SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉપરાંત પૂ. રામચંદ્રસૂરિજીના સંપ્રદાયના સાધ્વીજી શ્રી ચંદનબાળાશ્રીજી પણ છે. છે રોહિણેય રાસની સંસ્કૃત હસ્તપ્રત અને કેટલીક કથાઓ મોકલી મારા કાર્યમાં મદદરૂપ થયા છે. હું છે જેમાંથી રોહિણેયકુમારનો પૂર્વભવમળ્યો છે. હું તેમને આ પ્રસંગે જરૂરથી યાદ કરીશ. આ ગ્રંથનું નામકરણ આપનાર ડૉ. ધનવંતભાઈ શાહનો હું આ પ્રસંગે આભાર માનું છું. હું આ સંશોધનાત્મક ગ્રંથમાં મારા Ph.D ના માર્ગદર્શક ડૉ. અભયભાઈ દોશીએ સમયે હું હું સમયે માર્ગદર્શન આપી મંઝિલ તરફ આગળ વધવામાં સધિયારો આપ્યો છે. તેમની હું બહણી છે શું રહીશ. આ પુસ્તકનું મુદ્રણ કાર્ય અપ્સરા કોપી સેંટરના ઉત્સાહી નવયુવાનો શ્રી ખિલેનભાઈ છે હું સત્રા તથા શ્રી વિપુલભાઈ દેઢિયાએ જહેમત ઉઠાવી મર્યાદિત સમયમાં કાર્ય પૂર્ણ કર્યું છે. હું તેમની શું આભારી રહીશ. મારા આ ગ્રંથને પુસ્તકરૂપે પ્રગટ કરવામાં શ્રુતજ્ઞાન ભક્તિથી પ્રેરાઈને સહયોગા $ આપનાર શ્રી મેઘજીભાઈ નીસર અને શ્રી નવીનભાઈ નીસર તથા શ્રી રમેશભાઈ ગાલાનો હાર્દિક આભાર માનું છું.' આ ગ્રંથને સાકાર કરવામાં મારા પતિ જયંતિલાલ સત્રા તથા પરિવારજનો, પુસ્તકોના પરબ સમાન વેવાઈ રતનશીભાઈ, મહેન્દ્રભાઈ, પ્રીતિભાભી, રાજેશભાઈ, દામજીભાઈ, દમયંતીબેન તથા લેખિત નામો સિવાય કોઈ વ્યક્તિ અને સંસ્થાએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંશોધન કાર્યમાં સહાય કરી હોય તો તેઓનો આભાર માનું છું. પ્રસ્તુત રાકૃતિ કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા)થી પ્રાપ્ત થઈ છે. તે બદલ હું તે . સંસ્થાની આભારી રહીશ. વિવિધ ગ્રંથ ભંડારો, ગ્રંથાલયો, ગ્રંથપાલો, ત્યાંના કાર્યકર્તાઓએ $ વિદ્યાભ્યાસમાં જે સગવડ પૂરી પાડી છે, તેને વિસરી શકાય એમ નથી. મારી મતિમંદતાથી અર્થઘટન (લિપ્યાંતર) કરવામાં ક્ષતિ રહી હોય તેમજ જિ $ વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં. આ ગ્રંથ ઉપાર્જનમાં કોઈ ત્રુટિ જણાય તો તેનું પરિમાર્જન કરવા નમ્ર પ્રાર્થના છે. વ્યાકરણની દષ્ટિએ ચિકિત્સા કરતાં કોઈ ક્ષતિ રહી હોય તો ક્ષમા યાચું છું. ગ્રંથનું અધ્યયન ભવ્યજીવોને મુક્તિ સુખના ભાગી બનાવે તેવી શુભેચ્છા. પુસ્તક પ્રકાશન પ્રાપ્તિ પળે. આ ગ્રંથ પુસ્તક રૂપે જન્મ લઈ રહ્યું છે ત્યારે લીંબડી અજરામર સંપ્રદાયના સાહિત્ય $ પ્રેમી પ.પૂ.મ. પ્રકાશચંદ્રજી સ્વામીએ પ્રસ્તાવના રૂપે આશીર્વાદ મોકલાવ્યા છે. તે બદલ હું સદા તેમની $ ણી રહીશ. પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, મુંબઈ યુનિવર્સિટીના અધ્યાપક ડૉ. ધનવંતભાઈ શાહ, $ ભવન્સ કોલેજના વાઈસ પ્રિન્સિપાલ ડૉ. ઉત્પલા મોદી તેમજ વિદ્ધાન સંશોધકોએ આશીર્વાદના $ ઉપહાર મોકલ્યા છે તે બદલ હું ધન્યતાની લાગણી અનુભવું છું.. આ પુસ્તકમાં ક્ષતિ પ્રત્યે ધ્યાન દોરવા વિદ્વાનોને વિનંતી. છે. ૨૪ એપ્રિલ, ૨૦૧૨, સોમવાર, અક્ષયતૃતિયા. - લિ. ડૉ. ભાનુબેન શાહ (સત્રા) 99999ચ્છ999999999999999999 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy