SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 9999999999999999999999999 સ્વકશ્ચમ “શ્રી શ્રુતદેવી ભગવતી, જે બ્રાહ્મી લિપિરૂપ; પ્રણમે જેહને ગોયમા, હું વંદું સુખ રૂપ.” સમ્યગદર્શનનું મૂળ સ્તોત્ર એટલે જિનવાણી. જિનવાણીના ઉદ્ગમદાતા તીર્થંકર પરમાત્મા છે. આ અવસર્પિણી કાળના ચરમ તીર્થકર, જેમની વાણીથી અનેક જીવોએ સખ્યમ્ દર્શનની જ્યોત પ્રગટાવી તેવા શ્રુતગંગાના હિમાચલ સમા પ્રભુ મહાવીર સ્વામીના ચરણોમાં અવિરત વંદના. શ્રત શ્રતપ્રેમી. સુર્યસમાન તેજસ્વી, મેઘાવી પ્રતિભાવંત, એકાવતારી યુગપુરુષ, શાસનોદ્ધારક પૂજ્ય અજરામરજી સ્વામીને અંતઃકરણપૂર્વક કોટિ કોટિ વંદના. લીંબડી અજરામર સંપ્રદાયની પાટ પરંપરાને શોભાવતા માર્ગદર્શક ઉપકારી સાધુ $ ભગવંતોના ચરણોમાં નત મસ્તકે નમસ્કાર. આ ગ્રંથને આકાર આપવા માટે સૌ પ્રથમ પ્રેરણાદાતા અને આશીર્વાદની વર્ષા વરસાવનાર લીંબડી અજરામર સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા પૂજ્ય ઝરણાકુમારી મહાસતીજી જેમના પીઠબળથી મારી શ્રુતભક્તિરૂપ સાહિત્ય લેખનની પ્રવૃત્તિ અસ્મલિત રીતે વહી રહી છે. તેમનો આ તકે અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું. વળી, તેમના સતીવૃંદે ગ્રંથ ઉપાદેયતામાં મદદરૂપ થઈ કાર્યને સુગમ બનાવ્યું છે, તે બદલ હું સર્વનો હાર્દિક આભાર માનું છું. | મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મંગલ પ્રારંભ રાસા સાહિત્યથી જ થાય છે. જૈન, સાધુ કવિઓ અને વિદ્વાન શ્રાવકો રાસ સાહિત્યના આદ્ય પ્રણેતાઓ છે. મધ્યકાલીન યુગના વિખ્યાત જિનોપાસક ગૃહસ્થ કવિ કહષભદાસ “રોહિણેય' કથાનકને કેન્દ્રમાં રાખી તેના માધ્યમે જિનવાણીની મહત્તાનું પ્રતિપાદન કરે છે. તે પૂર્વે તેમની જ રાસકૃતિ “સમકિતસાર રાસ' (સમ્યગદર્શનનું સ્વરૂપ) જે અપ્રકાશિત છેકૃતિ હતી, તેને પ્રગટ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. “સમ્મત્તમ મહાનિબંધ પુસ્તકરૂપે પ્રગટ જે થયું. મુંબઈ યુનિવર્સિટી તરફથી Ph.D. ની પદવી મળી. ત્યાર પછી પ્રતિભાસંપન્ન કવિ 2ષભદાસની અન્ય અપ્રકાશિત કૃતિઓને પ્રકાશિત કરવાની અભિલાષા જાગી. “શ્રી શ્રેણિક રાસ અને શ્રી અભયકુમાર રાસ' આ બે અપ્રકાશિત રાસકૃતિઓ રાસ રસાળ' ગ્રંથના નામે પ્રકાશિત & થઈ. ત્યાર પછી જિનવાણી સમ્યગદર્શનનું કારણ હોવાથી “રોહિણેય રાસ' અપ્રકાશિત કૃતિનું છે હિં સંશોધન કાર્ય પસંદ કર્યું. આ પ્રસ્તુત ધર્મકથાનુયોગની કૃતિમાં રાસનાયકના જીવનમાં આવતા અવનવા પ્રસંગોથી છે આત્મિક અપકર્ષ અને ઉત્કર્ષ જોવા મળે છે. પ્રચંડ ગરમીના સમયમાં એકાએક ધૂળની ડમરીઓ હું ઉડેને વાતાવરણને અસ્ત વ્યસ્ત કરી દે, તેમ અચાનક રોહિણેયકુમારના જીવનમાં દુર્ગાનની ડમરીઓ ઉઠી; વૈમનસ્યનો ઉષ:કાળ થયો તેથી આત્માનો અપકર્ષ થયો. ભવિતવ્યતા (આત્મિક ઉપાદાન)નો પરિપાક થતાં જિનદેવના થોડા વેણ અક હું કાને સંભળાયા. આ વેણ થકી રાસનાયકને જીવનદાન મળતાં હદયપલટો થયો. અનાદિની શું જીલ્વછછછછછ હજીદ્ધજીજીબ્રહ99999999999 સ્માત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy