಷಪಾಪಾಸುಸ್ತಾಫಾಪಾಸುಪಾಸಾಂಸಾಹಾಸುಪಾಸು ಪಾಸುಸುಷುಪು ಪಾಪ &(ಸಂಪುಪಾಪಸುಸ್ತುಪುರುಸುಗುಸು ಸುಪಾಸುಪುಸುಗುಸುಷುಪು(ಪುಪ್ಪುಸುಷುಪ್ಪುಸುಪುಸುಷುಪ್ಪುಸುಪುತ್ತು Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy